Site icon Ayurvedam

મોંઘી દવાઓ કરતાં પણ વધુ અસરકારક ડાયાબિટીસ માથી કાયમી છુટકારો અપાવતું 100% અસરકારક ચૂર્ણ..

વધારે પડતો ચરબીવાળો ખોરાક અને બેઠાડુ જીવન ડાયાબિટીસને નિમંત્રણ આપે છે. તો ચાલો આપણે આજે જાણીએ ડાયાબિટીસને દૂર કરવાના વિવિધ ઘરેલુ ઉપચારો. ડાયાબીટીસમાં વારંવાર પેશાબ કરવાની તકલીફ હોય છે. એ દૂર કરવા દરરોજ સવાર-સાંજ 1-1 નાની ચમચી હળદરનો પાઉડર સાદા પાણી સાથે ફાકવો. એનાથી આરામ મળે છે.

દરરોજ 70-80 ગ્રામ સારા પાકા જાંબુ લઇ ચાર ગણા ઉકળતા પાણીમાં નાખી 15 મિનિટ સુધી રાખીને ગાળી, તેના ત્રણ ભાગ કરી દિવસમાં ત્રણ વાર થોડા દિવસ સુધી પીવાથી પેશાબમાં જતી સાકરનું પ્રમાણ ઘટે છે, લીવર કાર્યક્ષમ બને છે અને ડાયાબિટીસમાં ઉત્તમ ફાયદો થાય છે.

જાંબુ સૂકવી, બારીક ખાંડી, ચૂર્ણ કરી દરરોજ 20- 20 ગ્રામ 15 દિવસ સુધી સતત લેવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે. જાંબુના ઠળિયાના ગર્ભનું 1-1 ગ્રામ ચૂર્ણ મધમાં અથવા પાણી સાથે દિવસમાં બે વાર 10-15 દિવસ સુધી સતત લેવાથી ડાયાબિટીસ મટે છે.

જાંબુના ઠળિયા 200 ગ્રામ, લીમડાની ગળો 50 ગ્રામ, હળદર 50 ગ્રામ અને મરી 50 ગ્રામ ખાંડી, વસ્ત્રગાળ ચૂર્ણ કરી, તેને જાંબુના રસમાં ખૂબ ઘૂંટી, સૂકવી, શીશીમાં ભરી રાખવું. 3-4 ગ્રામ આ ચૂર્ણ સવાર-સાંજ પાણી સાથે લાંબા સમય સુધી લેવાથી ડાયાબિટીસમાં ચોક્કસ ફાયદો થાય છે.

કુમળાં કારેલાનાં કટડા કરી,  છાંયે સૂકવી, બારીક ખાંડી 10-10 ગ્રામ સવાર સાંજ ચાર મહિના સુધી લેવાથી પેશાબમાં જતી સાકર બંધ થાય છે અને ડાયાબિટીસ મટે છે. રોજ રાત્રે 15 થી 20 ગ્રામ મેથી પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળી, ગાળી એકાદ માસ સુધી પીવાથી ડાયાબીટીસના રોગીની લોહીમાં જતી સાકર ઓછી થાય છે.

હરડે, બહેડા, આમળા, લીમડાની અંતરછાલ, મામેજવો અને જાંબુના ઠળિયા સરખે ભાગે લઈ, ચૂર્ણ કરી સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે. ડાયાબીટીસમાં જવની રોટલી હિતાવહ છે. એનાથી લોહીમાં સાકરનું પ્રમાણ વધતું નથી. આહારમાં કાચુ સિંગતેલ વાપરવું.

મીઠો લીમડો લોહીમાં ખાંડના પ્રમાણને નિયંત્રિત રાખવામાં મદદરૂપ થાય છે. આથી ડાયાબિટીસના દર્દીઓને એના સેવનથી લાભ થાય છે. ઊંડા અને ખૂબ જ શ્રમ પહોંચાડે તેવા શ્વાસોચ્છ્વાસ મધુપ્રમેહની ઔષધિ છે. શ્વાસોચ્છવાસ થી લોહીની સાકર ફેફસાં દ્વારા બહાર નીકળી જાય છે.

