Site icon Ayurvedam

કુતરાના કરડવા પર, ચામડી ના દરેક પ્રકારના રોગ માંથી કાયમી છુટકારો મેળવવા જરૂર અપનાવો આ ફૂલનો આયુર્વેદિક ઉપાય, જાણવા માટે અહી ક્લિક કરો

આપણા આયુર્વેદશાસ્ત્રમાં અનેક પ્રકારની જડીબુટીઓ વિશે વર્ણન કરવામાં આવ્યું છે કે, જેનાથી લોકો પોતાની દરેક બિમારીમાંથી છૂટકારો મેળવી શકે છે. આયુર્વેદશાસ્ત્રમાં અમુક એવા ફુલો વિશે પણ વર્ણન કરવામાં આવ્યું છે કે, જે તમારા સ્વાસ્થ્ય માટે અનેક રીતે ઉપયોગી છે. એક ફૂલ વિશે જેનું નામ છે કરેણ.

કરેણ છોડ લગભગ ભારતના દરેક વિસ્તારોમાં થાય છે. કરેણ ના છોડ માં સામાન્ય રીતે બે પ્રકારના ફૂલ આવે છે એક પીડા અને એક સફેદ. અને લગભગ તમે દરેકે ક્યાંકને ક્યાંક આ કારણો છોડ તથા તેના ફૂલ જોયા હશે. પરંતુ તમને તેના આયુર્વેદિક ગુણો વિશે જરા ખરો પણ ખ્યાલ નહીં હોય. પરંતુ આ કરેણના ફૂલ આયુર્વેદ પ્રમાણે આપણા માટે એક સંજીવની બૂટી જેવું કાર્ય કરે છે આ કરણ ના ફૂલ નો અનેક રીતે ઉપયોગ કરી શકાય છે.

કરેણના ફૂલ ને પીસી તેની લુગદી બનાવી લો. ત્યાર બાદ જો તમારા શરીર પર કોઈ જગ્યાએ ફોડલાઓ થયા હોય અથવા તો ગુમડા થયા હોય તો તે જગ્યાએ લગાવી દો. આમ કરવાથી બે થી ત્રણ દિવસની અંદર તમારા ફોડલાઓ મટી જશે.

કરેણ ના ઝાડ ની નું મૂળ પાણીમાં લસોટી તમારા શરીર પર જે જગ્યાએ ફોડલાઓ થયા હોય ત્યાં લગાવો આમ કરવાથી ફોલ્લાઓ તુરત જ મટી જશે. ખાસ ધ્યાન રાખવું કે, ફોલ્લા ઉપર આ લેપ હાથેથી ન લગાવો કેમ કે આમ કરવાથી તે ફોડલાઓનું ઇન્ફેક્શન થવાની સંભાવના વધી જાય છે.

જો તમને કોઈ જગ્યાએ ઝેરી સર્પ કરડ્યો હોય તો તે જગ્યા પર સફેદ કરેણના મૂળ ને વાટીને લગાવો આમ કરવાથી ઝેરની અસર ઓછી થશે તથા તમારા શરીરમાં અસહ્ય બળતરા થતી હોય તો તે પણ દૂર થશે. આ ઉપરાંત આ ફૂલ ભગવાન ની માળા બનાવવામાં તથા અન્ય સુશોભન ની વસ્તુઓ બનાવવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે.

સફેદ કરેણના મૂળને પાણીમાં ઘસીને લેપ તૈયાર કરી તેને કપાળે ઘસવાથી કફ-વાયુના કારણે મસ્તકની પીડા હોય તો તેમાં રાહત મેળવી શકાય છે. ઉપરાંત ચર્મરોગ જેવા કે દાદર થઈ હોય તો કરેણના પાનને શેરડી સાથે વાટીને તેનો લેપ કરી શકાય.

