શું તમે જાણો છો હિપ્નોટિજમ ની હકીકત? અનેક બીમારીઓ થી મળી શકે છે છૂટકારો , અહી ક્લિક કરી જરૂર જાણો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

હિપ્નોટિઝમ બહુ પ્રચંડ શક્તિ છે. એના દ્વારા વ્યક્તિને તેમ જ સમૂહને વશમાં કરી શકાય છે. હિપ્નોટિઝમનો પૉઝિટિવ ઉપયોગ પણ થઈ શકે છે. અને નેગેટિવ ઉપયોગ પણ થઈ શકે છે. એક વખત સામેની વ્યક્તિને કે સમૂહને વશમાં કરી લીધા પછી તેની પાસે આપણે આપણું ધારેલું કાર્ય આસાનીથી કરાવી શકીએ છીએ.

હિપ્નોટિઝમ દ્વારા ઘણાં ઉત્તમ પરિણામો લાવી શકાય છે. હતાશા હોય ત્યાં ઉત્સાહ છલકાવી શકાય છે, ગેરસમજ ટાળી શકાય છે, જીવવાનો નવો તરવરાટ પ્રગટાવી શકાય છે, પોતાના લક્ષ્ય અને મંઝિલ સુધી દોડવાનો થનગનાટ જગાડી શકાય છે. હિપ્નોટિઝમનો રચનાત્મક ઉપયોગ થાય તો ઘણા લોકોના રોગો પણ દૂર કરી શકાય છે.

જો આ જ પ્રચંડ શક્તિનો દુરુપયોગ કરવામાં આવે તો અનેક વિનાશક અને ભયાનક અંજામ જોવા પડે છે અને વેઠવા પણ પડે છે. જેને કશી લાલચ નથી, જેને કોઈ સ્વાર્થ નથી, જેને કશું વધારાનું કે ઝડપથી મેળવી લેવાની વૃત્તિ નથી એવી વ્યક્તિ હિપ્નોટિઝમથી બચી શકે છે.

હિપ્નોટીઝમ એ વશીકરણ નથી. માટે તેનાથી આપણે કોઈપણ વ્યક્તિને વશમાં ન કરી શકીએ . આપણી આસપાસ થઇ રહેલી ઘટનાઓ ને આપણે સારી રીતે જોઈ શકીએ છીએ, સમજી શકીએ છીએ, તે અવસ્થાને આપણે જાગ્રત અવસ્થા કહીએ છીએ કે જાગ્રત મન કહીએ છીએ. જાગ્રત અવસ્થામાં માણસ તર્ક, દલીલો, સવાલ, જવાબ જેવી વસ્તુઓ વિચારી શકે છે.

પૂરા દિવસ દરમિયાન તમારી સાથે ઘણી બધી ઘટનાઓ બનતી હોય છે. તમે ઘણી બધી ચીજ-વસ્તુઓ જોતા હોય તેને આપણે નજર અંદાજ કરી દેતા હોઈએ છીએ. પણ અમુક સમય પછી આપણે મગજ પર જોર લગાવીને તેને યાદ કરીએ તો ફરી એ ઘટના યાદ આવી જાય જોયેલી ચીજ વસ્તુઓ યાદ આવી જાય. આ અવસ્થાને અર્ધજાગૃત અવસ્થા કહેવાય છે. અર્ધ જાગ્રત અવસ્થા એટલે કે અગાઉ બનેલી ઘટના તથા જોયેલી વસ્તુઓ ફરિયાદ કરવાની ક્ષમતા.

સબકોન્સિયસ માઈન્ડ ની વાત ચાલી રહી છે, તો તેની એક ખાસ બાબત પણ તમને જણાવી દઈએ કે, તમારે તમારી યાદશક્તિ વધારવી હોય તો તમારે તમારા સબ્કોન્સિઅસ માઈન્ડ એટલે કે અર્ધજાગ્રત મનની શક્તિ વધારવી જોઇએ. અને તે શક્તિ વધારવા માટે તમારે ધ્યાન કરવું જોઇએ તેનાથી તમારી યાદ શક્તિ તેમજ સબ કોન્સીયસ માઈન્ડની શક્તિ વધશે.

