સ્વાસ્થય માટે સંજીવની સમાન છે આ ઔષધિ, જીવો ત્યાં સુધી નહીં થાય બીપી, કોલેસ્ટ્રોલ અને ડાયાબિટીસ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

કાળુ લસણ એ સફેદ લસણનું સ્વરૂપ છે, જે આથો દ્વારા તૈયાર કરવામાં આવે છે. તે ખોરાકમાં ઓછું મસાલેદાર છે પરંતુ તેમાં ઘણા બધા પોષક તત્વો છે. આ જ કારણ છે કે કાળા લસણનો ઑેષધીય સ્વરૂપમાં વધુ ઉપયોગ થાય છે. આયુર્વેદિક ચિકિત્સામાં તેનું વિશેષ મહત્વ છે.

ઘરે કાળુ લસણ બનાવવું મુશ્કેલ કાર્ય નથી. તેને બનાવવા માટે, તાજી એટલે કે સફેદ લસણ લો. હવે તેને 2 થી 3 અઠવાડિયા સુધી 60 ડિગ્રી તાપમાન પર રાખો. કાળુ  લસણ સામાન્ય લસણને આથો લાવીને બનાવવામાં આવે છે. આથા ને લીધે, આ લસણનો સ્વાદ મીઠો થાય છે.  કાળા લસણને ફોર્મેટ પ્રક્રિયા દ્વારા એકદમ સારી રીતે તૈયાર કરવામાં આવે છે, જેના લીધે તેમાં યૂનિક એન્ટી ઓક્સિડેન્ટ્સના ગુણધર્મો પ્રાપ્ત થઈ આવે છે. તે ઉપરાંત તેમાં પોલિફેનોસ, ફ્લેવોનોઇડ્સ અને અલ્કલોઇડ્સ પણ મળી આવે છે.

લસણનું સેવન કરવાથી હાર્ટને લગતી બીમારીઓનું જોખમ ઓછું થાય છે. હકીકતમાં, એલિસિન નામનું એક તત્વ સફેદ લસણમાં જોવા મળે છે, જે લોહીને પાતળા કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તે જ એલિસિન કાળા લસણમાં પણ જોવા મળે છે, તેથી તે હૃદયના દર્દીઓ માટે વધુ ફાયદાકારક છે.

આહારમાં નિયમિતપણે કાળા લસણનો સમાવેશ કરવામાં આવે , તો તેનાથી બ્લડ શુગરને સરળતાથી નિયંત્રિત કરી શકાય છે . અગાઉના ઘણા સંશોધનોમાં એ વાત સામે આવી છે કે, જે વસ્તુમાં વધુ પ્રમાણમાં એંટીઓક્સીડેંટ તત્વ મળી આવે છે. તે ડાયાબિટીઝ અટકાવવા માટે ઘણું ફાયદાકારક હોય છે. આ તત્વ કાળા લસણ માં જોવા મળે છે તેથી આનું સેવન ડાયાબિટિસ માં રાહત આપે છે.

કાળા લસણમાં પોલિફેનોલ, આલ્કલાઇન અને ફલેવોનાઇડ પણ મોટી માત્રામાં જોવા મળે છે જે સ્વાસ્થ્ય માટે સારું છે. આ બધા તત્વો કેન્સર વિરોધી છે. બ્લડ કેન્સર, પેટનો કેન્સર અને કોલોન કેન્સરથી પીડિત લોકો માટે કાળુ લસણ ખૂબ ફાયદાકારક છે.

કાળુ લસણ રક્ત પરિભ્રમણ અને શરીરની પ્રતિરક્ષા વધારવાનું પણ કામ કરે છે. કાળા લસણમાં ઉચ્ચ એન્ટીબેક્ટેરિયલ અને એન્ટિવાયરલ ગુણ હોય છે. તે ડાયાબિટીઝના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. કેન્સર સામે લડવામાં નિયમિત કાળા લસણ નું સેવન કરો. કાળુ લસણ ખાસ કરીને કેન્સર વાળા લોકો માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. નિયમિત સેવન કરવાથી કોઈ પણ પ્રકારનું નુકસાન પણ નહિ થાય.

સફેદ લસણનું સેવન કરવાથી આપણું હૃદય લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકે છે, પરંતુ  કાળુ લસણ પણ આપણા હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે. એક અધ્યયન મુજબ કાળુ લસણ હ્રદયરોગને દૂર કરવાનું કામ કરે છે.

લસણના નિયમિત સેવનથી શરીરમાં મેટાબોલિઝમ વધે છે. કાળુ લસણ શરીરને એલર્જી સંબંધિત રોગ સામે લડવાની શક્તિ પણ આપે છે. ઘણી વાર લોકોને હવામાન, ધૂળ, શરદી વગેરેથી એલર્જી થાય છે અને તેમને શરદી, કફ તાવ જેવી સમસ્યાઓ હોય છે. કાળા લસણના સેવનથી એલર્જીની સમસ્યા દૂર થાય છે.

આ સિવાય કાળુ લસણ લોહીને પાતળું કરવાનું કામ કરે છે, તેથી આવા દર્દીઓ માટે ખૂબ ફાયદાકારક છે, જેમના શરીરમાં સોજો આવે છે. શરીરમાં સોજો સામાન્ય રીતે લોહીના પ્રવાહના અવરોધને કારણે થાય છે, જો કાળા લસણને દૈનિક આહારમાં શામેલ કરવામાં આવે છે, તો બળતરા સહિતના ઘણા રોગો મટાડવામાં આવે છે

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top