ખાંડની બદલે ચા માં ઉમેરો આ વસ્તુ બની જશે 10 ગણી વધુ ફાયદાકારક અને શક્તિશાળી, પેટના દરેક રોગ માટે તો છે અમૃત સમાન

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શિયાળામાં ઘણા લોકો ગોળનું સેવન કરે છે. શિયાળામાં ગોળ નું સેવન કરવું ખૂબ ફાયદાકારક છે કારણ કે, તે ગરમ હોય છે. શિયાળાના દિવસોમાં ગોળની ચા પીવી ખૂબ ફાયદાકારક હોય છે. ગોળની ચા પીવાથી સ્વાસ્થ્યમાં મદદ મળે છે. શિયાળામાં ખાંડનું પ્રમાણ કોઈપણ રીતે ઘટાડવું જોઇએ.

પાચનની સિસ્ટમ ગોળની ચા થી બરાબર રહે છે. આ સિવાય તેમાં ખાંડની તુલનામાં ઘણા વિટામિન હોય છે, જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. ગોળવાળી ચા આધાશીશીમાં પણ રાહત આપે છે. ગોળમાં સારી માત્રામાં આયર્ન હોય છે જેના કારણે શરીરમાં લોહીની ઉણપ થતી નથી.

ગોળમાં વિટામિન, આયર્ન, કેલ્શિયમ, એન્ટી ઓક્સિડેન્ટ, એન્ટી વાઈરલ ગુણ હોય છે. આમાંથી તૈયાર કરેલી ચાનું સેવન રોગપ્રતિકારક શક્તિ વધારવામાં અને રોગોથી બચાવવામાં મદદ કરે છે. આજે અમે તમને ગોળવાળી ચા પીવાથી થતા ફાયદાઓ વિશે જણાવીએ છીએ. પરંતુ તે પહેલાં આપણે ગોળની ચા બનાવવાની રીત જાણીએ…

સામગ્રી : 2-4 લોકો માટે પાણી – 1 કપ, દૂધ – 2 કપ, ગોળ, – 3-4 ચમચી, ચા પત્તી – 2 ચમચી, વરિયાળી – 1 ચમચી, આદુ પાવડર – 1/2 ચમચી, નાની એલચી પાવડર – 1/2 ચમચી, કાળા મરીનો પાવડર – 1/2 ચમચી.  બનાવવાની રીત : પહેલા બાઉલમાં પાણીમાં એલચી, વરિયાળી, કાળા મરી પાવડર, આદુ પાવડર અને ચાની ભૂકી ઉમેરો. ઉકળ્યાં પછી દૂધ ઉમેરો અને ફરી તેને ઉકળવા દો. ઉકાળ્યા પછી તેમાં ગોળ મિક્સ કરો.

ગોળનું મિશ્રણ કર્યા પછી ગેસ બંધ કરો અને ચાને ગાળી લો. એક વાત નું ધ્યાન રાખવું કે ચા ને લાંબા સમય સુધી ગોળ નાખીને ઉકાળો નહીં. નહીં તો ચા ફાટી શકે છે. તો ચાલો હવે જાણીએ આ ગોળની ચા પીવાના ફાયદાઓ. : એન્ટી ઓક્સિડેન્ટ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાયરલ ગુણોથી ભરપૂર ગોળનું સેવન કરવાથી આધાશીશી ના દુખાવામાં અથવા સામાન્ય માથાના દુખાવાથી રાહત મળે છે.

ખાસ કરીને ગાયના દૂધ અને ગોળ માંથી તૈયાર થયેલી ચા પીવાથી વ્યક્તિને થોડીવારમાં માથાના દુખાવાથી રાહત મળે છે. ગોળને કુદરતી ખાંડ માનવામાં આવે છે. અને તેનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. આ વજન વધારવાની સમસ્યાથી બચાવે છે. ખાસ કરીને શિયાળામાં લોકો ગોળની ચા પીવાનું પસંદ કરે છે. આવી સ્થિતિમાં ખાંડને બદલે ગોળ નો ઉપયોગ કરવો શ્રેષ્ઠ રહેશે.

ગોળની ચા નું સેવન કરવાથી પાચન સિસ્ટમ સારી રીતે કામ કરે છે. ગોળમાંથી તૈયાર કરેલી ચા નું સેવન કરવાથી પેટની સમસ્યા નું જોખમ ઓછું થાય છે. ગોળની ચા નું સેવન રોગો સામે લડવાની શક્તિ વધારવાની સાથે રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. ઉપરાંત, આખો દિવસ શરીર તાજું રહે છે.

આયરનથી ભરપૂર ગોળનું સેવન એનિમિયામાં મદદ કરે છે. આ સ્થિતિમાં એનિમિયાના દર્દીને ચાને ગોળ સાથે મેળવી પીવાથી ફાયદો થાય છે. આનાથી શરીરમાં લોહીનું પ્રમાણ વધે છે અને થાક અને નબળાઇ થી પણ રાહત મળે છે. ઉપરાંત, તે શરીરના તમામ અવયવો માં ઓક્સિજનની યોગ્ય માત્રામાં પહોંચે છે.

ગોળવાળી ચા પીવાથી મગજ શાંત રહે છે. ગોળવાળી ચા માં સ્ટ્રોંગ એરોમા અને હીલિંગ પ્રોપર્ટી હોવાથી તણાવમાંથી મુક્તિ મળે છે. એટલે જ જ્યારે આળસ આવતી હોય કે ઊંઘ આવતી હોય ત્યારે ચા આ ચા પીવી જોઈએ. હવે અમે તમને જણાવીશું વધારે પડતો ગોળ ખાવાથી શરીરને થતું નુકશાન : જો ગોળમાં પોષક તત્વો ભરેલા હોય તો પણ તેની ઉષ્ણતા ને કારણે તેનું મર્યાદિત પ્રમાણમાં સેવન કરવું જોઈએ. નહીં તો સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે.

ગોળ ખાવાથી બ્લડ શુગરનું પ્રમાણ વધે છે, કારણ કે લગભગ 10 ગ્રામ ગોળ માં 9.7 ગ્રામ ખાંડ હોય છે. જો તમે ડાયાબિટીસ સાથે સંઘર્ષ કરી રહ્યા છો તો ગોળ મર્યાદિત માત્રામાં ખાવો જોઈએ.  મોટેભાગે કેટલાક લોકોને તાજો બનાવેલો ગોળ ગમે છે. તાજો બનાવેલ ગોળ ખાવાથી તમારા પાચનમાં અસર થાય છે. જેના કારણે અપચો અને પેટમાં અસ્વસ્થતા ની સમસ્યા ઊભી થાય છે.

ગોળની તાસીર ગરમ છે. તેથી શિયાળામાં ગોળ ખાવો જોઇએ. આવી સ્થિતિમાં જો ઉનાળામાં ગોળ ખાવામાં આવે તો તેનાથી નાકમાંથી લોહી પણ નીકળી શકે છે. એટલું જ નહીં ઉનાળામાં ગોળ ખાવાથી પેટમાં રહેલી ગરમીને કારણે ત્વચા પણ બગડી શકે છે અને પેટની ગરમીને લીધે ચહેરા પર ખીલ પણ થઈ શકે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top