વગર ડોક્ટરે શરદી-તાવ, નસકોરી, માથાનો દુખાવો, નાકના ઇન્ફેકશનનો 100% અસરકારક ઈલાજ છે આ ક્રિયા, જાણીને તમે પણ રહી જશો દંગ….!!

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

જળનેતિ એક મહત્વપૂર્ણ શરીર શુદ્ધ કરવાની યોગ ક્રિયા છે તેમાં પાણીથી નાકની સફાઈ કરવામાં આવે છે અને તમને સાઈનસ, શરદી, તાવ, પોલ્યુશન જેવી સમસ્યાથી બચાવે છે. જળનેતિમાં મીઠાવાળા ગરમ પાણીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમાં પાણીને એક વિશેષ જળનેતિ પોટથી નાકના એક કાણામાંથી પાણી નાખવામાં આવે છે અને બીજા નાકથી કાઢવામાં આવે છે. પછી આ ક્રિયાને બીજા નસકોરાથી કરવામાં આવે છે. જળનેતિ એક એવો યોગ છે તેમાં પાણીથી નાકની સફાઈ કરવામાં આવે છે અને નાકને લગતી અનેક બીમારીઓથી છુટકારો મળે છે. આજે આપણે જાણીશું જળનેતીથી થતાં લાભો વિશે.

શરદી, ખાંસી અને ઉધરસ થવાની શક્યતા હોય કે થઈ હોય તેવા સમયે જળનેતિ એક સારો ઉપાય છે. જળનેતિ કરવાથી ખાલી તમારી શરદીની સાથે સાથે ગળામાં થતો કફ મોં માંથી અથવા મળ દ્વારા સરળતાથી નીકળી જશે અને તમને કોઈપણ તકલીફ  થશે નહીં.

નિયમિત રીતે જળનેતિ કરવાથી ઝેરીલા પદાર્થ શરીર માંથી બહાર નીકળી જાય છે. આંખોની રોશની વધે છે. ચશ્માની જરૂર પડતી નથી. ચશ્માં હોય તો ધીમે ધીમે નંબર ઓછા થતા થતા નીકળી પણ જાય છે. શ્વાસોશ્વાસ નો રસ્તો ચોખ્ખો થઇ જાય છે. માથામાં તાજગી રહે છે. તાવ -શરદી થવાની શક્યતા ઓછી રહે છે.

જળનેતિની ક્રિયા કરવાથી દમ, ટીબી, ખાંસી, નસકોરી, બહેરાશ વગેરે નાની મોટી 1500 બીમારીઓ દુર થાય છે. જળનેતિ કરવાવાળાને ખુબ લાભ થાય છે. મન પ્રફુલ્લિત રહે છે. તેનાથી અનિંદ્રા, અતીનીન્દ્રા, વાળ સફેદ થવા તથા વાળ ઉતરવા વગેરે રોગ દુર થાય છે. તેનાથી મસ્તક સાફ થાય છે અને તણાવ મુક્ત રહીએ છીએ.

તમારે યાદશક્તિ વધારવી છે તો જળનેતિ ખુબ જ લાભદાયક છે. નાકના રોગ તથા ખાંસીમાં અસરકારક રહે છે. જળનેતિ આંખ વધુ તેજસ્વી થઇ જાય છે. આંખ વિકાર જેવા અને દુખવું, રતાંધળા તથા ઓછું દેખાવું, આ બધી તકલીફો નો ઈલાજ જળનેતી છે.

જો તમે ખુબ જ માથાના દુખાવાથી પરેશાન છો તો જળનેતીની ક્રિયા ખુબ લાભદાયક છે. અનિદ્રા થી પીડાતા વ્યક્તિને તેનો નિયમિત કાર્ય કરવું જોઈએ. સુસ્તી માં જળનેતી ક્રિયા ખુબ લાભદાયી થાય છે. જો તમારે વાળને ખરતા બંધ કરવા છે તો જળનેતી ક્રિયા કરવી જરૂરી છે. જળનેતી વાળને સફેદ થવાથી અટકાવે છે.

જળનેતી કરવાથી વારે ઘડીએ નસકોરી ફૂટવાનું બંધ થાય છે. જળનેતીથી કાનના રોગો અને બહેરાશમાં પણ ફાયદો થાય છે. જો ચેહરા પર ખીલ છે, તેનાથી રોમછિદ્રમાં જામેલી ગંદગી અને સીબમ સરળથી નિકળી જશે અને તમારી ત્વચા સાફ થઈ જશે. જળનેતી લેવાથી તેની વરાળ ત્વચાની ગંદકી હટાવીને અંદર સુધી ત્વચાની સફાઇ કરે છે. હવે આપણે જાણીશું જળનેતિ કરતી વખતે રાખવામાં આવતી સાવચેતી વિશે.

જળનેતિમાં શું સાવચેતી રાખવી ?

જળનેતિ કરતી વખતે પાણીને પૂરેપૂરું બહાર નીકળવા દો કેમ કે પાણી અંદર રહેવાથી શરદી કે માથાનો દુઃખાવો થઇ શકે છે. જળનેતિ પછી કપાળભાંતિ કે ભસ્ત્રિકા પ્રાણાયામ જરૂર કરો. અતિશય શરદી થઈ હોય તો જલનેતી કરવી નહીં.

પોટમાં વધારે પડતું ગરમ પાણીના લેવું હૂંફાળું પાણી લેવું. જળનેતિ પછી નાકને સૂકવવામાટે ભસ્ત્રિકા પ્રાણાયામ કરવા જોઈએ. નાકના એક કાણું બંધ કરીને ભસ્ત્રિકા કરવી અને બીજા કાણામાં દોહરાવો અને ત્યાર પછી બન્ને ખુલ્લા રાખીને કરો.

જળનેતિ દરમિયાન શ્વાસ મોઢેથી લેવો નાકનો જરા પણ ઉપયોગ ન કરવો. નાકને સૂકવવા માટે અગ્નીસાર ક્રિયા પણ કરી શકાય છે. નાકને ખુબ જોરથી ન લૂછવું જોઈએ કેમ કે મીઠું હોવાથી બળતરા અને દુઃખાવો થઇ શકે છે.

બહેનોઓએ ખાસ માથાના વાળ દુપટ્ટા હેર બેન્ડથી બાંધેલા રાખવા. જળનેતિ દિવસમાં જ્યારે પણ અનુકૂળતા હોય ત્યારે કરી શકો છો. જેટલી વાર જરૂરિયાત હોય તેટલી વાર કરી શકો છો. સવારનો સમય ઉત્તમ.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top