95% લોકો નથી જાણતા આ ફળના આટલા બધા ફાયદા, પાચન અને ડાયાબિટીસ જેવા રોગો માટે માત્ર આ રીતે કરો ઉપયોગ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

પોતાને વાઇરસથી અને બેકટિરિયા થી બચાવવા માટે પુરી રીતે સક્ષમ રહેવું જોઈએ તેની સાથે ઇમ્યુનીટી વધારવા ની જરૂર છે એવા માં ઘણા ઉપચાર છે જે ઇમ્યુનીટી વધારે અને બેક્ટેરિયા થી લડવા માટે મદદ કરે છે આ ઉપચારો માં થી એક છે જામફળ જે શિયાળામાં સ્વાસ્થય માટે કોઈ વરદાન થી ઓછું નથી.

જામફળ હાઈ એનર્જી ફ્રૂટ છે જેમાં વધુ પ્રમાણમાં વિટામિન અને મિનરલ્સ જોવા મળે છે. આ તત્વો શરીર માટે ખૂબજ જરૂરી હોય છે. જામફળ માથી વિટામીન બી-9 મળે છે જે ડીએનએ સુધારવા માટે ખુબજ મદદરૂપ થાય છે. જામફળમાં રહેલા પોટેશિયમ અને મેગ્નીશીયમ હૃદય અને સ્નાયુઓને તંદુરસ્ત રાખે છે અને અનેક બિમારીઓથી પણ બચાવે છે.

જો રોગ પ્રતિકારક ક્ષમતા વધારવા માંગો છો, તો જામફળનું સેવન ખૂબજ ફાયદાકારક થશે. જામફળનું નિયમિત સેવન કરવાથી શરદી ઉધરસ જેવી સમસ્યાઓ થવાનું જોખમ ઘટી જાઈ છે. જામફળમાં રહેલું વિટામીન એ અને ઇ આંખો, વાળ અને ચામડીને પોષણ આપે છે.

જામફળમાં રહેલું લાઈકોપીન નામનું ફાઇટો ન્યુટ્રિઅન્ટ્સ શરીરને કેન્સરના ખતરાથી બચાવામાં સહાયક બને છે. જમફળમાં બીટા કેરોટીન હોય છે જે શરીરને ચામડીને લગતી બિમારીઓથી બચાવે છે. જામફળના નિયમિત સેવનથી કબજ્યાત જેવી સમસ્યામાં રાહત મળે છે. જામફળના પાંદડાઓનું સેવન કરવાથી મોઢાના છાલાઓને દૂર કરી શકાય છે.

હૃદય સ્વાસ્થય ને સારું બનાવે છે જામફળ ઘણી રીતથી હૃદય ના સ્વાસ્થ્ય ને સુધારવા માં મદદ કરે છે ઘણા વૈજ્ઞાનિકો નું માનવું છે કે જામફળ ના પાન માં ઉચ્ચ સ્તરના એન્ટીઓક્સીડેન્ટ અને વિટામિન હૃદયને મુક્ત કણોના નુકશાનથી બચાવવામાં મદદ કરી શકે છે જામફળમાં પોટેશિયમ અને ધુલનશીલ ફાઇબર નું સ્તર ઘણું વધારે હોય છે જે હદય ને સ્વસ્થ રાખે છે.

જામફળથી માથાનો દુખાવો દૂર થાય છે. કાચા જામફળનો લેપ માથા પર લગાવવાથી જુનો માથાનો દુખાવો દૂર થાય છે. શિયાળામાં લોકોને શરદી થવાની સમસ્યા વધુ હોય છે. જામફળના સેવનથી શરદીની સમસ્યા દૂર થાય છે. શેકેલા જામફળ ખાવાથી શરદી ઉધરસ બન્નેની સમસ્યા દૂર થાય છે.

જામફળના પાંદડાંનો ઉકાળો કરીને પીવાથી મોંની બીમારીથી છુટકારો મળી શકે છે. જામફળ સંધિવાના રોગમાં ખૂબ જ ગુણકારી છે. જામફળના પાંદડાંનો લેપ લગાડવાથી સંધિવાની બીમારી મટી શકે છે. જામફળ માં જોવા મળતા શક્તિ શાળી એન્ટી ઓક્સીડેન્ટ કેન્સરના હાનિકારક પ્રભાવથી બચાવે છે.

જામફળમાં ભરપૂર પ્રમાણમાં પ્રોટીન અને ફાઇબર હોય છે. જામફળ ખાવાથી ડાયાબિટીસ ને પણ કંટ્રોલ કરી શકાય છે. બેઠાળું જીવનમાં લોકોને કબજીયાતની સમસ્યા હોય છે. જામફળનું સેવન કરવાથી કબજીયાતની સમસ્યા દૂર થાય છે અને જામફળના પાંદડા પેટની અગ્નિને શાંત કરે છે.

જામફળ માસિક ધર્મ ના દુઃખ ને દૂર કરે છે જામફળ ના પાનનો રસ માસિક ધર્મ માં પેટ નો દુઃખાવો ઓછો કરવા માં મદદ કરે છે. સફેદ કરતાં લાલ જામફળ વધુ નરમ અને મીઠાં લાગે છે. જામફળ ખાવામાં ટેસ્ટી હોવાની સાથે સાથે વજન ઓછુ કરવામાં પણ મદદરૂપ છે. તેમા કેલેરી ખૂબ ઓછી અને ફાઈબર ખૂબ વધુ હોય છે.

આ ઉપરાંત તેમાં વિટામિન્સ પણ સામેલ હોય છે. ખાસ કરીને તેમાં વિટામિન-સી ભરપૂર માત્રામાં હોવાથી તે એન્ટિસ્કોરબ્યુટિક છે. આ ઉપરાંત જામફળ એન્ટિડાયેરિયલ, એન્ટિબેક્ટેરિયલ, એન્ટિઓક્સિડન્ટ, હેમોસ્ટેટિક, સિડેટીવ ગુણધર્મ ધરાવે છે, જેના કારણે તે અત્યંત આરોગ્યપ્રદ ફળ ગણાય છે. ખાટુમીઠું આ ફળ સલાડમાં ઉમેરવાથી તેનો સ્વાદ વધી જાય છે તો તેનું શાક પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે.

એક જામફળમાં 112 ટકા કેલરી હોય છે. જેનાથી ઘણા સમય સુધી ભૂખ લાગતી નથી અને ધીરે ધીરે વજન ઘટવુ શરૂ થઈ જાય છે. વિટામિન એ આંખોને સ્વસ્થ રાખવાનુ કામ કરે છે. જામફળમાં જોવા મળતા પોષક તત્વ મોતિયાબિંદ બનવાની શક્યતાને ઓછા કરે છે. જામફળ ખાવાથી નબળી આંખોની રોશની વધવા માંડે છે. મોઢામાંથી દુર્ગંધ આવે છે તો જામફળના કોમળ પાનને ચાવો.

જો તમે જામફળનુ સેવન સંચળ સાથે કરો છો તો તેનાથી પાચન સંબંધી પરેશાની દૂર થાય છે. બાળકોના પેટમાં કીડા પડી ગયા છે તો તેમને જામફળ ખાવા માટે આપો. કબજિયાતની સમસ્યા છે તો ખાલી પેટ પાકેલુ જામફળ ખવડાવો. પિત્તની સમસ્યામાં પણ જામફળ ખાવુ ખૂબ લાભકારી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top