Site icon Ayurvedam

લોટ માં ભેળવી દો બસ આ એક વસ્તુ, ગેરેન્ટી સાથે ગેસ અને કબજિયાત જીવનભર ગાયબ

આજકાલ ના વર્તમાન સમય માં લેવાતો આડેધડ ખોરાક અને જંકફૂડ ને લીધે પેટ માં થતાં ગેસ અને કબજિયાત જેવી ભયંકર બીમારી થી લાખો લોકો પીડાય છે. આ બીમારી થી તમે તમારા દૈનિક કામ માં ધ્યાન પરોવી શકતા નથી. લોકો પ્રફુલ્લિત રહી શકતા નથી. એક કારણ એ પણ છે કે લોકો જેટલો હેવિ ખોરાક ખાય છે એ મુજબ ના તેમના શરીર ને કસ્ટ આપતા નથી એટલે કે જરૂરી કસરત, યોગાસન કરતાં નથી અને અધૂરા માં પૂરું કરતાં ઘણા લોકો મેંદા થી બનેલ જંકફૂડ ની સાથે સ્ટ્રોંગ ઠંડા પીણાં પીવે છે, જેને લીધે તેમની પાચન શક્તિ સાવ નબળી પડી જે છે, જેના લીધે કબજિયાત થાય છે.

આજના આર્ટિકલ માં અમે તમને આ ભયંકર બીમારી થી બચવા માટે નો અસરકારક ઉપાય બતાવા જઈ રહ્યા છીએ જે ખૂબજ આસન અને કાર્યરત છે. પેટ ની આ સમસ્યા દૂર કરવા માટે તમારે તમારા ઘઉ લોટ માં ઓટ્સ (જવ) નો પાવડર ભેળવી દેવાનો છે જે તમારા નજિક ની કરિયાના ની દુકાન માં આસાની થી મળી જશે.

આ માટે તમારે ત્રણ ભાગ લોટ માં એક ભાગ ઓટ્સ નો લોટ ભેળવવો અને તેની રોટલી બનાવવાની છે. લોટ માં ઓટ્સ નો લોટ ભેળવવાથી લોટ ની પૌષ્ટિકતા વધી જાય છે. એનાથી બનાવેલી રોટલી પચવા માં સરળ છે અને ગેસ કબજીયાત જેવી બીમારી થી રાહત મળે છે. આ નુસ્ખા નો ઉપયોગ કરવાથી જિંદગી ભર આરામ મળી શકે છે. હવે આપણે જવ / જુવાર (ઓટ્સ) ના પાવડર ખાવાની સાથે સાથે તેનું પાણી પીવાના કયા કયા ફાયદા છે એ જાણીએ

મોટાપા, ગેસ અને કમર ની ચરબી ઘટાડો

વજન ને લગતી તફલિકો ની પરેશાની માં ખુબજ ઉપયોગી છે. જાવ નું પાણી  એવા તત્ત્વો ધરાવે છે જેના સેવન થી મેટાબોલિઝ્મ વધારવામાં ખૂબ મદદ મળે છે. જે વજન ઓછું કરવા માં ઉપયોગી છે જેના કારણે તમે સ્લિમ દેખાશો. જાડાપણુ કેવી રીતે ઓછું કરે છે, દ્રવ્ય અને અદ્રાવ્ય ફાયબર નો સ્ત્રોત હોઇ છે. જેના ગુણ થી પેટ ભરેલું મહેસૂસ થાય છે.

2 લિટર પાણી માં 2 મોટા ચમચા જવ નાખીને ઉકાળો. ઉકાળતા સમયે ઢાકણું સારી રીતે બંધ કરી દી જેથી જવ બફાય જાય. જ્યારે આં મિશ્રણ પાણી સાથે ભળી ને ગુલાબી રંગ નું થય જાય તો સમજી જાવ કે પીવા માટે તૈયાર થઈ ગયું છે, તેને ગાળીને રોજ સેવન કરો.તેમાં લીંબુ, મધ અને મીઠું પણ નાખી શકો છો.

