વ્યક્તિએ પોતાની ઉંમર પ્રમાણે દિવસ દરમિયાન કેટલા ડગલાં ચાલવું જોઈએ ? અહી ક્લિક કરી જાણી લ્યો સંપૂર્ણ વિગત

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સવારે ઊઠીને કે ઢળતી સાંજે ચાલવાનું એ શરીરને સ્ફૂર્તિલું અને રોગમુક્ત રાખવાનો સહેલામાં સહેલો ઉપાય છે. બીજી બધી હેવી કસરતો કરવાનો કદાચ કંટાળો આવી શકે, પણ વૉકિંગ અને જૉગિંગ એવી એક્સરસાઇઝ છે જે માત્ર કૅલરી બર્ન કરવાનું જ કામ નથી કરતી, એનાથી શરીરને બીજા ઘણાબધા ફાયદા પણ થાય છે. શરીરને હેલ્ધી રાખવા માટે થોડીક ફિઝિકલ ઍક્ટિવિટી ખૂબ જરૂરી છે. બીજી કોઈ કસરત આવડતી ન હોય, એ કરવાનું ગમતું ન હોય કે શરીરની ફ્લેક્સિબિલિટી ઓછી હોય તો તમે કસરતરૂપે રોજ ૪૫ મિનિટ ચાલવાનું રાખી શકો. વૉકિંગ એવી નિદોર્ષ એક્સરસાઇઝ છે જેના માત્ર ફાયદા જ છે, કોઈ ગેરફાયદો નથી.

રોજ એકથી દોઢ કિલોમીટર જેટલું ચાલનારી વ્યક્તિનું અન્ય ન ચાલતી વ્યક્તિઓ કરતાં મૃત્યુનું રિસ્ક લગભગ અડધું હોય છે એવું જપાનના વૈજ્ઞાનિકોએ તારવ્યું છે. પાછલી ઉંમરમાં નિયમિત ચાલવાનું રાખતી પ્રૌઢ વ્યક્તિઓને લાંબું અને સ્વસ્થ જીવન મળે છે.

રોજિંદી ક્રિયાઓ ઉપરાંત રોજ ૨૦૦૦ પગલાં ચાલવામાં આવે તો એ તમને મેદસ્વી થતાં અટકાવે છે એવું યુનિવર્સિટી ઑફ કોલોરાડોના સેન્ટર ફૉર હ્યુમન ન્યુટ્રિશનના રિસર્ચરોએ તારવ્યું છે. ડાયટ કન્ટ્રોલ ન પણ હોય ત્યારે વધારાની કૅલરીને બાળવા માટે એટલાં ડગલાં વધુ ચાલવું જોઈએ. આ માટે વૈજ્ઞાનિકોએ ૨૦૦ કૅલરી બાળવા માટે ૧૦૦૦ ડગલાં ચાલવું જોઈએ એવું કહ્યું છે.

જો તમે ઑલરેડી જાડા થઈ ગયા છો તો નિયમિત ચાલવાની આદત તમને વધારાની ચરબી ઉતારવામાં મદદ કરી શકે છે. ડાયટ કન્ટ્રોલની સાથે નિયમિત વૉકિંગ એક્સરસાઇઝ કરવામાં આવે તો વધારાની ચરબી ઓગળે છે, સ્નાયુઓ સ્ટ્રૉન્ગ થાય છે.

જ્યારથી કૅન્સરનો રોગ શોધાયો છે ત્યારથી ચાલ્યા આવતાં સંશોધનોમાં વૉકિંગ અથવા તો એક્સરસાઇઝને કૅન્સરને નાથવા માટે અગત્યનું પરિબળ ગણવામાં આવ્યું છે. બ્રેસ્ટ કૅન્સર, કોલોન કૅન્સર, પ્ર્રોસ્ટેટ કૅન્સર, ફેફસાંનું કૅન્સર તેમ જ હાડકાંના કૅન્સરનું રિસ્ક નિયમિત ચાલવાથી ઘટે છે. જેમને કૅન્સર થઈ ચૂક્યું છે તેમના માટે ટ્રીટમેન્ટરૂપે પણ ચાલવાનું ફાયદાકારક ગણાય છે. કેમોથેરપી ચાલતી હોય ત્યારે સાથે નિયમિત ચાલવાથી કેમોથેરપીને કારણે થતી આડઅસરોનું પ્રમાણ ઘટે છે.

ચાલવાથી લોહીના ભ્રમણ પર સીધી અસર પડે છે. શરીરમાં રક્તભ્રમણ સુધરવાથી રક્તવાહિનીઓની કાર્યક્ષમતા સુધરે છે. હૃદયમાં રક્તસંચાર નિયમિત થવાથી હૃદયની ધબકવાની ગતિ રિધમમાં આવે છે. રક્તવાહિનીઓમાં કૉલેસ્ટરોલ જમા થતો નથી. આને કારણે હાર્ટડિસીઝ અને સ્ટ્રોકનું રિસ્ક ઘટે છે. જેમને હાર્ટ ડિસીઝ ઑલરેડી છે તેમને પણ હૃદયની કાર્યક્ષમતા સુધારવામાં મદદ થાય છે.