વધુમાં વીંછી કે સર્પદંશની પીડા હોય તો સફેદ કરેણનું મૂળ પાણીમાં ઘસીને તેનો લેપ ડંખ ઉપર લગાવી દેવો અને એકા’દ-બે ચમચી પાનના રસનું સેવન કરવું. આમ કરવાથી રાહત મળશે. જો કે, કેટલાંકને આ પ્રકારના રસના સેવનથી બેચેની જેવું લાગતું હોય છે. જો બેચેની જેવું લાગે તો થોડું ઘી (ગાયનું હોય તો શ્રેષ્ઠ) પી જવું. સફેદ કરેણના ઘણાં ઉપયોગ છે તેમાંનો એક ઉપયોગ એ પણ છે કે, કરેણનું મૂળ ખોદી દદીના કાન ઉપર બાંધી દેવામાં આવે તો મેલેરિયાનો તાવ પણ કાબૂમાં આવી જાય છે.

ગુમડાંની તકલીફ હોય તો કરેણના ફૂલને પીસી-પીસીને તેની પેસ્ટ બનાવી ફોડલાં-ગડ-ગુમડાં થયાં હોય તે જગ્યાએ લગાવી દો, બેથી ત્રણ દિવસ આમ કરવાથી ગુમડાં સહિતની તકલીફો દૂર થઈ જશે. જો કે, ખાસ ધ્યાન રાખવું કે, ફોલ્લા ઉપર આ લેપ હાથેથી ન લગાવો. કેમ કે આમ કરવાથી તે ફોડલાઓનું ઇન્ફેક્શન થવાની સંભાવના વધી જાય છે.

કરેણના ફૂલ સ્વાસ્થ્ય માટે તો લાભકારી છે જ પરંતુ સાથે-સાથે આ ફૂલની માળા બનાવીને ઘરના મંદિરમાં બિરાજેલા ભગવાનને અર્પણ કરવામાં આવશે તો ઘરમાં પણ સકારાત્મક ઉર્જાનું પ્રમાણ વધશે અને જીવનમાં પણ!

કરેણ એટલે કે ઓલિયંડરના ફૂલો ચીકણા અને દૂધિયા રસવાળા હોય છે. ગંગાના ઉપરના મેદાની પ્રદેશમાં આ ફૂલો ઉગે છે. ભારતમાં કશ્મીરથી લઇને નેપાળ સુધીના બે હજાર મીટર વિસ્તારના મધ્ય અને દક્ષિણ હિમાલયના મંદિરો અને બગીચાઓમાં આ ફૂલ ખીલે છે.

ભોજન બાદ કરેણના છોડના મૂળની છાલનો 100-200 મિલીગ્રામ ભાગ પાણીમાં લસોટીને પી શકાય અથવા સૂકો ખાઇ શકાય. આ પ્રકારે સેવન કરવાથી વારંવાર પેશાબ આવે છે, જેના કારણે હૃદયનો દુખાવો દૂર થાય છે. ઉપરાંત હૃદય સંબંધિત અન્ય બીમારીઓ પણ દૂર થાય છે.

ઠંડા પાણી સાથે કરેણના છોડના મૂળને પીસીને ફોલ્લા પર લગાવવો. આ લગાવતી વખતે ફોલ્લા ફૂટવાનો ડર રહે છે, માટે કાળજીપૂર્વક લગાવવું. આ ફોલ્લા મટાડીને પાઇલ્સની સારવાર માટે ઉપયોગી બને છે.

સફેદ કરેણની નીચેની છાલને તેલમાં ઉકાળો અને તેલને ઠંડું કરો. આ તેલને અસરગ્રસ્ત જગ્યાઓ પર લગાવવાથી એક્ઝિમા મટે છે. આનો ઉપયોગ કરવાથી એક્ઝિમા ઉપરાંત ખંજવાળ અને ડર્મેટોસિસની દરેક સમસ્યામાંથી છૂટકારો મળી શકે છે.

હરસની સમસ્યા માટે પણ ઉપયોગી સાબિત થાય છે. કરેણ અને લીમડાના પાંદડા બંનેને એક સાથે પીસીને એક પેસ્ટ બનાવી લો. ત્યાર બાદ હરસના મસા પર નિયમિત દિવસ દરમિયાન બેથી ત્રણ વખત આ લેપ લગાવવો. તેનાથી હરસના મસા સુકાઈને ગાયબ થઇ જાય છે.