છોળા વાળા માં વધારે ફાઈબર હોઇ છે જેને બનતા વાર લાગે છે એટલે છોળાં વગર નું બનાવવા માં આસાની રહે છે. જવ અને ચણા નાં લોટ ની રોટલી નાં સેવન થી કમર અને પેટ જ નહિ  આખા શરીર ની ચરબી ઓછી થાય છે.

યુરીનરી ઇન્ફેકશન, ડીહાઇડ્રેશન, શરીર ના ઝેરી પદાર્થો

આ મિશ્રણ ને (પોઇન્ટ 1 માં જણાવ્યા મુજબ નું મિશ્રણ)  પીવાથી પેટ ની ચરબી ઓછી થાય છે સાથે  ડીહાઇડ્રેશન ની સમસ્યા પણ નથી થતી. આ ઉપચાર યુરીનરી ઇન્ફેકશન માં પણ મદદરૂપ છે, આ કબજિયાત દૂર કરવાની સાથે સાથે અમા દોષ (આયુર્વદ મુજબ પેટ નાં ઝેરી અવાંછિત પદાર્થો) થી પણ રાહત આપે છે. આ અનાજ માં મૂત્રવર્ધક ગુણ હોઇ છે જે શરીર નાં ઝેરી પદાર્થો સાથે સરીર નું અતિરિક્ત પાણી પણ કાઢી દે છે.

હૃદય ની બીમારી માં

આમાં મળી રહેતા તત્વો કોલેસ્ટ્રોલ નું લેવલ ઓછું કરે છે, જેના કારણ થી હૃદય સબંધી કોઈ પણ બીમારી નહિ થાય. હૃદય ની બીમારી થવાનું મુખ્ય કારણ કોલેસ્ટ્રોલ લેવલ ઓછું હોવાનું છે.

ઇમ્યુનીટી સિસ્ટમ ને મજબૂત બનાવો

જવ માં એવા તત્ત્વો મળી રહે છે જે શરીર નાં ઝેરી પદાર્થો ને શરીર માંથી બહાર કાઢી દે છે. જેથી ઇમ્યુનીટી સિસ્ટમ મજબૂત બને છે, સાથે જ સ્કિન પણ નિખારે છે.

પેટ માં જલન

ગરમી ની સીઝન માં આં પીવાથી ઠંડક મળે છે. તમે મસાલેદાર ખાવાનું ખાતા હોઇ તો એ કારણ થી તમારા પેટ માં જલન થઈ શકે છે આં માટે તમે આ પાણી નું સેવન કરો તમારી પેટ સબંધી પરેશાની માં ફાયદેમંદ છે.

પગ ની સુજન

ગર્ભાવસ્થા દરમ્યાન સ્ત્રીને પગ માં સુજન થાય છે તેને ઓછી કરે છે, અને તેમની પગ સબંધી સમસ્યા ને દૂર કરે છે.

યુરીન ની સમસ્યા

પેશાબ સબંધી કોઈ પણ  સમસ્યા હોઇ તો જવ નાં પાણી નું સેવન કરવાથી ખૂબ ફાયદો થાય છે, આ તમારી પેશાબ સબંધી સમસ્યા  થી દુર રાખે છે.

જવ નું પાણી તૈયાર કરવાની વિધિ

જવ લગભગ (100 – 250 ગ્રામ) લો, તેને સાફ કરી લો અને 4 કલાક સુધી પલાળી રાખો. પછી આં પાણી ને 3 થી 4 કપ પાણી માં મિક્સ કરીને ધીમા આંચ પર  45 મિનિટ સુધી  ઉકાળો, ગેસ બંધ કરીને ઠંડુ થવા દો, પાણી ઠંડું કરીને એક બોટલ માં ભરી લો પછી તેને સેવન કરવા નાં ઉપયોગ માં લો, આ એક દિવસ નો પ્રયોગ છે. આ પ્રક્રિયા રોજ કરો જે  લાભ થશે. મોટાપા થી પીડિત લોકો કૃપા કરીને જંકફુડ છોડી દો.

Exit mobile version