માત્ર 2 ચમચી આનું સેવન શરદી, ઉધરસ, ગળાના દુખાવા અને કફ અને ફેફસાના ઇન્ફેકશનને કરી દેશે જડમૂળથી દૂર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઋતુ બદલાતા  લોકોને શરદી, કફ, ખાંસી અને ગળામાં ખારાશ અને દુખાવાની સમસ્યા થવા લાગે છે.એમાં ખાસ કરીને કફ વધવાની સમસ્યા પણ ઘણાં લોકોને થાય છે. તેનાથી બચવા માટે કેટલીક બાબતોનું ધ્યાન અને ઘરેલૂ ઉપાયો અસરકારક સાબિત થઈ શકે છે.

ઉધરસની સાથે કફ આવવું અથવા સૂકી ઉધરસ આવવી બંનેમાં પરેશાની થાય છે . અને રાતે ઊંઘ આવતી નથી. ઘણાં લોકો  ને રાતે અથવા ઊંઘમાં પણ ઉધરસની સમસ્યા થતી હોય છે. જેમાં બેદરકારી કરવી નહીં. જેનો તરત જ ઉપાઉ કરો જરૂરી છે.

આયુર્વેદ શાસ્ત્ર મા આદુ અને મધ ને સર્વશ્રેષ્ઠ ઓસડ માનવામા આવ્યા છે તથા અનેકવિધ ઔષધીઓ ના નિર્માણ મા તેનો વધુ પ્રમાણ મા ઉપયોગ પણ કરવામાં આવ્યો છે. આ બન્ને વસ્તુઓ ને મિક્સ કરીને તેનું સેવન કરવાથી તમે અનેકવિધ રોગો સામે સમક્ષ રક્ષણ મેળવી શકો છો. આ બંને ના સેવન થી શરદી અને ઉધરસ ને થોડા જ સમય મા છૂમંતર કરી શકાય છે અને તમારી શ્વાસોશ્વાસ ની પ્રક્રિયા ને પુન: સામાન્ય બનવી શકાય છે.

સો ગ્રામ આદુ ને ક્રશ કરીને તેમાં બે થી ત્રણ ચમચી જેટલું મધ મિકસ કરી લેવું, ત્યાર બાદ આ પેસ્ટ ને આખા દિવસ મા બે વાર બે-બે ચમચી જેટલું સેવન કરવા થી આરામ મળે છે. આ પેસ્ટ નું સેવન તમારા છાતી અને ગળા મા જામેલો કફ દૂર કરવા માં મદદ કરે છે . લીલી તથા સૂકી બન્ને દ્રાક્ષ નું સેવન સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી સાબિત થાય છે.  દ્રાક્ષ નું સેવન ફેફસા માટે અને જામેલા કફ ની સમસ્યા ને દૂર કરવા માટે ખૂબ જ લાભદાયી ગણવામાં આવ્યૂ છે.

ગળા અને છાતીમા જામેલા કફ માંથી મુક્તિ મેળવવા માટે તમારે નિયમિત પરોઢે ઉઠીને બે ચમચી દ્રાક્ષ ના રસ નું સેવન કરવું જરૂરી છે, આ ઉપરાંત જો તમે તેમાં બે ચમચી મધ મિકસ કરીને આ પેસ્ટ ને એક અઠવાડિયા સુધી નિયમિત દિવસમા ત્રણ વખત સેવન કરો તો તમારા શરીર ના સ્વાસ્થ્ય માટે લાભદાયી સાબિત થઈ શકે છે. કાળા અને સફેદ બન્ને મરી નું સેવન સ્વાસ્થ્ય માટે અત્યંત લાભદાયી ગણવામાં આવે છે.

મરી સ્વાદે તીખા હોય છે માટે મરી નો ઉપયોગ કફની સમસ્યા ને દૂર કરવામાં અસરકારક સાબિત થઈ શકે છે. આ માટે એક/બે ચમચી સફેદ મરી લઈને તેને પીલી લેવા અને ત્યારબાદ તેમાં એક ચમચી જેટલું મધ ઉમેરી તેને મિકસ કરવું . આ પેસ્ટ ને દસ-પંદર મિનિટ ના સમયગાળા માટે માઈક્રોવેવમા રાખી મૂકવું. આ પેસ્ટ નું સેવન કરવાથી જામેલા કફમા તુરંત જ રાહત મેળવી શકાય  છે . આ કફની સમસ્યા ને જડમૂળ થી દૂર કરવા માટે આ પેસ્ટ ને એક અઠવાડિયા સુધી દિવસમા ત્રણ વખત નિયમિત સેવન કરવાથી રાહત મેળવી શકાય છે .

