વગર ઓપરેશન અને દવાએ કમરનો દુખાવો અને ફેફસાના સોજાનો 100% અસરકારક ઉપચાર છે આ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ગુગળ એક વૃક્ષ છે, જેમાથી નીકળનાર ગુંદરને આપણે ગુગળ કહીએ છીએ. ગુગળ ઘણાં રોગોમાં લાભકારી સાબિત થાય છે. ગુગળ જોવામાં કાળા અને લાલ રંગનું હોય છે. જેનો સ્વાદ થોડો કડવો હોય છે. ગુગળ ગરમ હોય છે. ગુગળનો પ્રયોગ પેટનો ગેસ, સોજો, દુખાવો, પથરી, મસા, જૂની ખાંસી, યૌન શક્તિમાં વધારો, દમ, ઘુંટણનો દુખાવો, ફેફસાનો સોજો જેવા રોગો દૂર કરવા માટે થઇ શકે છે.

ગૂગળનો ધુમાડો વાતાવરણની શુદ્ધિ કરવામાં ઉત્તમ છે. ગૂગળ એ એક અદ્ભુત ઔષધ છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ ગૂગળના ફાયદાઓ વિશે.  લકવા હોય તો 900 મીલીગ્રામ કેસર, ગુગળ અને ઘી સાથે સેવન કરવાથી કોઈપણ પ્રકારનો લકવા મટી શકે છે.

ગૂગળ ત્વચાની લાલાશ, બળતરા, અને પીડા સુધારે છે, તેમજ સારવાર માટે સ્થાનિક સ્ટીરોઇડ ક્રિમની જરૂરિયાતને ઘટાડે છે. ગુગળ આયોડિનની માત્રા વધારીને અને થાઇરોઇડ ગ્રંથિ દ્વારા ઉત્પન્ન એન્ઝાઇમ્સની પ્રવૃત્તિમાં સુધારો કરીને હાયપોથાઇરોડિઝમ સુધારે છે. ગુગળ વારંવાર ચરબીની ખોટને પ્રોત્સાહન આપીને અને ભૂખને દૂર કરીને મેદસ્વીપણાની સારવાર કરવામાં મદદ કરે છે.

કમરના દુખાવામાં વધારે ઉપયોગી થાય છે. તેના માટે તમારે શુદ્ધ ગુગળ 3 ગ્રામ લઈ એક ખજુરની પેશી લેવાની. તેમાંથી ઠળીયો કાઢી તેમાં શુદ્ધ ગુગળ રાખીને પછી ખજુરમાં ગુગળનો પાવડર નાખ્યા પછી ખજુર પર બાંધેલા લોટનું પડ ચડાવી દેવાનું છે. પછી તેણે ગરમ રાખમાં મૂકી દેવાનું છે. પછી તેને પીસી લેવાનું અને તેની નાની નાની ગોળીઓ બનાવવી પછી છાયામાં સુકવી અને પછી રોજ સવારે એક એક ગોળીનું સેવન કરવું.  આ રીતે સેવન કરવામાં આવે તો કમરનો દુખાવો બિલકુલ નાબુદ થઇ જાય છે.

ખાટા ઓડકાર આવતા હોય તો એક ચમચી ગુગલના ચૂરણને એક કપ પાણીમાં ઓગળી જાય પછી એક કલાક બાદ ગાળી લો અને જમ્યા બાદ આ પાણીનું સેવન કરવાથી ખાટા ઓડકાર આવતા નથી. વાળની સમસ્યાઓ માટે ગુગળ ખુબ જ ફાયદાકારક છે આ સમસ્યા માટે ગુગળને વિનેગરમાં ઘોળીને રોજ રાત્રે નિયમિત રીતે માથામાં લગાવવાથી લાભ મળે છે.

ગુગળ લોહીમાં પ્લેટલેટ્સને ચીપકવાથી રોકે છે. તથા હ્રદયની બિમારી અને સ્ટ્રોકથી પણ બચાવે છે. ગુગળ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સ ઓછુ કરે છે. ગુગળ ત્રણ મહિનામાં 30 ટકા કોલેસ્ટ્રોલને ઘટાડી શકે છે. ગુગળનો પ્રયોગ ઘૂંટણના દુખાવામાં પણ લાભદાયી છે.

જો કોઈ પ્રકારનો ઘાવ છે અને તે રૂજાતો ન હોય તો ગુગળના ચૂરણને નાળિયેરના તેલમાં અથવા ઘી માં પીસીને લેપ બનાવી લેવો અને ઘાવ પર લગાવવામાં આવે એટલે માત્ર ત્રણ જ દિવસમાં ઘાવ બિલકુલ રૂજાય જાય છે. કાનમાં કીટાણું હોય અને તે મરી નથી રહ્યા તો ગુગળની ધુમાડો કાનમાં લેવાથી કાનના કીટાણું મરી જાય છે.

કોઈપણ પ્રકારનો ટ્યુમર છે તો તેના માટે ગુગળ ગરમ પાણીમાં પીસીને ટ્યુમર પર લગાવવામાં આવે તો મટી શકે છે. 600 થી 1200 મીલીગ્રામ રોજ સવારે સાંજે સેવન કરવાથી આ રોગમાં રાહત મળી શકે છે.  કબજિયાત ખુબ જ રહેતી હોય તેના માટે પણ ગુગળ એક રામબાણ ઈલાજ છે.

લગભગ 5 ગ્રામ ગુગળ અને 5 ગ્રામ ત્રિફળાચૂર્ણ સાથે ગરમ પાણીનું સેવન કરવાથી કબજિયાત દૂર થઇ જાય છે. લાંબા સમયથી કબજિયાત હોય તો પણ દુર થઇ જાય છે અને શરીરમાં આવતા સોજા પણ મટી જાય છે. કોઈપણ પ્રકારની શરીરમાં ચરબી છે તો ચરબી દૂર કરવા માટે શુદ્ધ ગુગળને 1 થી 2 ગ્રામ ગરમ પાણીની સાથે રોજ રાત્રે ત્રણ વાર સેવન કરવાથી તમારી ચરબી ઉતરી શકે છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Scroll to Top