નપૂસંકતા પણ દૂર કરે છે. સફેદ કરેણના મૂળને 10 ગ્રામ લેવા અને તેને પીસીને ત્યારબાદ તેમાં વીસ ગ્રામ વનસ્પતિ ઘી સાથે પકાવી લો થોડી વાર. ત્યાર બાદ તે એક મલમ જેવું બની જશે. આ મલમને ગુપ્તાંગ પર સવાર સાંજ લગાવવાથી નપુંસકતા બિલકુલ દૂર થશે. સાંધાના દૂખાવામાં પણ લાલ કરેણ ખૂબ જ ફાયદાકારક હોય છે. લાલ કરેણના પાંદડાને પીસીને તેને તેલમાં મિક્સ કરી તે તેલને સવાર સાંજ સાંધા પર લગાવો તેનાથી સાંધાનો દુઃખાવો દૂર થાય છે.

દાંતના દુઃખાવામાં પણ રાહત આપે છે. સફેદ કરેણની ડાળીથી રોજ સવારે અને સાંજે દાંતણ કરવાથી દાંતનો દુઃખાવો દૂર થાય છે. તેમજ દાંત મજબૂત બને છે. તમારા વાળ સફેદ થઇ રહ્યા છે તો સફેદ અને લાલ કરેણના પાંદડાને પીસી તેને દૂધમાં મિક્સ કરી વાળ પર લગાવવાથી વાળ સફેદ થતા અટકી જાય છે સફેદ વાળને કાળા કરે છે.

કોઈ કૂતરું કરડે તો તેના માટે બેસ્ટ ઉપચાર સાબિત થાય છે. તેના માટે સફેદ કરેણના મૂળની છાલનું ચૂરણ બનાવી 60 એમએલ  ની માત્રામાં ચાર ચમચી દૂધ સાથે મિક્સ કરી દિવસમાં બે વખત પીવું. આવું અઠવાડિયા સુધી કરવાથી ઈન્જેકસન લગાવ્યા વગર જ કૂતરાનું ઝેર દૂર થઇ જાય છે. જો શરીરનો કોઈ પણ ભાગ સોજી ગયો હોય તો લાલ અથવા સફેદ કરેણના પાંદડાનો ઉકાળો બનાવી પ્રભાવિત જગ્યા પર માલીશ કરવાથી સોજો ઝડપથી ઉતરી જાય છે.

શરીર પર કોઢ રોગ થયો છે મતલબ કે સફેદ દાગ છે તો 200 ગ્રામ કરેણના પાંદડાને એક ડોલ પાણીમાં ઉકાળી લો. ત્યારબાદ તે પાણીથી નહાવું. આવું નિયમિત કરવાથી સફેદ દાગ દૂર થાય છે. આ ઉપરાંત સફેદ કલરના કરેણના ૧૦૦ ગ્રામ પાંદડાને બે લીટરપાણીમાં ઉકાળો તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી એક લીટર પાણી બચે. ત્યાર બાદ તેને એક ડોલ સ્નાન કરવાના પાણીમાં ઉમેરી તેનાથી નિયમિત સ્નાન કરવાથી ચારથી પાંચ મહિનાની અંદર કોઢ દૂર થાય છે.

લાલ કરેણના ફૂલને અને નામ માત્ર સાવ થોડી અફીણ લઇ તેને પીસીને પાણી સાથે ઉકાળી તે પાણી માથા પર લગાવવાથી ભયંકર માથાનો દુઃખાવો પણ તરત જ દૂર થાય છે. કરેણ એક પ્રકારનું ઝેર છે. જે આપણને નુકશાન પણ પહોંચાડે છે તેથી તેનો ઉપયોગ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કે તેનો રસ પેટમાં ન જાય નહિ તો તે ખુબ જ નુકશાનદાયક પણ સાબિત થઇ શકે છે.

Exit mobile version