ફૂડ પોઈજનના શિકાર થઈ જાઓ તો ગભરાઓ નહી, અજમાવો આ સરળ ઉપાય અને દરેક ને શેર કરી જાણવો જેથી દરેક લાભ લઈ શકે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

તહેવારોની સિઝન માં અને લગ્ન પ્રસંગ માં લોકો સ્વાદ નો છટકો લેવામાં પાછા નથી પડતા, અને ખબર નથી રહેતી કે કેટલું અને કેવું ખાવું. પ્રસંગો માં વધારે  પડતું ખાવા ના કારણે પેટ ના રોગો જેવા કે એસિડિટી અને ક્યારેક ફૂડ પોઈઝનિંગ જેવી સ્થિતિનો સામનો કરવો પડે છે. તેલ-મસાલાવાળું ખાવાનું ખાઈને તહેવારો બાદ આવી સ્થિતિનો સામનો કરવો પડી શકે છે.

ઘણા એવા કિસ્સાઓ પણ સામે આવ્યા છે કે લગ્ન માં જમણવાર્ માં દૂધ ની આઇટમ ખરાબ થઈ ગઈ હોય તો એક સાથે ઘણા બધા લોકો ફૂડ પોઈસિંગ નો ભોગ બને છે. ફૂડ પોઈઝનિંગમાં ઝાડા-ઉલટી, એસિડીટી જેવી સમસ્યાઓ થાય છે.

ફૂડ પોઇજન થવાની સમસ્યા માં  મહત્વ ભૂમિકા ખોરાક માં રહેલા બેક્ટેરિયા થી થાય છે . શરીર ની પાચનશક્તિ માં પચી ના શકે તેવા આહાર લેવાથી તેની આડ અસર શરીર માં પ્રસરે છે . ફૂડ પોઇજન  દ્વારા શરીર ના તમામે અવયવો ને અસર કરેછે. શરીર માં તાવ આવવો ઉલ્ટી થવી ઝાડા થઈ જવા  પેટ માં બેચેની થવી આ ફૂડ પોઈઝનિંગ અસર દર્શાવે છે.

તુલસી એક ઉત્તમ ઔષધ છે:

તુલસી માં રહેલ રોગોણુરોધી  સૂક્ષ્મ જીવથી લડે છે. તુલસી ફૂડ પોઈઝનિંગથી રાહત આપવામાં ખૂબ અસરકારક છે. પહેલા તુલસીના પાનાનો રસ કાઢી લો. તેમાં એક ચમચી મધ ઉમેરીને ખાવાથી ફાયદો થશે. તુલસી ના પણ ને  મોમાં ચાવીને પણ ખાઈ શકો છો .જેથી ફૂડ પોઇજન ને અટકાવી શકે છે .

દહી :

દહીં એક એન્ટિબાયોટિક છે જેને ડાયટમાં સામેલ કરવું જ જોઈએ. દહીં ખાવાથી ફૂડ પોઈઝનિંગમાં આરામ મળે છે. દિવસ દરમિયાન ઓછામાં ઓછું એક વાટકી દહીં ખાઓ. ઠંડીમાં વધારે દહીં ખાવાથી ગળાને નુકસાન થઈ શકે છે. તેમાં થોડું સંચળ  કે ધાણાજીરું અને મીઠું નાખી ખાઈ શકો છો. એક વાટકી દહીંમાં તુલસીના પાન, કાળી મરી પાવડર  અને મીઠું નાખી ખાઈ શકો છો. તેથી દહીં સ્વાદ માં પણ સારું લાગે છે.

આદું :

થોડું આદું વાટી લો. એક ગ્લાસ પાણી ગરમ કરવા મૂકો તેમાં વાટેલું આદુ મિક્સ કરો. જ્યારે પાણી ઉકળી જાય ત્યારે આ પાણીને ધીમે-ધીમે પીવો. થોડા સમયમાં જ ફાયદો થશે. જ્યારે ફૂડ પોઈઝનિંગ થાય ત્યારે શરીરમાંથી પાણી ઉલ્ટી અને ઝાડા રૂપે બહાર નીકળી જાય છે. ત્યારે એક ગ્લાસ પાણીમાં અડધું કાપેલા લીંબુનો રસ અને થોડું મધ ઉમેરીને પીવો. દિવસમાં ત્રણ વખત આ પ્રકારે પાણી પીવાથી રાહત મળશે.

લીંબૂમાં એંટી ઈંફ્લેમેટરી, એંટીબેક્ટીરિયલ અને એંટીવાયરલ ગુણ હોય છે. તેથી તેને પીવાથી ફૂડ પોઈઝનિંગ વાળા બેકટીરિયા મરી જાય છે. ખાલી પેટ લીંબૂ પાણી બનાવીને પી શકો કે ઈચ્છો તો ગરમ પાણીમાં લીંબૂ નિચાડીને પીવાથી ફાયદો થાય છે. ફૂડ પોઈઝનિંગને દૂર કરવા માટે બ્લેક ટી પીવાથી ફાયદો થાય છે. દિવસમાં બે વખત બ્લેક ટી પીવી જોઈએ.

એપલ વિનેગર :

સરફજનના સિરકામાં મેટાબૉલિજ્મ રેટ વધારવાના તત્વ હોય છે. ખાલી પેટ તેનો સેવન કરવા પર આ ખરાબ બેક્ટીરિયાને મારવામાં મદદ કરે છે. તેથી સફરજનનો સિરકાનો સેવન કરવું જોઈએ . લસણમાં એંટી ફંગલ ગુણ હોય છે. સવારે ખાલી પેટ લસણની કાચી કળી પાણી સાથે ખાઈ શકાય છે. તેનાથી પણ ફૂડ પોઈઝનિંગ રાહત મળશે.જેથી લસણ ખાવું જોઈએ. ફૂડ પોઈઝન માં મોસંબી ને પણ ખાઈ શકો છો. મોસંબી માં રહેલ રસ થી પણ રાહત મળી શકે છે.

ફૂડ પોઈઝનિંગને દૂર કરવા માટે કેળાં પણ ખાઈ શકાય છે. કેળાં માં કેલ્સિયમ નું પ્રમાણ પણ વધારે હોવાથી તે પણ લઈ શકાય છે.  પેટ માં ઠંડક માટે છાશ ને પી શકાય છે . છાશ માં વધારે ખટાસ ન હોવી જોઇયે . બજાર માં મળતા રેડી મેડ મેડિકલ સ્ટોર માંથી ઓઆરએસ પણ પાણી સાથે લઈ શકો છો .

ઇનો પણ પી શકાય છે. જે પેટ માં રાહત માટે તત્કાલિન રાહત આપે છે. પાણી માં વરિયાળી નાખેને ગરમ કરીને પણ પીવાથી ફૂડ પોઈઝનિંગ માં રાહત મળે છે. ફૂડ પોઈઝનિંગને દૂર કરવા માટે હિંગ પણ ખાય શકાય છે.વધારે તફલિક લગતી હોય તો સત્વરે નજીક ના વૈધ કે ડોક્ટર ની સલાહ લેવી આવશ્યક છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top