અચેતન મગજ કે ચેતન અવસ્થા આપણી કોઈ એવી કડવી યાદો ઈચ્છાઓ અને ડર હોય કે જેના વિશે આપણે વિચારવા પણ નથી માગતા. ત્યારે તેને મનમાં દબાવી દેતા હોઈએ છીએ. આ બાબતો આપણા મનમાં અનકોન્સીયસ માઈન્ડમાં જતી રહે છે જેના વિશે આપણને કોઈ ખબર રહેતી નથી. તેને અચેતન અવસ્થા કહે છે જેમ કે, તમને કોઇ તમારા નાનપણની વાતો યાદ કરવાનું કહે તે તમને યાદ જ ના આવે. તમે જોયેલા સપનાઓ ઉઠતાની સાથે જ ભુલી જાઓ છો આ બધું અચેતન અવસ્થામાં હોય છે માટે આવું થતું હોય છે

હિપ્નોટીઝમ માં માણસના કોન્સીયસ માઈન્ડને નિંદ્રા અવસ્થામાં લઈ જવામાં આવે છે. જ્યારે આપણું કોન્સીયસ માઈન્ડની સૂઈ જાય છે. ત્યારે કોઈપણ માહિતી ડાયરેક્ટ અન્કોઇનસિયસ માઈન્ડમાં જઈ શકે છે.

હિપ્નોટીઝમ વ્યક્તિની અમુક ઇન્દ્રિય જેવી કે, આંખ-કાન-નાક તે વ્યક્તિના અંકુશમાં જ રહે છે. તે વ્યક્તિ બોલવાની સાથે ચાલી અને લખી પણ શકે છે. હિસાબ પણ કરી શકે છે. એટલે જે કામ તે વ્યક્તિ જાગ્રત અવસ્થામાં કરી શકે છે તે બધા જ કામ આ અવસ્થામાં ડોક્ટર કે થેરાપીસ્ટના કહેવા પ્રમાણે કરે છે.

બધા જ લોકોને હીપ્નોટાઈઝ નથી કરી શકતા. જેમકે બધા વ્યક્તિને એક જ ટેકનિકથી હીપ્નોટાઈઝ નથી કરી શકતા. તેના માટે તેમના વ્યક્તિત્વના આધારે અલગ અલગ ટેકનીક કરી શકાય છે. જેમકે કોઈ માણસ ખૂબ જ લાગણીશીલ હોય અને આવું હોય તો તેને જલ્દીથી હિપ્નોટાઈઝ કરી શકીએ છીએ અમુક લોકો એવા પણ હોય છે, કે જેને તમે ઇચ્છો છતાં હીપ્નોટાઈઝ ના કરી શકો.

હીપ્નોટાઈઝ ના દ્વારા આપણે બીમારીઓથી છુટકારો મેળવી શકીએ છીએ. જેના માધ્યમથી કોઈ વ્યક્તિને ફોબિયા એટલે કે કોઈ વસ્તુનો ભય ડર લાગતો હોય જેમ કે અંધારૂ, કુતરા આગ કે ઉંચાઈ વગેરે તો તેવી વ્યક્તિને હીપ્નોટાઈઝના માધ્યમથી સારવાર આપીને તેમનો આ ફોબિયા હંમેશા હંમેશને માટે ભગાવી શકાય છે.

કોઈ વ્યક્તિને માનસિક રીતે હારી જવાથી નશાની ખરાબ આદત પડી ગઈ હોય તો હિપ્નોટીઝમ દ્વારા તે આદત પર અંકુશ લાવી શકાય છે. આ ઉપરાંત દર્દથી કાયમ માટે છુટકારો મેળવી મેળવવા તથા રાહત મેળવવા તેમજ માનસિક તણાવ ગાયબ કરવા અને વજન ઘટાડવા પણ આ મનોવૈજ્ઞાનિક રીતે ઉપયોગી બને છે આમ હિપ્નોટીઝમ એ આપણા માટે સહાય ભૂત મનોવિજ્ઞાનિક રીત છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top