દવા કરતાં પણ વધુ કામ આપે છે આ રસ, બ્લડપ્રેશર અને દરેક પ્રકારના સોજા માટે તો છે રામબાણ..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

ડુંગળીમાં વિટામિન A, B6, B કોમ્પ્લેક્સ અને C પણ મળી આવે છે. ડુંગળીમાં આયર્ન, ફોલેટ અને પોટેશિયમ જેવા તત્વો પણ પર્યાપ્ત માત્રામાં હોય છે. સામાન્ય રીતે ડુંગળી, લસણ, આદુ જેવી વસ્તુઓ દાળ-સબ્જી ને સ્વાદિષ્ટ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે.

ડુંગળીમા ઘણા ઉતમ તત્વો શામેલ છે જે શરીરને પોષણ આપે છે સાથે સાથે તે અનેક રોગોની દવા તરીકે પણ કામ કરે છે. તે ખોરાકને પચવા મા મદદ કરે છે અને શરીરની શક્તિ મા વધારો કરે છે. ડુંગળી એ એક સારો રક્ત વિકાર નાશક પણ છે.

ડુંગળીના રસનું સેવન બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામાં અસરકારક સાબિત થઈ શકે છે. તેમાં હાજર મેગ્નેશિયમની માત્રા બ્લડ પ્રેશર નિયંત્રણમાં રાખવા માટે ખૂબ મદદગાર માનવામાં આવે છે. તેથી, બ્લડ પ્રેશર માટે ડુંગળીનો રસ પ્રથમ સહાય તરીકે લઈ શકાય છે.

ડુંગળીનો ઉપયોગ ત્વચાની બળતરા ઘટાડવા માટે પણ કરી શકાય છે. આ સિવાય, રસના રૂપમાં તેનું સેવન કરવાથી પણ ખૂબ ફાયદાકારક અસર જોવા મળે છે. ડુંગળીના રસમાં હાજર એન્ટિ-ઇન્ફ્લેમેટરી નું પ્રમાણ તરત જ લોહીમાં ઓગળી જાય છે અને તે શરીરમાં બળતરા અસરગ્રસ્ત વિસ્તારને મટાડવા માટે ખૂબ જ ઝડપથી કામ કરે છે.

જો કાનમાં દુખાવો થતો હોય કે સોજો આવી જતો હોય તો ડુંગળી અને અળસીના રસના કાન માં બે ટીપાં નાખવાથી રાહત મળે છે. જો કોઈ ભાગ અગ્નિથી બળી જાય તો ડુંગળી કાપીને અસરગ્રસ્ત વિસ્તારમાં તરત જ લગાવી દેવી. ફેફસાને સ્વસ્થ રાખવા માટે ડુંગળીના રસ નો ઉપયોગ થાય છે, ડુંગળીનો રસ પેટ સંબંધિત સમસ્યાઓને પણ દૂર કરે છે. જો તમને શ્વાસ લેવામાં કોઈ પ્રોબ્લેમ થતી હોય તો તેના માટે ડુંગળીનો રસ ઉપયોગી સાબિત થાય છે.

કોલેરામાં  ઉલટી અને ઝાડા થાય ત્યારે કલાકે-કલાકે ડુંગળીના રસમાં થોડું મીઠું નાખી પીવાથી દર્દીને રાહત મળે છે. દર ૧૫-૧૫ મિનિટ પછી ડુંગળીના રસના ૧૦ ટીપા અથવા ૧૦-૧૦ મિનિટ પછી ડુંગળી અને ફુદીનો એક ચમચી રસ પીવાથી કોલેરાના રોગમાં રાહત થાય છે.

વાળને ખરતા અટકાવવા ડુંગળીનો રસ ખૂબ ફાયદાકારક રહે છે, તેનું એક કારણ એ છે કે ડુંગળીના રસમાં હાજર વિટામિન-બી નું પ્રમાણ વાળને લગતી વિવિધ સમસ્યાઓ થી સુરક્ષા આપે છે. જો તમે ઇચ્છો, તો તમે તેનો રસ વાળના મૂળમાં પણ લગાવી શકો છો.

ડુંગળીના રસનું સેવન મેમરી પાવર વધારવા માટે પણ અસરકારક છે. આનું એક વૈજ્ઞાનિક કારણ એ છે કે ડુંગળીના રસમાં ઓમેગા -3 ફેટી એસિડ્સ જોવા મળે છે, જે માનવામાં આવે છે કે તે મેમરીની ક્ષમતામાં સુધારો કરવા માટે અસરકારક છે. ડુંગળીમાં હાજર સલ્ફરનું પ્રમાણ રક્ત પરિભ્રમણ ને જાળવવા અને આપણા શરીરના તમામ ભાગોમાં જરૂરી માત્રામાં લોહી પહોંચાડવા માટે અસરકારક રીતે કાર્ય કરે છે.

ડુંગળીના રસને ગુલાબ જળ સાથે મિક્સ કરીને આંખોમાં બે ટીપાં નાખવાથી આંખને લગતી સમસ્યા નિવારી શકાય છે. જો ગળામાં ખારાશ, શરદી અથવા કફ આવે તો ગોળ અથવા મધ સાથે સફેદ ડુંગળીનો રસ પીવાથી દર્દી ઝડપથી ઠીક થાય છે. પરંતુ મોટી માત્રામાં વપરાશ ન કરો.

મધમાખીએ ડંખ માર્યો હોય તો ડુંગળીના રસથી તેની પીડા અમુક હદ સુધી ઘટાડી શકાય છે. આ ઉપરાંત જો વીંછીએ ડંખ માર્યો હોય તો તાજો ડુંગળીનો રસ અથવા તેની પેસ્ટ લગાવવાથી રાહત મળે છે. અને  બીજા જીવજંતુએ ડંખ માર્યો હોય તો પણ ડુંગળીના રસનો ઉપયોગ કરી શકાય છે. ડુંગળીની ગંધથી ઘરમાં રહેલા જીવ જંતુઓ દૂર ભાગે છે.

કેટલાક પુરુષોને ઓછા વીર્યની સમસ્યા હોય છે, જેને અમુક અંશે નપુંસકતા ના સંકેત તરીકે પણ માનવામાં આવે છે. જો તમે પણ આવી જ કોઈ સમસ્યાથી પીડિત છો તો આજે સફેદ ડુંગળીનો ઉપયોગ કરો. વીર્યની વૃદ્ધિ માટે સફેદ ડુંગળીના રસ સાથે મધ લેવાથી ફાયદો થાય છે. નપુંસકતા દૂર કરવા માટે, સફેદ ડુંગળીનો રસ, આદુનો રસ, મધ અને ઘી નું મિશ્રણ તૈયાર કરો અને આ મિશ્રણ દિવસમાં બે વાર સતત 21 દિવસ સુધી પીવો.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top