કોઈ એવો રોગ નથી જે આ અમૃત થી ઠીક ન થાય. કોઈ પણ પ્રકાર ના તમારા રોગ નો ઈલાજ રહેલો છે આમાં

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ભારત ના શાસ્ત્રોમાં ઋષિ મુનીઓએ ગાયોની અનંત મહિમા વર્ણવી છે.  આ એ દેશ છે જ્યાં દરેક ધર્મ ની માન્યતા જોવા મળશે. ગાય એ આપેલું દૂધ, દહીં, ઘી, ગોબર આપણને કેટલું કામ આવે છે પણ આ વાત ખુબ ઓછા લોકો જાણે છે કે ગાય નું મૂત્ર આયુર્વેદ ની દ્રષ્ટિથી ખુબ જ ખાસ માનવામાં આવ્યું છે. ગાયના દૂધ દહીં, માખણ, ઘી, છાશ, તેમજ મૂત્રથી ઘણા રોગો દુર કરી શકાય છે. જેમાંથી ગૌમૂત્રને એક મહાઔષધી કહીએ તો પણ ખોટું નથી. તેમાં પોટેશિયમ, મેગ્નેશિયમ, ક્લોરાઈડ, ફોસ્ફેટ, અમોનિયા, કેરોટીન સ્વળ ક્ષાર વગેરે જેવા પોષક તત્વો રહેલા છે. તેથી તેને મહાઔષધી માનવામાં આવે છે.

ગાય ના દૂધ થી ગાય ના ગોબર સુધી દરેક વસ્તુ ખુબ જ કામ ની હોય છે. એટલું જ નહિ તેને  સૌથી શુદ્ધ પણ માનવામાં આવે છે જયારે પણ કોઈ ના ઘર માં કોઈ મંગળ આયોજન હોય છે અથવા હવન હોય છે તો શુદ્ધિ ની માટે ગાય નું ગોબર અને ગૌમૂત્ર નો ઉપયોગ કરવામાં આવે છે. ગૌમૂત્ર શુદ્ધિ જ નહિ પરંતુ બીજા પણ ઘણા કામો માં ઉપયોગ કરવામાં આવે છે. ગૌમૂત્ર નું સેવન રોજ કરવામાં આવે તો કેન્સર જેવી બીમારી માં પણ જીવવાની રાહત આપી શકે છે.

ગૌમૂત્રની માત્રા ઋતુ પર આધાર રાખે છે. તેની પ્રકૃતિ ગરમ હોય છે. તેથી ગરમીની ઋતુમાં ગૌમૂત્રનું પ્રમાણ ઓછું રાખવું જોઈએ. ગૌમૂત્ર હમેશા નિશ્વિત તાપમાન પર રાખવું જોઈએ. ગૌમૂત્ર કાંચ કે માટીના કે સ્ટીલના વાસણોમાં જ રાખવું જોઈએ. ગૌમુત્રનો ઉપયોગ ઔષધ માટે કરતા પહેલા હંમેશા આ બાબતોનું ધ્યાન રાખવું. હંમેશાને માટે સ્વસ્થ દેશી ગાયના ગૌમૂત્રનો જ ઉપયોગ કરવો. જો ગાય પ્રેગનેન્ટ હોય, બીમાર થઈ ગઈ હોય અથવા તો વૃદ્ધ થઈ ગઈ હોય તો તેના ગૌમૂત્રનો ઉપયોગ ન કરવો.

સવારે જો અડધા કપ પાણીમાં ગૌમૂત્ર સાથે મીઠું અને લીંબુનો રસ ભેળવીને પીવામાં આવે તો ગેસ થતો નથી. તેનાથી જુનામાં જુનો ગેસ કે રોગ દુર થાય છે. આ ગૌમૂત્ર નું સેવન કરવાથી ઘણા પ્રકારના ની ત્વચા ની એલર્જી, એગ્જીમા, ગુમડા, ચામડી ઉખડવી, જેવી પરેશાની નો ઈલાજ થાય છે. આનું સેવન કરવાથી રોગપ્રતિરોધક ક્ષમતા નો વિકાસ થાય છે. ગૌમૂત્રનું સેવન કરવાથી પેટ ની બીમારી, લોહી ની શુદ્ધિ, ટીબી ની બીમારી ના ઈલાજ થાય છે. વાત, પિત્ત અને કફ દુર કરવાની ક્ષમતા દેશી ગાયના મૂત્રમાં હોય છે.

ગૌમૂત્ર શરીરમાં પ્રવેશ કરી ગયેલા ઘણી જાતના જીવાણુઓનો નાશ કરે છે આયુર્વેદ મુજબ શરીરમાં ત્રણ દોષોના ગોટાળાને લીધે બીમારીઓ ફેલાય છે, પણ ગૌમૂત્ર પીવાથી બીમારીઓ દુર થઇ જાય છે. ગૌમૂત્ર પીવાથી હ્રદય તાકાતથી કામ કરે છે જેનાથી લોહી સારું અને શુદ્ધ બને છે. જો દુઃખાવા વળી જગ્યા ઉપર ગૌમૂત્રનો શેક કરીએ તો આરામ થાય છે. શિયાળામાં તમે ગૌમૂત્ર ને સુંઠ સાથે પીવો, લાભ થશે. અડધા કપ પાણી ની અંદર બે ચમચી ગૌ-મૂત્ર, એક ચમચી સાકર અને એક ચપટી જેટલું મીઠું ભેળવીને પીવાથી પેટની સમસ્યામાંથી રાહત મળે છે.

