શરીરનો કચરો સાફ કરી કબજિયાત અને ગેસથી છુટકારો મેળવવા કરી લ્યો માત્ર આનું સેવન, 100% દવા કરતાં છે વધુ અસરકારક

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

પાણી જીવમાત્રનું જ નહિ પરંતુ વનસ્પતિ ઈત્યાદી નું જીવન છે. પાણી વડે જ સઘળી સૃષ્ટિ નભી રહી છે. આમ છતાય પીવાના પાણીનો પ્રશ્ન ઘણો અગત્યનો અને મૂંઝવનારો છે. આપણા શરીર માટે હવા પછી બીજી જરૂરીયાત શુધ્ધ પાણીની છે. શરીર માં પોષણ અને રક્ષણ માટે ખાદ્ય પદાર્થો ઉપરાંત પાણી, અને પેય પદાર્થોની પણ એટલી જ જરૂર છે.ખોરાક વગર લાંબો સમય ચલાવી શકાય પરંતુ પાણી વગર લાંબો સમય ચલાવી શકાતું નથી.

મનુષ્ય ના શરીર માં ૭૦% જેટલું પાણી હોય છે. મનુષ્ય ના આરોગ્ય માટે પાણીનું ખુબ જ મહત્વ છે. વૈજ્ઞાનિક મત પ્રમાણે પાણી ના બે પ્રકાર છે, સખત પાણી અને નરમ પાણી જે પાણી માં ખનીજ ક્ષારો વધારે પ્રમાણ માં ભળેલા હોય છે તેને ‘સખત’ પાણી કે ‘કઠણ’ પાણી કહેવાય છે. તેનો સ્વાદ ખારાશ પડતો કે ફિક્કો હોય છે. જે પાણીમાં ક્ષર તત્વો ભળેલા હોતા નથી કે એકદમ ઓછા હોય છે તેને ‘નરમ’ પાણી કહેવાય છે. તેનો સ્વાદ મીઠો કે મધુર હોય છે.

દરરોજ સવારે ઉઠીને ગરમ પાણી પીવાથી પેશાબ સબંધિત દરેક સમસ્યા દૂર થાય છે. જેમકે, પેશાબ કરતી વખતે પીડા થવી, વગેરે જેવી સમસ્યા માંથી છુટકારો મળે છે.ગરમ પાણી અને લીંબુ તેમજ મીઠું નાખી સવારે પીવાથી ઝાડા કે મરડો થયો હોય કે ઝાડામાં ચીકાશ પડતી હોય તેવા દર્દીઓનો આમ અને ચીકાશ દૂર થાય છે, તેમજ ઝાડા અને મરડો મટે છે.

ગરમ પાણી ની નાસ અથવા બાફ લેવાથી શરીરે પરસેવો વળે છે, શરીર હલકું ફૂલ થાય છે. અને તાવ નું શમન થાય છે, તેનાથી શરદી અને માથાના દુખાવામાં પણ રાહત થાય છે. અવાડું ફૂલવું, મોઢું આવવું, દાંતની પીળા થવી, વગેરે મોઢાના દર્દોમાં ગરમ પાણીના કોગળા કરવાથી ફાયદો થાય છે.

ગરમ પાણી પીવાના ફાયદા જો તમે કબજીયાત અને ગેસ ની સમસ્યાથી પરેશાન વ્યક્તિઓએ દરરોજ સવારે ઉઠી ને અને રાત્રે સુતા પહેલા એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ખુબ જ ફાયદો થાય છે. દરરોજ સવારે એક ગ્લાસ ગરમ પાણી પીવાથી શરીર માં લોહીનું પરિભ્રમણ તેજ થઇ જાય છે. સાથે સાથે શરીર નું તાપમાન વધે છે, અનેપરસેવો વેળે છે. અને પરસેવો થવાથી આપણા શરીર ના ઝેરી પદાર્થો પસીના દ્વારા બહાર નીકળી જાય છે.

જો તમારી પાચન શક્તિ નબળી છે તો સવારે ભૂખ્યા પેટે અને રાત્રે જમ્યા પછી એક ગ્લાસ ગરમ પાણી પીવો થોડાક જ દિવસ માં પાચન ને લગતી તમામ સમસ્યાઓ દૂર થઇ જશે. ત્વચા ને ચમકદાર બનાવવા માગો છો તો દરરોજ સવારે ઉઠી ને એક ગ્લાસ નવસેકા પાણી માં અડધું લીંબૂ નાખીને પી જાઓ.

ઘણી વખત એવું થાય છે કે કઈ પણ જમ્યા વગર જ પેટ ભરેલું ભરેલું લાગતું હોય, ત્યારે એક ગ્લાસ ગરમ પાણીમાં એક લીંબૂ નો રસ, કળા મરી, અને મીઠું નાખીને પીવાનું રાખો. આ મિશ્રણ વાળું પાણી પીવાથી પેટમાં ભારે ભારે લાગશે નહિ અને ભૂખ પણ લાગશે. માસિકધર્મ દરમિયાન જયારે ખુબ જ પીડા થતી હોય છે, ત્યારે ગરમ પાણી પીવાથી રાહત મળે છે. એક ગ્લાસ ગરમ પાણી માં અડધી ચમચી હળદર નાખીને પીવાથી ખુબ જ ફાયદો થાય છે જેમકે, કોલેસ્ટ્રોલ લેવલ સારું રહે છે, પાચનશક્તિ મજબૂત બને છે, શરીર માં શુગર બેલેન્સ રહે છે, ત્વચા માં નિખાર આવે છે, વગેરે.

ગરમ પાણી અને મધ પીવાથી પણ ઘણા બધા લાભો થાય છે. ચહેરા પરના ડાઘ,ધબ્બા, ખીલ આ બધી સમસ્યા શરીર માં પાણી ની ઉણપ ના લીધે જ હોય છે. શરીર માં પુરતું પાણી ના હોવાને કારણે જ આ બધી સમસ્યાઔ થાય છે. દરરોજ નિયમિત રીતે આંખો દિવસ નવસેકું પાણી પીવાથી આ બધી સમસ્યા માંથી સમય જતા છુટકારો મળી જશે.

ગરમ પાણીમાં લીંબૂ અને મધ નાખીને પીવાથી શરીર ની રોગ પ્રતિકારક શક્તિ માં વધારો થાય છે અને સાથે સાથે વજન પણ છો થાય છે. જો તમે નિયમિત રીતે દરરોજ ગરમ પાણી પીવો છો તો તમને ભવિષ્ય માં ક્યારેય કોઈ પરેશાની થશે નહિ અને હાડકા મજબૂત બનશે.ગરમ પાણીના નિયમિત સેવન થી ચહેરા પર જલ્દી કરચલીઓ પડતી નથી અને ચહેરા પર નિખાર આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top