ડાયાબિટીસ, કબજિયાત અને ચહેરાની દરેક સમસ્યા માથી છૂટકારો મેળવવા માત્ર 5મિનિટ કરો આ એક્સરસાઇઝ, આ ઉપયોગી માહિતી દરેક ને શેર કરી જણાવો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ભારતના પૌરાણિક ગ્રંથોમાં શરીરની લગભગ બધી જ સમસ્યાઓ માટે ઉપાયો આપેલા છે. તે પછી યોગ હોય, આયુર્વેદ હોય કે પછી એક્યુપ્રેશર હોય. એક્યુપ્રેશરમાં શરીરના કેટલાક પોઇન્ટને દબાવવાથી વિવિધ જાતના શારિરિક ફાયદા થતાં હોય છે. તેવી જ રીતે  શરીરને કેટલીક મુદ્રાઓમાં રાખો અથવા શરીરના અંગો પાસે કેટલીક મુદ્રા કરાવો તો  અદ્ભુત ફાયદા થઈ શકે છે.

એવી જ એક મુદ્રા જે ખાસ કરીને મહિલાઓ માટે છે કારણ કે વ્યસ્ત જીવન, રોજિંદા કામો તેમજ અવ્યવસ્થિત લાઇફસ્ટાઇલના કારણે સ્ત્રીઓ તેમની ઉંમર કરતાં વહેલી જ વૃદ્ધ થવા લાગી છે. અને તેની આ ઉંમરની ચાડી તેના ચહેરા પરની કરચલીઓ જ કરી દે છે.

કેવી રીતે કરશો આ એક્સરસાઇઝ ?

આ વ્યાયામ કરવા માટે  સૌ પ્રથમ પોતાની જીભને વાળીને તાળવા પર અડાડવી. હવે આ જ સ્થિતિમાં રહીને તમારે નાકથી ધીમે ધીમે શ્વાસ લેવાનો છે. અને ત્યાર બાદ પાંચ સેકન્ડ માટે શ્વાસ રોકી લેવો. પાંચ સેકન્ડ સુધી ગણવું શ્વાસ રોકવો હવે સાથે સાથે મોઢાને પણ શ્વાસથી ફુલાવીને 10 સુધી ગણતરી કરવી. હવે દસની ગણતરી સુધી શ્વાસને રોકી રાખ્યા બાદ તે જ સ્થિતમાં સિટિ વગડાતા હોવ તે રીતે શ્વાસને ધીમે ધીમે બહાર છોડવો. આ જ પ્રક્રિયાને તમારે સતત એક મિનિટ સુધી પુનરાવર્તિત કરતાં રહેવી. રોજ આ રીતે એક મિનિટની આ નાનકડી એક્સરસાઇઝ કરવાથી.  શરીરને ઘણી બધી રીતે ફાયદા પહોંચે છે.

આ એક્સરસાઇઝને ચાર વાર પુનાર્વતિત કરી શકો છો. જો આ એક્સરસાઇઝ એક પણ દિવસ ચૂક્યા વગર સતત ચારથી પાંચ મહિના સુધી ચાલુ રાખશો તો  તેનો ચોક્કસ ફાયદો જોવા મળશે. અને શરીરમાં અનેક પ્રકારના હકારાત્મક ફેરફારો  જોઈ શકશો. તેનાથી  પાચનક્રિયા પણ નિયમિત બનશે અને તમારું બ્લડપ્રેશર પણ સંતુલિત રહેશે.

સ્ત્રીઓ પોતાના ચહેરા પરની કરચલીઓ તેમજ અસ્વસ્થતાં દૂર કરવા માટે વિવિધ પ્રકારના કોસ્મેટિક્સ તેમજ બ્યુટિપાર્લરનો શહારો લે છે. ઉંમર પહેલાં જ જો ચહેરા પર કરચલીઓ પડી ગઈ હોય તે તેને દૂર કરવા માટે આ એક્સરસાઇઝ ઉત્તમ છે. રોજ માત્ર એક મિનિટ આ નાનકડી એક્સરસાઇઝ કરવાથી તમારા ચહેરાની કરચલીઓ તો દૂર થશે જ પણ સાથે સાથે ચહેરા પરના ડાઘ પણ દૂર થશે. આ એક્સરસાઝથી ચહેરાની સંપુર્ણ કસરત થઈ જાય છે.  અને ચહેરાના મસલ્સનો પણ વ્યાયામ થઈ જશે.

જો હંમેશા કબજિયાત કે અપચા, ગેસ, એસિડિટી વિગેરેની ની સમસ્યા રહેતી હોય અથવા હંમેશા પેટમાં ગડબડ રહેવાની ફરિયાદ રહેતી હોય તો ઉપર જણાવ્યા પ્રમાણે તાળવે જીભ અડાડવાની નિયમિત એક્સરસાઇઝ કરવાથી તમારી આ સમસ્યા દૂર થાય છે. આ એક્સરસાઝથી ધીમે ધીમે તમારા પેટને લગતી આ સમસ્યાઓ દૂર થવા લાગશે.

બદલાઈ રહેલી લાઇફસ્ટાઇલ તેમજ દેખાદેખીવાળું જીવન તેમજ કામકાજમાં હરીફાઈનો માહોલ વ્યક્તિને હંમેશા માનસિક સ્ટ્રેસ નીચે રાખે છે. જેમાંથી ક્યારેક રીલેક્સેશન મળે છે અને ક્યારેક નથી મળતું અને તેના કારણે માણસના ખોરાક, તેના ઉંઘવા તેના આરામ પર પણ તેની અસર પડે છે.

પણ જો ઉપર જણાવેલી એક્સરસાઇઝને તમે નિયમિત રીતે કરશો તો તે તમને કુદરતી રીતે જ તાણથી મૂક્ત થવામાં મદદ કરશે. આ એક્સરસાઇઝથી તમે તમારી નર્વસ સિસ્ટમને કુદરતી રીતે જ સુધારી શકશો અને તમને માનસિક શાંતિની સાથે સાથે શારીરિક રાહત પણ આપશે.

ઘણી સ્ત્રીઓને સુતી વખતે શ્વાસોચ્છ્વાસની સમસ્યા થતી હોય તેમણે આ એક્સરસાઇઝ નિયમિત કરવી જોઈએ. તેનાથી શ્વાસોચ્છ્વાસની પ્રક્રિયા સરળ બનશે અને શ્વાસ લેવામાં તકલીફ પણ નહીં પડે. અને માટે જ આ એક્સરસાઇઝ હૃદયરોગીઓ માટે પણ લાભપ્રદ રહે છે.અને હદય ની કોઈ પણ પ્રકાર ની સમસ્યા દૂર થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top