હળદરના ગાંઠિયાને પીસી ઘીમાં શેકી, સાકર મેળવી થોડા દિવસ સુધી દરરોજ ખાવાથી મધુપ્રમેહ અને બીજા પ્રમેહમાં ફાયદો થાય છે. વડની છાલ નું બારીક ચૂર્ણ 1 ચમચી રાત્રે પાણીમાં પલાળી રાખવું. સવારે તેને ગાળીને પી જવું. તેનાથી પેશાબ અને લોહીની ખાંડ ઓછી થાય છે.

આમલીના કટકા શેકી 50 ગ્રામ જેટલા રોજ ખાવાથી ડાયાબિટીસ મટે છે. વડની તાજી છાલનો ચતુર્થાશ ઉકાળો અથવા તાજી ન હોય તો સૂકી છાલ 24 કલાક પલાળી રાખી તે જ પાણીમાં બનાવેલો ચતુર્થાશ ઉકાળો પીવાથી તે કુદરતી ઇસ્યુલીન જેવું જ કામ આપે છે અને ડાયાબિટીસને કાબૂમાં રાખે છે.

આમળાં અને વરિયાળીનો સમભાગે પાઉડર દરરોજ સવાર-સાંજ 1-1 મોટો ચમચો પાણી સાથે ફાકવાથી ડાયાબિટીસ મટે છે. આંબાનાં સૂકાં પાનનો એક એક ચમચી પાઉડર સવાર-સાંજ પાણી સાથે લેવાથી ડાયાબિટીસમાં સારો લાભ થાય છે. કોળાનો રસ ડાયાબિટીસમાં લાભ કરે છે.

આંબાના કોમળ પાન સુકવી, ચૂર્ણ બનાવી ભોજન બાદ 1-1 ચમચી પાણી સાથે મિક્સ કરી પીવાથી ડાયાબિટીસ કાબૂમાં રહે છે. સીતાફળના પાનના ઉકાળાનું નિયમિત સેવન કરવાથી ડાયાબિટીસ મટે છે. ખોરાકમાં કેલ્શિયમનું પ્રમાણ 800 થી 1200 મિ.લિ. ગ્રામ રાખવાથી અને વહેલી સવારે કૂણા તડકામાં 20 થી 25 મિનિટ ફરવાનું રાખવાથી ડાયાબિટીસ ફક્ત બે માસમાં કાબુમાં લાવી શકાય છે.

ટાઇપ-2 ડાયાબીટીસમાં ઓમેગા-3 ફેટ્સ હૃદયની સુરક્ષા માટે જરૂરી હોય છે. ઓમેગા-3 મેળવવાનો સૌથી સરળ ઉપાય છે અખરોટ. શુદ્ધ કેસરના ચાર-પાંચ તાંતણા એકાદ ચમચી ઘી માં બરાબર મસળી સવાર-સાંજ સેવન કરવાથી ડાયાબિટીસ કાબૂમાં રહે છે.

લીમડાના પાનનો રસ નિયમિત પીવાથી ડાયાબિટીસ મટે છે. ૫૦ ગ્રામ લીલી હળદર, કાળી તુલસીના પાન ૧૦, બીલીપત્રનાં પાન ૩૦ વાટી, ૧ ગલાસ પાણીમાં રાત્રે પલાળી, સવારે ખૂબ મસળી કપડાથી ગાળી, સવારે નરણે કોઠે પીવું. આ પાણી પીધા પછી એક કલાક સુધી કંઈ પણ ખાવું-પીવું નહિ. ૨૧ દિવસ સુધી આ પ્રમાણે કરવાથી ચોક્કસ ડાયાબિટીસ મટે છે.

હળદરના ગાંઠિયાને પીસી, ઘીમાં શેકી, સાકર મેળવી, રોજ ખાવાથી ડાયાબીટીસમાં ખૂબ ફાયદો થાય છે. લસણને પીસીને તેનું પાણી પીવાથી ડાયાબિટીસ મટે છે. ડાયાબિટીસ વાળા લોકોએ ઘઉં, મકાઈ, બાજરી, ચોખા, ભાત, કઠોળ, જેવા કે મગ, મઠ, તુવેર, વાલ, અડદ, મગફળી, દૂધ, દહીં, છાસ, બટાકા, શક્કરિયા જેવા કંદમૂળ, કેળા, કેરી, ચીકુ, દ્રાક્ષ જેવા મીઠા ફળ, તેલ તથા ચરબીવાળા ખોરાક ન લેવા જોઈએ.

Exit mobile version