ગાળાના ઇન્ફેકશન, પાચન, વજન ઘટાડવા જેવા 50થી વધુ રોગોથી કાયમી દૂર રહેવાનો આ છે અસરકારક ઉપચાર..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આપણા શરીરનો 60 ટકા ભાગ પાણીથી બનેલો છે. સ્વસ્થ અને સુંદર શરીર માટે પાણી પીવું ખરેખર જરૂરી છે. દિવસ દરમિયાન 10-12 ગ્લાસ પાણી પીવું જરૂરી છે અને જો પાણી ગરમ કરીને પીવામાં આવે છે, તો તેના ફાયદાઓ વધુ થાય છે. ગરમ પાણી પીવાથી શરીરમાં હાજર તમામ બેક્ટેરિયા બહાર નીકળી જાય છે અથવા મરી જાય છે.

દરેક વ્યક્તિએ ગરમ પાણી પીવુ જ જોઈએ. ગરમ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, તેથી જે લોકો વજન ઓછું કરવા અથવા પાચનક્રિયાને યોગ્ય રાખવા માગે છે, તેઓ ગરમ પાણી પીવે છે. તો ચાલો હવે અમે તમને જણાવીશું ગરમ પાણી પીવાથી આપણાં શરીને થતા અનેક ફાયદાઓ વિશે.

એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ, કાળા મરી અને મીઠું ઉમેરી પીવાથી પેટનું ભારે પણું દૂર થાય છે. અસ્થમા, આંચકી, ગળામાં ખરાશ જેવા રોગોમાં પણ ગરમ પાણી ફાયદાકારક છે. ગરમ પાણીનું નિયમિત સેવન કરવાથી બ્લડ સર્કુલેશન પણ ઝડપી થાય છે. પેટમાં ગેસ થયા કરતો હોય તો ગરમ પાણી પીવાથી ગેસ બહાર નીકળી જાય છે.

મહિલાઓને પીરિયડ્સ દરમિયાન કે જો પેટમાં દુખાવો થતો હોય તો એક ગ્લાસ ઉકાળેલું પાણી પીવાથી દુખાવામાં રાહત મળે છે. વળી માસિક શરૂ થવાના દિવસોમાં પેટમાં દર્દ થાય છે ત્યારે ગરમ પાણીમાં ઈલાયચી પાવડર મિક્સ કરીને પીઓ. આનાથી માસિકનું દર્દ તો દૂર થશે પણ શરીર, પેટ અને માથાના દુખાવામાં પણ રાહત મળશે.

ગરમ પાણી શરદી-તાવ અને કફ માં પણ બહુ ફાયદાકારક હોય છે. જો તમે શરદી, તાવ અને ગળામાં કફ ની સમસ્યા થી પરેશાન છો તો દિવસ માં ઓછા થી ઓછા 4-5 વખત ગરમ પાણીનું સેવન કરો. થોડા જ સમયમાં આરામ નો અનુભવ થશે. ગરમ પાણી વજન ઘટાડવામાં પણ ખૂબ મદદ કરે છે, રોજ સવારે ખાલી પેટ ગરમ પાણીમાં 1/2 લીંબુ અને એક ચમચી મધ મિલાવી ને પીવાથી શરીર પાતળું થાય છે.

જો કોઈને પથરી થઈ હોય તો તેને દરરોજ રાત્રે એક ગ્લાસ ગરમ પાણી પીવું જોઇએ. જેના કારણે પેશાબના માર્ગ થી પથરી ધીમે થી બહાર આવવા લાગે છે. દરરોજ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ પાણી પીવાથી વાળ ખૂબ સુંદર બને છે. ગરમ પાણી પીવાથી વાળમાં ચમક અને શક્તિ આવે છે. જે તેમને વધારે સુંદર બનાવે છે.

કબજિયાત ની સમસ્યા થી પરેશાન લોકો ને રોજ સવારે ઉઠ્યા પછી એક ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ. ક્યારેક ક્યારેક શરીરમાં પાણીની કમીથી પણ કબજિયાત ની સમસ્યા થવા લાગે છે. સવારે ગરમ પાણી પીવાથી શરીરનો કચરો સરળતાથી બહાર નીકળી જાય છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

દરરોજ રાત્રે એક ગ્લાસ ગરમ પાણી પીવાથી હૃદયરોગ થતો નથી અને હૃદય તંદુરસ્ત રહે છે. તેથી દરરોજ એક ગ્લાસ ગરમ પાણી પીવો. જો તમને ભૂખ લાગતી નથી અથવા તમારું પાચન યોગ્ય રીતે થતું નથી, તો તમારે દરરોજ સૂવાનો સમય પહેલાં એક ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ. આ ભૂખ અને પાચનશક્તિની ખોટની સમસ્યાને દૂર કરશે. ભૂખ વધારવામાં પણ ગરમ પાણી ખૂબ જ ઉપયોગી છે.

ગઠીયા અને સાંધાઓના દર્દથી મોટી સંખ્યામાં લોકો પરેશાન રહે છે. જે લોકોને સાંધાઓના દર્દ, માંસપેશીઓમાં એંઠન, ગઠીયા વગેરેની ફરિયાદ રહે છે તેમને સવારે ખાલી પેટે એક ગ્લાસ ગરમ પાણી પીવાની ટેવ રાખવી જોઈએ. તેનાથી થોડાક જ દિવસોમાં તમને આરામ મળશે. ગરમ પાણી આપણા શરીરના તાપમાનને તેજીથી વધારે છે.

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top