મધુપ્રમેહ અને મેદસ્વિતાને સીધું લેણું છે. વજન વધવાથી શરીરમાં ચરબી વધે છે. ચરબીને કારણે શરીરની ચયાપચયની ક્રિયામાં અડચણો ઊભી થાય છે. એવું સાબિત થઈ ચૂક્યું છે કે મેદસ્વી લોકોને ડાયાબિટીઝ થવાનું રિસ્ક વધારે રહે છે. ચાલવાથી વજન ઘટે છે અને વધારે વજન ન હોય તો કન્ટ્રોલમાં રહે છે.  આને કારણે ટાઇપ-ટૂ પ્રકારનો ડાયાબિટીઝ થવાનું રિસ્ક ઘટે છે. જેમને ડાયાબિટીઝ થયેલો છે તેમને રોજ ૩૦થી ૪૦ મિનિટ ચાલવાથી લોહીમાં શુગરનું પ્રમાણ કાબૂમાં રહે છે એવું યુનિવર્સિટી ઑફ પિટ્સબર્ગના રિસર્ચરોએ તારવ્યું છે.

અમેરિકન વૈજ્ઞાનિકોએ નોંધ્યું છે કે રોજ સોળ મિનિટમાં એક માઇલની ઝડપે લગભગ ૪૫ મિનિટ જેટલું ચાલવામાં આવે તો એનાથી વિચારવાની ક્ષમતા સુધરે છે. વૈજ્ઞાનિકોએ ૬૦ વર્ષથી મોટી ઉંમરની વ્યક્તિઓમાં ચાલવાથી મગજની ક્ષમતાઓમાં પૉઝિટિવ ફેર પડે છે એવું નોંધ્યું છે. યુવાનીથી માંડીને પ્રૌઢાવસ્થા સુધી નિયમિત ચાલવાથી બુદ્ધિશક્તિ તેજ થાય છે અને યાદશક્તિ સુધરે છે. ઉંમર વધવાને કારણે મગજ ધીમું પડવા લાગે છે એને ચાલવાથી નિવારી શકાય છે.

આજકાલ મોટા ભાગના રોગોનું મૂળ સ્ટ્રેસ છે. ચાલવાથી શરીરમાં નૅચરલી જ એન્ડોર્ફિન કેમિકલ પેદા થાય છે. આને કારણે મૂડ સુધરે છે. નિયમિત ચાલવાથી નિરાશા, હતાશા કે ડિપ્રેશનનાં પ્રાથમિક લક્ષણોમાં ફાયદો થાય છે. સ્ટ્રેસ ઘટવાને કારણે જીવનમાં રુચિ વધે છે.

સામાન્ય રીતે ૩૫થી ૪૫ વર્ષની વચ્ચે શારીરિક સ્ટ્રેસ કે મેન્ટલ સ્ટ્રેસને કારણે શરૂ થતી ઇન્દ્રિય ઉત્થાનની તકલીફમાં ચાલવાથી ખૂબ ફાયદો થાય છે. રોજ બે કિલોમીટર ચાલવાથી પુરુષોમાં ઇન્દ્રિય ઉત્થાનની સમસ્યા નિવારી શકાય છે.

પાચનને લગતી કોઈ પણ સમસ્યા દૂર કરવા માટે ચાલવાનું એ સરળ અને અક્સીર ઉપાય ગણાય છે. ભૂખ લાગે એ માટે રોજ સવારે કે સાંજે ૪૫ મિનિટ ચાલવું જોઈએ. પાચન યોગ્ય ન થતું હોય તો જમ્યા પછી ઓછામાં ઓછું ૧૦૦ ડગલાં જેટલું ચાલવું જોઈએ. આમ કરવાથી પાચનની પ્રાથમિક તકલીફો જેવી કે અપચન, વાયુ, ઍસિડિટી, કબજિયાત જેવી તકલીફો દૂર થાય છે.

જમી લીધા બાદ થોડો સમય માટે ઝડપથી ચાલવાથી બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે. ડાયાબિટીસના દર્દીઓ માટે જમી લીધા બાદ ચાલુ ખૂબ જ જરૂરી છે. જમી લીધા બાદ ચાલવાથી તમારા શરીરમાં બ્લડ સર્ક્યુલેશન ઝડપી બની જાય છે, જેનાથી શરીરના બધા જ ફંક્શન ખૂબ જ સારી રીતે કામ કરતા રહે છે. જમી લીધા બાદ ચાલવાથી પાચનતંત્ર યોગ્ય રીતે ભોજન પચાવે છે, જેનાથી તમારું શરીર ભોજનના પોષક તત્વો અને યોગ્ય રીતે અવશોષિત કરી શકે છે.

રાત્રીના ભોજન બાદ ૨૦ થી ૩૦ મિનિટ સુધી ચાલવાથી તમને રાત્રિના સમયે સારી ઊંઘ આવે છે.ચાલવું તણાવ ઓછો કરવા માટે પણ સહાયક છે, એટલા માટે દિવસમાં જ્યારે પણ મોકો મળે ત્યારે જરૂરથી ચાલવું જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top