દમ-ઉધરસ , ગમેતેવા દુખાવા થી માત્ર 3 દિવસ માં છૂટકારો મેળવવા ઉપરાંત 50થી વધુ રોગોમાં રાહત માટે જરૂર બનાવો આ ચૂર્ણ અને માલિશ તેલ, આ ઉપયોગી માહિતી દરેકને શેર કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

શ્રાવણ માસમાં ભક્તો શિવજીને પ્રસન્ન કરવા માટે બિલીપત્ર, ધતૂરો અને પાણી ચઢાવે છે. માનવામાં આવે છે કે આ 3 વસ્તુઓથી ભગવાન ભોળાનાથ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. અને શ્રદ્ધાળુની મનોકામના પૂરી કરે છે. ભોળેનાથને ચઢાવવામાં આવતા ધતૂરામાં રહેલા ઔષધીય ગૂણોને કારણે શિવજીને તે ખાસ પ્રિય છે. આ એક એવો છોડ છે જેના મૂળથી લઈને ફૂલ સુધી દરેક તત્વ ઔષધિય ગુણોથી સભર છે.

ધતુરાને ફળ આવે ત્યારે કાપ પાડી થોડાં બી કાઢી તેમાં લવીંગ ભરી ફરી ફળ બંધ કરી દેવું . ફળ ઝાડ પર પાકીને સૂકાઈ જાય ત્યારે લવીંગ કાઢી લેવાં. જ્યારે દમનો હુમલો આવે ત્યારે આ લવીંગ અગ્નિ પર ફૂલાવી ખાઈ જવાં. તરત જ દમનો હુમલો હળવો પડશે.

ઉધરસ આવે પણ કફ છૂટો ન પડે પસીનો લાગે .ગભરામણ થાય, હાથ-પગ ઠંડા પડી જાય, ફેફસામાં કફનો અવાજ ચાલુ થઈ જાય . સૂવાનું મન તો થાય પણ સુવા જાય તો સાથે તકલીફ વધી જાય. ઉધરસ સાથે ક્યારેક કફ છૂટો પડે તો થોડી રાહ ત થાય, ધતુરો એ શ્વાસ રોગ નો એક આવું જ અસરકારક ઔષધ છે.

જો પગમાં સોજો આવી જતો હોય તો ધતૂરાના પાનને પીસીને લગાવવાથી સોજો ઓછો થાય છે.  અને રાહત મળે છે. જે લોકો સાંધાના દુ:ખાવાથી પીડિત હોય તે ધતૂરાના પંચાંગનો રસ નીકાળીને તેને તલના તેલમાં ઉકાળે. તે તેલથી માલિશ કરીને ઉપર ધતૂરાનું પાન બાંધી લો. આ દુખાવા માટે ધતુરા ના ફૂલ ને પીસી તેને જેતુન ના તેલ મા ભેળવી લેવા. આ તૈયાર કરેલ તેલ થી માલીશ કરવાથી સાંધા ના દુખાવા મા રાહત થાય છે. આ તૈયાર કરેલ તેલ નું માલીશ નિયમિત સાંજે કરી ત્યારબાદ સુવું. આવું કરવાથી ઝડપ થી આ સમસ્યા માંથી છુટકારો મળે છે.

કાનના દુ:ખાવામાં ધતૂરો ઘણો ફાયદાકારક સાબિત થાય છે. સરસવના તેલમાં ગંધકની સાથે સાથે થોડા ધતૂરાના પાનનો રસ મિક્સ કરો. પછી સ્લો ફ્લેમ પર તેને ગરમ કરો અને કાનમાં 2 ટીપાં નાખો.

જે મહિલાઓને ગર્ભધારણની સમસ્યા હોય તેમણે ધતૂરાના ફળનું 2.5 ગ્રામ ચૂરણ લઈને તેમાં અડધી ચમચી ગાયનું દૂધ મિક્સ કરીને દરરોજ મધ સાથે ચાટવું જોઈએ. આનાથી ગર્ભધારણ કરવામાં મદદ મળે છે.

જો મેલેરિયા તાવ આવે તો ધતૂરાના પાન અને કાળા મરી એક સરખા પ્રમાણમાં ગણીને પીસી લો અને આ ચૂરણની અડદની ગાળ જેટલી નાની-નાની ગોળીઓ બનાવી લો અને દિવસમાં 2 વાર 1-1 ખાઈ લો.

ધતૂરાના બીજને પીસીને તેમાં થોડા પ્રમાણમાં દાઢની ખાલી જગ્યામાં ભરો, તેનાથી દાંતના કીટાણુઓ નાશ પામે છે. અને દાંત ના દુખાવામાં રાહત મળે છે. આ ધતુરા ના પાન તડકા મા સુકાવા રાખી દો. જયારે આ પાન સાવ સુકાઈ જાય ત્યારે આ પાન ને મીક્ષર મા ભુક્કો કરી ચૂર્ણ બનાવી લો. હવે નિયમિત સવાર ના સમયે નવશેકા પાણી સાથે આ ચૂર્ણ ને આરોગો. આવું થોડા સમય કરવાથી હરસ ની તકલીફ માંથી કાયમ માટે છુટકારો મળશે.

આ ધતુરા ના રસ થી હળવા હાથે માથા મા માલીશ કરવાથી વાળ થી લગતી બધી જ મુશ્કેલીઓ ઝડપ થી દુર થાય છે. આ સાથે વાળ ની મજબુતાઈ પણ વધે છે.  અને સાથોસાથ વાળ સ્વસ્થ તેમજ ચમકદાર બને છે. જો વાળ ખરવાની તકલીફ હોય તો પણ આ રસ થી વાળ ખરતા બંધ થાય છે.

આ ધતુરા ના પાન, ફૂલ તેમજ તેના મૂળ ને વાટી ને એક ઘટ્ટ પેસ્ટ બનાવી લો. હવે આ તૈયાર કરેલ મિશ્રણ મા જરૂર મુજબ તલ નું તેલ ઉમેરવું, ત્યારબાદ આ તેલ યુક્ત મિશ્રણ ને શરીર મા થતા દુખાવા વાળી જગ્યા પર હળવા હાથે માલીશ કરવી. આવું કરવાથી થોડા જ સમય મા અસહ્ય પીડા માંથી મુક્તિ મળે છે અને નિયમિત આ મિશ્રિત તેલ નો ઉપયોગ કરવાથી શરીર તંદુરસ્ત રહે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top