જો બ્લેક ટી બનાવી અને તેમાં એક ચમચી તાજા લીંબૂ નો રસ ઉમેરવો અને ત્યારબાદ તેમાં એક ચમચી મધ મિક્સ કરીને થોડાક દિવસ સુધી આ રીતે સેવન કરો તો તમારી કફ સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓ અવશ્યપણે દૂર થશે . નમક વાળા પાણી ના કોગળા એક પુરાતન અને અસરકારક ઉપચાર માનવા માં આવે છે. તેના માટે સૌપ્રથમ એક ગ્લાસ નવશેકું પાણી લઈને તેમાં એક ચમચી નમક ઉમેરીને તેને યોગ્ય રીતે મિક્સ કરી લેવું. ત્યારબાદ તમારા ગળા ને પાછળ ની તરફ લઈ જઈને આ પાણી મોંમાં ભરીને તેના ધીમે-ધીમે કોગળા કરવા. આ પાણી ને ગળી ના જવું તેનું ધ્યાન રાખવું. કોગળા કરીને બધુ જ પાણી બહાર કાઢી નાખવું.

ગ્રીન ટી છે રામબાણ, સૂતા પહેલાં ગરમ ગ્રીન ટી પીવો. તેમાં રહેલાં એન્ટીઓક્સીડેન્ટ્સ બેક્ટેરિયલ ઈન્ફેક્શનને દૂર કરવામાં મદદ કરે છે. રાતે સૂતા પહેલાં ગ્રીન ટી પીવાથી ગળું હાઈડ્રેટ રહે છે અને વારંવાર ઉધરસ આવવાની સમસ્યા થતી નથી.સ્મોકિંગ હોઈ શકે કારણ,બહુ લાંબા સમય સુધી સ્મોકિંગ કરવાથી પણ રાતે ઉધરસની સમસ્યા ઉત્પન થઈ શકે છે. જેથી તેનાથી બચવા સ્મોકિંગને કંટ્રોલ કરો અથવા આ આદતને છોડી દો કારણ કે તેનાથી સ્વાસ્થ્યને અન્ય અને અનેક જીવલેણ રોગ થાઈ છે અને ફેફસા ને ખુબજ નુકસાન થાય છે

જો નાના બાળકની છાતીમાં કફ જમા થયો છે, તો એને કાઢવા માટે ગાયનું ઘી બાળકની છાતી પર મસળો. તે ઉપાયથી જમા થયેલો કફ બહાર નીકળી જશે.ગાજર મા વિટામિન સી પુષ્કળ પ્રમાણ મા જોવા મળે છે. તેમાં સમાવિષ્ટ એન્ટીઓક્સીડેન્ટ તત્વો ને કારણે ગાજર ઈમ્યૂનિટી સિસ્ટમ ને મજબૂત બનાવે છે. આ ઉપરાંત ગાજર મા એવા અનેક પ્રકાર ના વિટામિન્સ અને પોષકતત્વો સમાવિષ્ટ છે જે ઉધરસ અને કફ ની સમસ્યા માંથી તુરંત રાહત અપવા માં મદદ કરે છે.

જો ત્રણ-ચાર તાજા ગાજર લઈને તેનો રસ કાઢીને તેમાં થોડું પાણી અને બે -ત્રણ ચમચી જેટલું મધ મિક્સ કરીને આ મિશ્રણ નું દિવસમા બે-ત્રણ વાર સેવન કરવું. આ મિશ્રણ ના નિયમિત સેવન થી તમારી છાતી અને ગળા મા જામેલો કફ ધીમે-ધીમે દૂર થવા માંડશે.આદુ છીણીને તેના નાના-નાના ટુકડા મોઢામાં રાખીને ચૂસવા. આમ કરવાથી કફ સરળતાથી શરીરની બહાર નીકળી જશે . ટોન્સિલ અને ગળાની કોઈ પણ જાતની તકલીફ છે તો એના માટે કાચી હળદરનો રસ મોઢું ખોલીને ગળામાં નાખો, અને થોડા સમય માટે ચુપ બેસો. જેથી તે રસ ગળાની નીચે ઉતરશે કે તરત જ તકલીફ ઓછી થવા લાગશે. અને આરામ અનુભવ થાશે .

જેઠીમધનું ચૂર્ણ પાંચ ગ્રામની માત્રામાં નાખીને ઉકાળો અને જયારે પાણી અડધો કપ રહી જાય ત્યારે ગાળી લો. આ રીતે બનાવેલા ઉકાળાને અડધો કપ સવાર અને સાંજે પીવો. બે થી ત્રણ દિવસ આ ઉપાય કરવાથી કફ પાતળો થઈને સરળતાથી બહાર નીકળી જાય છે અને ઉધરસ પણ સરખી થવા લાગશે. લીંબુ એ આપણાં સ્વાસ્થ્ય માટે કેટલું હિતકારી છે તેનું ઉચ્ચારણ આપણાં પ્રાચીન શાસ્ત્રો અને આયુર્વેદમા સ્પષ્ટપણે જણાવવા માં આવ્યું છે અને મોટાભાગના લોકો લીંબુ ના સેવન થી થતાં લાભો વિશે પણ જાણતા જ હશે . લીંબુમા સમાવિષ્ટ સાઈટ્રિક એસિડ તથા મધમા સમાવિષ્ટ એન્ટિસેપ્ટિક તત્વો જામેલા કફ ની સમસ્યાને જડમૂળ થી દૂર કરવા માં મદદ કરે છે તથા ગળામા થતાં દર્દ ને દૂર કરવામાં પણ લાભદાયી સાબિત થઈ શકે છે. .

