Site icon Ayurvedam

પાચન ના દરેક રોગો અને સ્ત્રી-પુરુષોની દરેક શારીરિક સમસ્યામાં એન્ટિ-બાયોટિક્સ દવા કરતાં 10 ગણી વધુ અસરકારક છે આ ઔષધિ..

ખપાટ નો છોડ એક ઔષધિ છે. તે ઘણા વર્ષો સુધી લીલો રહેતો ઝાડી વાળો છોડ છે. તેના રેસા નરમ, સફેદ અને મખમલ જેવા હોય છે. તેની ડાળી ગોળાકાર અને જાંબુડિયા રંગની હોય છે. ખપાટ નો છોડ ખૂબ સારી દવા છે. ઘણા વર્ષોથી આ છોડના ઉપયોગ થી ઘણા રોગોનો ઈલાજ કરવામાં આવે છે. ખપાટ નો ઉપયોગ કરીને અનેક રોગોમાં પણ ફાયદો મળી શકે છે. તે તીક્ષ્ણ, કડવો, પાચન કરવા માટે હળવો, સરળ અને સંધિવાને સંતુલિત કરે છે.

ખપાટ નો રસ પીવાથી ઘણો ફાયદો થાય છે. તે માણસની ઉંમર, શરીરની શક્તિ, તેજ અને જાતીય શક્તિમાં વધારો કરે છે.ખપાટ નો છોડ પેશાબ ની સમસ્યાને દૂર કરે છે. તેની છાલ લોહીના પ્રવાહને અટકાવે છે. ખપાટ ના મૂળનો ઉપયોગ પીડા અને તાવને દૂર કરવા માટે થાય છે. ખપાટ ના બીજ કફના રોગોમાં ખૂબ ઉપયોગી છે. ખપાટ ના મૂળ નું તેલ દુખાવામાં ફાયદાકારક છે. તો ચાલો આપણે હવે જાણીએ ખપાટ થી થતા ફાયદાઓ વિશે વિગતવાર.

ખપાટ ના પાન નો ઉકાળો બનાવી તેને ઠંડો કરો અને તેનાથી આંખો ધોઈ લો. તે આંખના અનેક રોગોમાં ફાયદાકારક છે. ખપાટ ના પાન નો ઉકાળો બનાવીને લાંબા સમય સુધી મોંમાં રાખીને પછી કોગળા કરો. તેનાથી દાંત માં થતો દુખાવો ઓછો થાય છે. ખપાટ ના બીજ મોટા ખાંડીને આખી રાત પાણીમા પલાળી દો. આ પાણી 10-20 મિલીલીટર પીવાથી અથવા ખપાટ ના પાન નું શાક ખાવાથી બવાસીર માં ફાયદો થાય છે.

ખપાટ ના મૂળના 1-2 ગ્રામ પાવડરને દૂધમાં મિક્સ કરીને અથવા મૂળ ના પાવડર નો 20-30 મિલી લીટર નો ઉકાળો લેવાથી બવાસીર માં ફાયદો થાય છે. ખપાટ ના બીજ, મુલેઠી, અશ્વગંધા, અરડૂસી, ત્રિફળા લો. આ સાથે બહેડા, હરિતાકી, શીલાજિત, એલચી લો. આ બધાનો પાવડર બનાવીને તેમાં મધ ઉમેરીને 125 મિલીગ્રામની ગોળી બનાવો. 1-1 ગોળી સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસમાં ખૂબ ફાયદો થાય છે. ખપાટ ના મૂળ અને પાન નો ઉકાળો બનાવી 20-30 મિલિલીટર પીવાથી પથરી પેશાબ ની સાથે બહાર આવે છે.
ખપાટ ના ફૂલનો 1-2 ગ્રામ પાવડર ઘી સાથે લો. તે સૂકી ઉધરસ અને લોહીની ઉલ્ટી માં રાહત આપે છે. ખપાટ ના બીજ અને પાનનો ઉકાળો બનાવો. 10-20 મિલિ ના પ્રમાણમાં સેવન કરવાથી ઉધરસ માં ફાયદો થાય છે. ખપાટ ના મૂળનો 10-20 મિલીલીટર ઉકાળો પીવાથી પેશાબ સંબંધિત તમામ પ્રકારની સમસ્યામાં ફાયદો થાય છે. ખપાટ ના મોટા બીજ ખાંડીને આખી રાત પાણીમા પલાળી દો. આ પાણી 10-20 મિલીલીટર પીવાથી પેશાબની સમસ્યામાં રાહત મળે છે.

ખપાટ ના મૂળના 1-2 ગ્રામ પાવડરમાં ખાંડ અને મધ મિક્સ કરવાથી લોહીના લયુકોરિયામાં ખૂબ ફાયદો થાય છે. ખપાટ ના મૂળ નો પાવડર (1-2 ગ્રામ), ચંદનનો પાવડર (1-2 ગ્રામ) અને બાકુચી તેલ (2-4 મિલી) લો. તેને મિક્સ કરીને સફેદ ડાઘ પર લગાવવાથી ફાયદો થાય છે. ખપાટ ના પાંદડાની પેસ્ટ ઘા પર લગાવવાથી ઘા તરત જ મટે છે. 1-3 ગ્રામ ખપાટ ના મૂળના પાવડર નુ સેવન કરવાથી વાળમાં ફાયદો થાય છે.

10-22 મિલિલીટર ઉકાળમાં સૂંઠ નાંખીને પીવાથી અથવા આખી રાત ખપાટ ના મૂળ પાણીમાં પલાળીને આ પાણી 10-20 મિલીલીટર પીવાથી તાવ ઓછો થાય છે. ખપાટ ના મૂળ ના પાવડર માં મધ ઉમેરીને અથવા ખપાટ ના મૂળનો 20-30 મિલી લીટર નો ઉકાળો લેવાથી કમળામાં ફાયદો થાય છે. ખપાટ મહિલાઓની માસિક સ્રાવ અથવા અનિયમિતતા જેવી સમસ્યાઓના લક્ષણો સુધારવામાં મદદરૂપ થાય છે. મહિલાઓની આંતરિક નબળાઈને દૂર કરવામાં પણ મદદ કરે છે.

ખપાટ ના પાન વાટીને તેને આખી રાત પાણીમા પલાળી રાખો. તે પાણી 10-20 મિલિલીટર માત્રામાં પીવાથી બળતરા ઓછી થાય છે. ખપાટ ના મૂળને વાટીને વીંછીના ડંખ પર લગાવવાથી લાભ થાય છે.ખપાટ ના મૂળ નો પાવડર (2-3 ગ્રામ) અથવા રસ (5-10 મિલી) મધ અને ઘી માં મિક્સ કરો. એક વર્ષ માટે પાચક શક્તિ મુજબ સવારે અને સાંજે તેનું સેવન કરો. સેવન કર્યાના થોડા કલાકો પછી દૂધ અને ઘી સાથે ચોખા મિક્સ કરીને ખાઓ. તે બુદ્ધિ વધારે છે, શરીરને શક્તિ આપે છે અને યાદશક્તિ પણ વધારે છે.ખપાટ પેટના કરમિયા માટે ખૂબ જ અસરકારક ઔષધ સાબિત થાય છે. ખપાટ ના પાન નો ઉકાળો બાળકોને પીવડાવવાથી પેટના કરમિયા નાશ પામે છે.

Exit mobile version