Site icon Ayurvedam

ઘરે બેઠા જ હદય અને કિડની સાફની સફાઇ કરી તેને લગતા દરેક પ્રકારના રોગ માંથી છુટકારો મેળવવા જરૂર અપનાવો આ આયુર્વેદિક ઉપચાર

કિડની આપણા શરીરને ડિટોક્સિફાય કરવાનું કામ કરે છે. તે પેશાબ દ્વારા શરીરમાંથી કચરો, ઝેરી અને વધુ પ્રવાહીને ફ્લશ કરે છે. જો શરીરમાં લોહી શુદ્ધ કરનાર કિડનીને સ્વચ્છ ન રાખવામાં આવે તો પેટમાં દુખાવો, તાવ, ઉબકા અને ઉલટી જેવી ગંભીર સમસ્યાઓમાં વધારો થઈ શકે છે, જેમાં પેશાબની વિકૃતિઓનો સમાવેશ છે.

હૃદય ની ગમે તેટલી નળી બ્લોક થઈ હોય તો આ કરવાથી સાફ થય જશે. ૦૧.ગ્રામ તજ ,૧૦. ગ્રામ કાળા મરી આખા,૧૦. ગ્રામ તમાલપત્ર આખા,૧૦. ગ્રામ મગજતરી ના બી,૧૦. ગ્રામ સાકર,૧૦. ગ્રામ અખરોટ,૧૦. ગ્રામ અળસી ઉપરોકત તમામ વસ્તુઓ ને મિક્ક્ષર માં પીસી પાવડર બનાવી આ પાવડર માં થી દસ પડીકી બનાવો દરરોજ હુફાળા ગરમ પાણી સાથે સેવન કરો એક કલાક સુધી કઈ પણ ન લેવું ચા પણ લેવી નહિ. આ દવા થી હૃદય ની ગમે તેટલી નળી બલોક થઈ હશે તો પણ ખુલી જશે .

એક મોટી ચમચી ઓર્ગેનિક મઘ લો. એક નાનકડી ચમચી દળેલી હળદર, નાની ચમચી વાટેલો આદુ, એક કપ પાણી, અડધો કપ નારિયળનુ દૂધ, પાણીને ગરમ કરીને આદુ અને હળદરને 10 મિનિટ ઉકાળી લો અને 1 કપમાં દૂધ અને મધ મિક્સ કરીને ચા ને નાખો. ચા ને રોજ ખાલી પેટ પીવી ખૂબ લાભદાયક હોય છે.

મકાઈના રેસાનો ઉપયોગ કિડનીને લગતી સમસ્યાઓ હલ કરવા માટે પણ થાય છે અને તેના ઉપયોગથી, મૂત્રાશયની સંક્રમણ,કિડનીમાં પથરી,અને પેશાબની અન્ય વિકારો દૂર થાય છે.અને તેને ઉપયોગમાં લેવાતી પદ્ધતિ નીચે મુજબ છે. એક કપ પાણીમાં બે નાના ચમચી મકાઈના રેસા ઉકાળો.અને ઉકળ્યાં પછી તેને દસ મિનિટ માટે રહેવા દો. ત્યારબાદ આ પાણીને ગાળી લો અને તેને મધ સાથે મિક્સ કરો.

મેથીનો ઉપયોગ સામાન્ય રીતે ખોરાકમાં થાય છે. પરંતુ મેથીમાં ઔષધીય ગુણ પણ હોય છે અને મેથીનો ઉપયોગ કિડનીમાં પથરીને રચનાને રોકી શકે છે. તે કિડનીમાંથી યુરિયાની માત્રા ઘટાડે છે અને હિમોગ્લોબિન ઉત્પન્ન કરે છે.

દરરોજ સવારે ખાલી પેટ પર મેથીનું પાણી પીવાથી પણ કિડની સાફ રહે છે અને કઈ વિકાર ઉત્પન્ન થતો નથી અને દરરોજ રાત્રે સુતા પહેલા એક કપમાં મેથી પલાળો  અને સવારે આ પાણી પીવો અને આ પાણી નિયમિત રીતે પીવાથી કિડની સંબંધિત રોગોની સંભાવના ઓછી થાય છે.