મધ અને આદુનો ઉપાય, મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જે ઉધરસમાં રાહત આપવા માં મદદરૂપ છે . રોજ રાતે સૂતી વખતે અડધી ચમચી મધમાં અડધી ચમચી આદુનો રસ મિક્સ કરીને પીવાથી રાતે ઉધરસ આવવાની સમસ્યા દૂર કરી શકાય છે. ઉધરસને રોકવા માટે શરીરને હાઈડ્રેટ રાખવું ખૂબ જ જરૂરી છે. તેના માટે વધુમાં વધુ લિક્વિડ લેવું. તેનાથી મ્યૂકસ (કફ) પાતળું થઈ જાય છે અને તેનાથી રાતે ઉધરસ આવવાની સમસ્યામાં બંધ થઈ જાય  છે.

જામેલા કફ ની સમસ્યા ને દૂર કરવા માટે હળદર પણ એક પ્રભાવશાળી ઉપાય સાબિત થઈ શકે છે. હળદર એક સર્વશ્રેષ્ટ એન્ટીસેપ્ટિક છે. તેમાં એન્ટીઓક્સીડેન્ટ તત્વ પુષ્કળ પ્રમાણ મા હોય છે તથા કકર્યૂમિન પણ હોય છે , જે શરીર ની તમામ આંતરિક અને બાહ્ય સમસ્યાઓ ને દૂર કરવા માં મદદરૂપ છે. એક ગ્લાસ હૂંફાળા દૂધમા એક ચમચી હળદર અને દોઢ ચમચી કાળા મરી નો પાવડર મિક્સ કરવો . ત્યારબાદ તેમાં એક ચમચી મધ પણ ઉમેરવું . આ દૂધ નું નિયમિત સેવન કરવા થી થોડાક જ દિવસ મા છાતી અને ગળા મા જામેલો કફ સાફ કરી શકાય છે .

લસણ મા ભરપૂર પ્રમાણ મા ગુણતત્વો સમાવિષ્ટ છે. જો તમે એક કપ પાણી ઉકાળીને તેમાં ત્રણ  લીંબૂ નો રસ ઉમેરી તેને વ્યવસ્થિત રીતે ભેળવી ને ત્યાર બાદ તેમાં થોડું પીસેલું લસણ ઉમેરીને સાથે જ તેમાં દોઢ ચમચી જેટલો કાળા મરી નો પાવડર મિક્સ કરીને છેલ્લે એક ચપટી જેટલું નમક ઉમેરવું. આ બધી જ વસ્તુઓ ને ભેળવી ને તેની પેસ્ટ બનાવીને તેનું સેવન કરવાથી કફ ની સમસ્યા સંપૂર્ણપણે ગાયબ થઈ જાય છે. અને આરામ મળે છે.

ડુંગળી મા પુષ્કળ માત્રામા એન્ટીઓક્સીડેન્ટ અને અન્ય પોષકતત્વો સમાવિષ્ટ હોય છે જેથી નિયમિત એક ડુંગળી ખાવી જોઈએ. કફની મુશ્કેલી ને દૂર કરવા માટે એક ડુંગળી લઈને તેને છોલી ને પીલી કરી લેવી. ત્યારબાદ તેમાં એક લીંબૂ નો રસ ભેળવી લેવો . હવે એક કપ પાણી મા આ મિશ્રણ નાખીને બે થી ત્રણ મિનિટ સુધી તેને ગરમ કરવું. આ ઉપરાંત તેમાં એક ચમચી મધ પણ ઉમેરવું. હવે આ મિશ્રણ ને દિવસ મા ત્રણ વખત આરોગવું, આ ક્રિયા નિયમિત પણે આરોગવા થી ગળા નો દુ:ખાવો તથા કફ જામી જવાની સમસ્યા જડમૂળ થી દૂર કરવામાં મદદરૂપ સાબિત થાઈ છે. .

બે કપ પાણી લઈએ એમાં ત્રીસ મરી ના દાણા ખાંડીને નખવા અને એને ઉકાળવું. હવે જયારે આ પાણી એક ચતુર્થાંસ રહી જાય ત્યારે તેને ગાળીને તેમાં એક ચમચી મધ ઉમેરવું. આ પાણીનું સવાર સાંજ સેવન કરવું. આમ આ ઘરેલુ ઉકાળાથી કફ વાળી ઉધરસ અને કફ બન્નેથી છુટકારો મેળવી શકાય છે. રાતે સૂતી વખતે નાકમાંથી શ્વાસ લેવાથી નાક અને ગળામાં રહેલો મ્યૂકસ વધુ એક્ટિવ થઈ જાય  છે. જેના કારણે વધુ ઉધરસ આવવાણી સમસ્યા રહે છે. જેથી બે-ત્રણ તકિયા મૂકીને થોડી ઊંચાઈ પર માથું રાખીને સૂવાથી આ સમસ્યા દૂર કરી શકાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top