ભયંકર રોગ નો કાળ છે આ શક્તિશાળી ફળ નું સેવન, 50 થી વધારે રોગો રહે છે કાયમ માટે દૂર, ડાયાબિટીસ ના દર્દીઓ  ખાસ વાંચે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

હાલના સમયમાં દરેક વ્યક્તિને થતા રોગોમાં પણ ફેરફાર આવ્યો છે. અત્યારે દરેક વ્યક્તિ કોઈને કોઈ બીમારી નો સામનો કરી રહ્યો છે. અત્યારના સમયમાં વૃદ્ધ લોકો કરતા યુવાન લોકોમાં વધારે બીમારીઓનો પ્રવાહ જોવા મળે છે. આજકાલ યુવાનો કેન્સર અને ડાયાબિટીસ  રોગોનો ભોગ બનતા હોય છે. જેમ આપણે ટેકનોલોજીમાં આગળ વધી રહ્યા છીએ. તેમ તેમ આપણે રોગોમાં પણ વધારો કરતા જઈએ છીએ.

પહેલાના સમયમાં અનેક રોગોના ઈલાજ શક્ય હતા નહીં. તે અત્યારના સમયમાં અનેક રોગોના ઈલાજ શક્ય છે. પરંતુ એવા ઘણા રોગ છે. તેનો ઈલાજ મેડિકલ દ્વારા શક્ય નથી. આજે જણાવીશું  ગુંદા નું સેવન કરવાથી તમારા શરીરમાં થતાં રોગ દૂર કરી શકાય.  ગુંદો એ ચીકણો , ભારે , પિચ્છિલ છે .સ્વાદે તે મધુર અને કંઈક અંશે તૂરો છે. તેની છાલ તૂરી અને કડવી છે. પચવામાં મધુર હોવાથી પિત્તશામક અને બૃહણીય ગુણ પણ ધરાવે છે તે ઠંડી પ્રકૄતિ ધરાવે છે.

ગૂંદો ડાયાબિટીસની સમસ્યા મા રાહત કરે છે. તેમ જ ગુંદા નો પાઉડર બનાવીને દરરોજ ગરમ પાણી સાથે સેવન કરવાથી ડાયાબિટીસમાં ઘટાડો નોંધાઈ છે. તે ઉપરાંત કિડનીની બીમારીઓમાં પણ રાહત ઉત્પન્ન કરે છે. ગુંદા લીવરની સમસ્યા પણ દૂર કરે છે ,ગરમ પાણીમાં તેનો પાઉડર મિક્સ કરીને પીવાથી લીવર ને લગતી તમામ સમસ્યાઓ દૂર થાય છે. તે ઉપરાંત ચામડીના રોગોમાં પણ ચામડી ઉપર તેની પેસ્ટ લગાવવાથી તેમાં રાહત મળે છે.

જો તમને કમળાની અસર થઈ ગઈ હોય તો ગુંદા નો પાવડર પીવાથી કમળાની અસર દૂર થાય છે. મરડો, ઝાડા જેવી પેટની તકલીફમાં છાલના ઊકાળાને છાશ સાથે નિયમિત દિવસમાં બે વાર આપવાથી પાચનતંત્ર ને સુધારીને આંતરડા મજબૂત કરીને જૂના મરડાની તકલીફને ઝડપથી મટાડે છે.

ગુંદાના ફળ એ કોઠાની સમસ્યા ઓછી કરનાર હોવાથી જેને કબજીયાતની ફરિયાદ હોય તેમણે નિત્ય ગુંદાનું સેવન કરવું જોઈએ. શાક તરીકે નિત્ય ખાવાથી આતરડામાં ચીકાશ પેદા થાય છે. જેથી તેની સમસ્યા  દૂર થતાં મળ સરળતાથી આંતરડામાં સરકી શકે છે.

જો મોઢામાં છાલા પડી હોય કે ચાંદા પડ્યા હોય તો તમારે ગુંદા નો પાઉડર લઈ તેના પાન લઇ અને ચાવી જવાથી મોઢાના ચાંદા દૂર થશે. જો તમને લોહીમાં ગાંઠો થઈ ગયા હોય તો ઓછામાં ઓછી ગુંદા ના દસ પાનનો રસ પીવો તેથી લોહીની ગાંઠ દૂર થાય છે. પેશાબ માં બળતરા થતી હોય તો પણ આ કામ આવે છે. ઉલટી થવાની તકલીફ હોય તો પણ આ પાનનો રસ પીવો.

વીંછીના ડંખ પર ગુંદાની છાલનો લેપ કરવાથી તેની અસહ્ય બળતરા ઓછી થાય છે અને વિષનો પ્રભાવ ઘટે છે. નાનાં જીવજંતુ, મધમાખી વગેરે નાં ડંખની ઝેરી અસરમાં ગુંદાની છાલનો લેપ તુરંત રાહત આપે છે. ગુજરાતના આદિવાસીઓ ગુંદાને સૂકવીને તેનું ચૂરણ બનાવે છે અને મેંદો, બેસન અને ઘી સાથે ભેગું કરીને લાડવા બનાવે છે. આ લાડવાને ખાવાથી આપણા શરીરને તાકાત મળે છે. અને સ્ફૂર્તિ મળે છે.

રોજ આ ફળ નું સેવન કરવાથી શરીર માં કોઈ પણ પ્રકાર ની ઉણપ રહેતી નથી અને ઘણી બીમારીમાંથી પણ છુટકારો મળી શકે છે. આ ફળ નું સેવન કરવાથી શરીર ને પર્યાપ્ત માત્રા માં ફસ્ફોરસ અને કેલ્શિયમ પોષક તત્વ મળે છે. જે શરીર ને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવી રાખવામાં મદદ કરે છે.

અછબડા ને કારણે શરીર પર રહી ગયેલા ડાઘ દૂર કરવા માટે પણ આપણા ફળના પાંન કામમાં આવે છે. તે ઉપરાંત ચામડી ઉપર વધારાની ફોડલી અને દાંતમાં દુખાવો પેટમાં દુખાવો વગેરે થતું હોય તો ત્યાં ગુંદા નો પાવડર લગાવવાથી તેમાં રાહત મળે છે.

ગુંદામાં એન્ટીઓક્સીડેન્ટ ભરપૂર હોય છે જેના કારણે એ તમારું મગજ તેજ કરે છે અને તેમાં આયર્નની માત્રા પણ વધુ હોય છે જેથી શરીરમાં લોહીની માત્રા વધારવામાં મદદ કરે છે. જો તમને ઊંઘ ની કોઈપણ સમસ્યા હોય તો તેમાં ગુંદા ના પાવડર માં ગોળ ઉમેરી અને સૂતા પહેલા ખાઈ લેવું જેથી તમને ઊંઘ આવશે.

રકત્તપિત્તના રોગમાં તેની પિત્તશામકતા દૂર કરવામાં ગુંદાના ફળ ખૂબ જ ઊપયોગી છે તેથી રકત્તપિત્ત્વાળા રોગીઓને પાકા ગુંદાનું શાક બનાવીને નિત્ય આપવામાં આવે તો રકત્તગત પિત્તનું શમન થાય છે અને આવા દર્દીમાં ગુંદા એ અતિ પથ્ય આહાર તરીકે ખૂબ જ લાભદાયી છે . કાચા ગુંદાનું શાક અને અથાણું પણ બનાવામાં આવે છે. પાકેલા ગુંદા ખુબજ મીઠા લાગે છે અને તેની અંદર ગુંદર જેવું ચીકણું પ્રવાહી હોય છે. ગુંદા મધ્ય ભારતના વન માં જોવા મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedamb. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top