બસ કરી લ્યો આ એક કામ 1 કલાકમાં ગળાના દુખાવા, ઇન્ફેકશન-ખરાશ, અને ઉધરસ થઈ જશે જડમૂળથી ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ઋતુ બદલાતા જ ગળામાં ખરાશ આવવી સામાન્ય બાબત છે. ઠંડીમાં શરદી અને વાઇરલ ફીવર જેવી સમસ્યા પણ થવા લાગે છે, પરંતુ ગળાની ખરાશ વાઇરસને કારણે થાય છે. ઘણી વાર લોકો તેને આ સામાન્ય બાબત સમજીને નજરઅંદાજ કરે છે, પરંતુ આમ કરવાથી પરેશાની વધી શકે છે.

ગળામાં ઈંફેકશન અને ખાંસી શ્વસન તંત્રમાં કોઈ ખરાબી હોવાનો સંકેત કરે છે. જ્યારે ગળાના અંદરના ભાગમાં સોજો આવે ત્યારે ઉધરસ કે ગળું ખરાબ થઈ જાય છે. આવી સ્થિતીમાં શરદી પણ થઈ શકે છે. આ સમસ્યાને દૂર કરવા માટે આયુર્વેદમાં લસણ ખાવાની સલાહ આપવામાં આવે છે. ગળામાં જ્યારે સમસ્યા થાય ત્યારે ઠંડી વસ્તુઓનું સેવન કરવું નહીં. આ ઉપરાંત તેલવાળા પદાર્થ પણ ખાવા જોઈએ નહીં. આ સાથે જ નીચે દર્શાવેલા ઘરગથ્થુ ઉપચાર કરી સમસ્યાને દૂર કરી શકાય છે.

લસણ સૌથી વધારે ગુણકારી સાબિત થાય છે. કોઈ વ્યક્તિનું સ્વાસ્થ્ય સુધારવામાં લસણ ઉપયોગી સાબિત થાય છે. લસણમાં એલીસિન નામનું તત્વ હોય છે. આ તત્વ ઈંફેકશનના કારણે ઉત્પન્ન થતા જીવાણુંને મારે છે. ગળામાં ખરાશ હોય ત્યારે લીંબૂ પાણી પીવું લાભકારી રહે છે. એક ગ્લાસ પાણીમાં લીંબૂં, એક ચમચી ખાંડ અને ચપટી નમક ઉમેરી રોજ પી જવું.

તજ ગળાનો દુખાવો તો ઠીક કરે છે. તજવાળું દૂધ બનાવવા માટે એક પેનમાં દૂધ ગરમ કરો, તેમાં તજના લાકડાનો એક નાનકડો ટુકડો નાખો અને ગેસ બંધ કરી દો. ત્યાર બાદ તેમાં મધ મિશ્રિત કરી ગાળી લો. ગળાની ખરાશ અને દુખાવામાં આરામ મળશે. ગરમ પાણીના કોગળા કરવાથી ગળામાં થતા દુખાવાથી રાહત મળે છે. ઘણીવાર ગળામાં સોજો આવી જવાથી દુખાવો થાય છે. આવામાં સોજો ઘટે તે માટે ગરમ પાણીમાં નમક ઉમેરી અને તેનાથી કોગળા કરવા જોઈએ.

લીંબું પણ ગળાની ખરાશથી છુટકારો અપાવી શકે છે. લીંબુંની સ્લાઇસ પર મીઠું અને મરીનો ભૂકો છાંટો અને ત્યાર બાદ ધીમે ધીમે લીબું ચાટવું. ગરમ પાણીની સાથે લીંબુંના રસના મિશ્રણથી કોગળા પણ કરી શકો છો. મધના જીવાણુરોધી ગુણ ગળાની ખરાશ ઠીક કરી શકે છે. નવસેકા પાણીમાં એક કે બે મોટી ચમચી મધ મિશ્ર કરો અને તેને દિવસમાં ત્રણથી ચાર વાર પીવો. જો ગળામાં ખરાશ દૂર થાય તો સૂતા પહેલાં એક ચમચી મધ લો.

તમે જો રાત્રે સૂવાના ૧ કલાક પહેલા અને જમવાના ૧ કલાક પછી, એક ગ્લાસ દૂધ લેવાનું એની અંદર એક ચમચી હળદર નાખી અને બરાબર ઉકાળવાનું છે. ત્યારબાદ દૂધ ને થોડું થવા દેવાનું છે. ઠંડું થાય એટલે પીવાનું છે. આમ કરવાથી ગળાની અંદર જે કોઈ ઇન્ફેક્શન છે. તે થોડાક જ સમયમાં દૂર થઈ જશે.

તમે એક ચમચી હળદર લઈ અને સીધી મોઢાની અંદર મૂકી દેવાની, તો એ હળદર છે. એ ધીમે ધીમે ગળાના ભાગ ની અંદર ચોંટી જાય છે અને ધીમે ધીમે તે લાળ સાથે અંદર પડશે. એના કારણે ગળામાં જે કંઈ ઇન્ફેક્શન થયુ કે સોજો આવી ગ્યો હોય તો હળદરના કારણે એ સોજો ઓછો થઇ જશે.ત્રણ દિવસ આ ઉપાય કરવામાં આવેતો તમારા ગળામાં જે કંઈ સોજો કે ઇન્ફેક્શન હોય, એ ત્રણ દિવસની અંદર બિલકુલ મટી જશે.

પેટની સમસ્યા હોય કે ગળાની આદુ આ સમસ્યાને દૂર કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. આદુમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. આ ગુણના કારણે ગળાનો સોજો અને દુખાવો દૂર થાય છે. એટલે આદુનું સેવન ગળાની સમસ્યા હોય ત્યારે કરતાં રહેવું. લવિંગમાં એંટીબેક્ટીરીયલ ગુણ ભરપૂર પ્રમાણમાં હોય છે. તેને ચાવવાથી ગળાનો સોજો અને ખરાશ દૂર થાય છે.મુલેઠી ચાવવાથી પણ ગળાની સમસ્યા દૂર થાય છે. વાતાવરણમાં પરિવર્તન થવાના કારણે ગળાની સમસ્યાઓ થતી હોય તો તેમાં મુલેઠીનો ટુકડો મોંમાં રાખી તેનો રસ ગળે ઉતારવો. 1થી 2 દિવસમાં આરામ મળી જશે.

બાવળની છાલને પાણીમાં ઉકાળવાથી આ પાણી સાથે કોગળા કરવાથી ગળાના સોજા મટે છે.જેઠીમધ શિયાળામાં થતી સમસ્યાઓ માટે રામબાણનું કામ કરે છે. સાથે જ તેના ઔષધીય ગુણ ઘણી સમસ્યાઓમાં લાભકારક છે. સિઝનલ ચેન્જિસમાં ગળામાં ઈન્ફેક્શન અને દુખાવો થાય તો જેઠીમધનું ચૂર્ણ મોંમાં રાખી ચૂસવાથી તરત આરામ મળે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top