ગૌમૂત્રનો ઉપયોગ તીવ્ર એસિડિટી, અલ્સર, કબજીયાત અને પેટના દૂખાવામાં ફાયદાકારક થાય છે આ સાથે પિત્તના દર્દીઓ માટે ગૌમૂત્ર અને પાણીને સરખા પ્રમાણમાં લઇને પીવાથી પણ ઘણો ફાયદો થાય છે. ગૌમૂત્રને નિયમિતપણે પીવાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે. અને તેને પીવાથી રોગો દૂર રહે છે. આથી બિમારીઓ શરીરમાં આવી શકતી નથી.ગૌમૂત્ર ચામડીની ઘણી મુશ્કેલીઓ દૂર કરે છે. જો ચામડી પર સફેદ ડાઘા હોય તો ગૌ મૂત્રથી ચામડી પર માલિશ કરવી જોઇએ.એનાથી સફેદ ડાઘા દૂર થશે. ઉપરાંત ધાધર, ખંજવાળ અને ખરજવાંની જગ્યા પર રોજ ગૌમૂત્ર લગાડવાથી રાહત મળતી હોય છે.

જો આંખોની નીચે કાળા ધબ્બા થઇ ગયા હોય તો આંખોની નીચે રોજ-સવારે માત્ર ગૌમૂત્ર લગાડવું. એનાથી એ કાળા કુંડાળા દૂર થઇ જે છે. જો ગૌમૂત્ર ન મળે તો તેના અર્કનો પણ ઉપયોગ કરી શકાય. ઉપરાંત ગૌમૂત્રનું સેવન ફુલાઈ ગયેલા પેટને પણ ઘટાડવામાં મદદ કરે છે. ગૌમૂત્રનું સેવન કરવાથી તમારી ચરબી પણ ઘટાડી શકાય છે. અડધા ગ્લાસ પાણીમાં ચમચી ગૌમૂત્ર, 2 ચમચી મધ તથા 1 ચમચી લીંબુનો રસ મિક્સ કરી તેનું રોજ સેવન કરવું તેનાથી તમારી વધારાની ચરબી દુર થાય છે અને વજન પર નિયંત્રણ લાવી શકાય છે.

ગૌમૂત્રથી તાવમાં પણ ફાયદો થાય છે તથા જો કોઇ વ્યક્તિ ગંભીર અને લાંબી બિમારી થી પીડાતો હોય તો તેણે ઓછામાં ઓછા ૩ મહિના સુધી તો ગૌમૂત્ર પીવાનું રાખવું જ જોઇએ. જ્યારે નાની બિમારી માટે ૨ અઠવાડિયા કે ૧ મહિનાસુધી ગૌમૂત્ર પીવાથી પીડીતને ઘણો આરામમળે છે. સવારે જમવાના એક કલાક પહેલાં અડધો કપ ગૌમૂત્ર પીવાથી બવાસીર, સંધિવા, સાંધાના દુખાવો, આર્થરાઇટીસ, હદયની બિમારી અને કેંસર જેવી બિમારીઓમાં ફાયદો પહોંચે છે.તેનાથી ઠંડી, અસ્થમાં અને ટીબી જેવી બિમારીઓના ઉપચારમાં મદદ મળે છે.

ટીબીનો રોગી જો ડોટ્સની દવાઓની સાથે ગૌમૂત્ર પણ પીવાનું શરુ કરે તો તેની અસરકારકતા ૨૦ ગણી વધી જતી હોય છે. માત્ર ગૌમૂત્ર પીવાથી ટીબીથી બિમારીને ૩ થી ૬ મહિનામાં ઠીક  કરી શકાય છે. જ્યારે ડોટ્સની દવાઓ અને ગૌમૂત્ર સાથે લેવાથી ટીબી માત્ર ૨-૩ મહિનામાં ઠિક થઇ શકે છે. મોતિયો, ગ્લુકોમા અને રેટિના ખસી જવું જેવી ગંભીર બિમારીઓની સાથે આંખ લાલ થઇ જવી આંખોમાંથી પાણી નીકળવું અને આંખ બળવીજેવી સમસ્યાઓમાં ગૌમૂત્ર પીવાથી ફાયદો થાય છે. ઉપરાંત ગૌમૂત્ર પીવાથી આંખોના ચશ્માના નંબર પણ ઉતારી શકાય છે.

મૂત્રપિંડના તમામ રોગો જેવા કે કીડની કામ કરતી બંધ થઇ જવી અને કીડનીની અન્ય સમસ્યાઓમાંથી છૂટકારો અપાવવામાં ગૌમૂત્રને અસરકારક માનવામાં આવ્યું છે. આ સમસ્યાઓથી છૂટકારો મેળવવા રોજ સવારના સમયે અડધો કપ ગૌમૂત્ર પીવું જોઇએ. જો દુઃખાવાની જગ્યાએ ગૌમૂત્રથી શેક કરવામાં આવે તો આરામ મળે છે. આ ઉપરાંત શરદીમાં પણ ગૌમૂત્ર પીવાથી તાત્કાલિક લાભ થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top