મખાના કિડની તથા હ્રદય માટે વરદાનરૂપ છે. મખાના માં નમકનું પ્રમાણ ઓછું હોવાના કારણે કિડની સાફ કરે છે અને મજબૂત બનાવે છે. આયુર્વેદ અનુસાર કિડની માટે લાભદાયી છે. મખાનાનું નિતમિત સેવન કરવાથી કબજિયાત જેવા રોગ પણ કંટ્રોલમાં આવે છે. મખાના શરીરની ગંદગી બહાર કાઢવામાં મદદ કરે છે. રોજે નિયમિત સેવન કરવાથી સાંધાના દુખવામાં રાહત કરે છે. અનિન્દ્રા જેવી સમસ્યા પણ દૂર કરવામાં મદદ કરે છે.

દહીંમાં પ્રોબાયોટિક બેક્ટેરિયા હોય છે.તે પાચનમાં સુધારો કરે છે. દહીંમાં જોવા મળતા પ્રોબાયોટીક બેક્ટેરિયા માત્ર કિડનીને જ સાફ કરે છે. એક મુઠ્ઠી ધાણાના પાનને સારી રીતે ધોઈ લો. તેના નાના નાના ટુકડા કરી 1 લીટર પાણીમાં નાખો. તેમા થોડો અજમો પણ મિક્સ કરી લો. ઘાણાના પાન, અજમો અને પાણીને ધીમા તાપ પર 10 મિનિટ સુધી પકવો. તેને ઠંડુ કરી દરરોજ ખાલી પેટ એક ગ્લાસ સતત સેવન કરવાથી પેશાબ સાથે બધી ગંદકી બહાર આવવા માંડે છે.

તાજો લીમડો, ગિલોયનો રસ ઘઉના જ્વારનો રસ આ ત્રણેય 50 50 ગ્રામ મિક્સ કરીને સવાર સાંજ ખાલી પેટ પીવો. તેને પીવાના 1 કલાક સુધી કશુ ન લેશો. સતત સેવન કરવાથી કિડની ઠીક થઈ જાય છે. કિડનીને સ્વચ્છ રાખવા માટે આદુની ચા ખૂબ જ લાભદાયક સાબિત થાય છે.

જીરું પણ કિડનીની સફાઈ માટે છે. ઉત્તમ દાળમાં વઘારે તડકા માટે વપરાતું જીરું પણ કિડનીની સફાઈ માટે ખૂબજ ફાયદાકારક છે. લીંબુના 4-5 સ્લાઇડ સાથે જીરું અને ધાણા મિક્સ કરીને ઘરે ડિટોક્સિફાઇંગ ડ્રિંક તૈયાર કરી શકાય છે. કિડનીની ઝડપી સફાઇ માટે આ પીણું ખૂબ અસરકારક છે.

તંદુરસ્ત વ્યક્તિએ રોજ ૨ લિટર (૧૦-૧૨ ગ્લાસ)થી વધુ પાણી પીવું. પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવાની ટેવ શરીરમાંથી બિનજરૂરી કચરો અને ક્ષારને દૂર કરવા જરૂરી છે. પથરીની તકલીફ થઈ હોય તેવી વ્યક્તિએ રોજ ૩ લિટરથી વધારે પ્રવાહી લેવું જોઈએ.

લાલ દ્રાક્ષ લાલ દ્રાક્ષ એ કિડનીની સફાઇ માટે સારો ઉપયોગી છે. પણ તેમાં વિટામિન સી મળી આવે છે.લાલ દ્રાક્ષમાં વિટામિન સી અને વિટામિન બી 6 પણ જોવા મળે છે અને પોટેશિયમ, કેલ્શિયમ, ફોલેટ અને આયર્નથી ભરેલા લાલ દ્રાક્ષ ખાવાથી પેટની સમસ્યાઓ અને થાક અને કબજિયાત થતી નથી. તે કિડનીના બધા ઝેરી તત્વોને બહાર રાખે છે અને સ્વસ્થ રાખે છે.

Exit mobile version