10 વર્ષ જૂની ડાયાબીટીસની દવા માત્ર 7 દિવસમાં થઈ જશે બંધ, માત્ર આ 100% અસરકારક ઈલાજથી..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજકાલ ડાયાબિટીસની બીમારી સામાન્ય બીમારી છે. પણ તેને દરદી ઘણી રીતે નિયંત્રણમાં રાખી શકે છે અને તેનાથી થતી અન્ય આડઅસરોથી બચી શકે છે. જે લોકોને વધુ પડતી ચિંતા, મોહ, લાલચ, તણાવ રહેતો, તે લોકોને ડાયાબિટીસની બીમારી થવાની શક્યતા વધુ રહે છે. ડાયાબિટીસથી બચવા અથવા તેને કન્ટ્રોલમાં રાખવા માટેના કેટલાક દેશી નુસખાઓ પણ જાણવા જેવા છે. તો ચાલો અમે તમને જણાવીએ ડાયાબિટીસ દૂર કરવાના નુસખાઓ.

મેથીના દાણા ડાયાબિટીસમાં ફાયદાકારક છે  તે શરીરના બ્લડ સુગર લેવલને નિયંત્રણમાં રાખે છે અને ડાયાબિટીઝથી બચાવે છે. તે ડાયાબિટીઝ અથવા ડાયાબિટીઝને નિયંત્રણમાં રાખવામાં મદદગાર છે. મેથીમાં હાજર ગેલેક્ટોમનન નામના ફાઈબર લોહીમાં ખાંડનું શોષણ ઘટાડે છે.

રોજ રાત્રે 15 થી 20 ગ્રામ મેથી પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળી, ગાળી એકાદ માસ સુધી પીવાથી ડાયાબીટીસના રોગીની લોહીમાં જતી સાકર છી થાય છે. હરડે, બહેડાં, આમળાં, લીમડાની અંતરછાલ, મામેજવો અને જાંબુના ઠળિયા સરખે ભાગે લઇ, ચૂર્ણ કરી સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે. ડાયાબીટીસમાં જવની રોટલી હિતાવહ છે. એનાથી લોહીમાં સાકરનું પ્રમાણ વધતું નથી. વળી એમાં સિંગ અને સિંગતેલ બંને જો અન્ય પ્રકારે હાનિકારક ન હોય તો દરરોજ એકાદ મુઠ્ઠી કાચી સિંગ ખાવી અને આહારમાં કાચું સિંગતેલ વાપરવું.

દરરોજ મેથીનું 10 ગ્રામ ચૂર્ણ અને ગરમ પાણી પીવાથી ટાઇપ -2 ડાયાબિટીસને નિયંત્રિત કરી શકાય છે. મેથીના દાણામાં બ્લડ સુગરનું સ્તર ઘટાડવાની શક્તિ હોય છે. તેમાં ઘણાં બધાં ફાયબર હોય છે જે પાચનને ઝડપી બનાવે છે. આ ઉપરાંત, તે શરીર દ્વારા ખાંડના ઉપયોગમાં પણ સુધારો કરે છે.

સારાં પાકાં જાંબુ સકવી, બારીક ખાંડી, ચૂર્ણ કરી દરરોજ 20-20 ગ્રામ 15 દિવસ સુધી લેવાથી ડાયાબિટીસમાં ફાયદો થાય છે. જાંબુના ઠળિયાના ગર્ભનું 1-1 ગ્રામ ચૂર્ણ મધમાં અથવા પાણી સાથે દિવસમાં બે વાર 10-15 દિવસ સુધી લેવાથી ડાયાબિટીસ મટે છે. કોળાનો રસ ડાયાબિટીસમાં લાભ કરે છે.

દરરોજ 70-80 ગ્રામ સારાં પાકાં જાંબુ લઇ ચાર ગણા ઉકળતા પાણીમાં નાખી 15 મિનિટ સુધી ઢાંકણ ઢાંકી રાખી, પછી હાથ વડે મસળી, કપડાથી ગાળી, તેના ત્રણ ભાગ કરી દિવસમાં ત્રણ વાર થોડા દિવસ સુધી પીવાથી પેશાબમાં જતી સાકરનું પ્રમાણ ઘટે છે, લીવર કાર્યક્ષમ બને છે અને મધુપ્રમેહમાં ઉત્તમ ફાયદો થાય છે.

જાંબુના ઠળિયા 200 ગ્રામ, લીમડાની ગળો 50 ગ્રામ, હળદર 50 ગ્રામ અને મરી 50 ગ્રામ ખાંડી, વસ્ત્રગાળ ચર્ણ કરી, તેને જાંબુના રસમાં ખૂબ ધૂંટી, સૂકવી, શીશામાં ભરી રાખવું. 3-4 ગ્રામ આ ચૂર્ણ સવાર-સાંજ પાણી લેવાથી ડાયાબિટીસમાં ચોક્કસ ફાયદો થાય છે. કુમળાં કારેલાનાં કકડા કરી, છાંયે સૂકવી, બારીક ખાંડી 10-10 ગ્રામ સવાર-સાંજ ચાર મહિના સુધી લેવાથી પેશાબ માર્ગે જતી સાકર સદંતર બંધ થાય છે અને ડાયાબિટીસ મટે છે.

મીઠો લીમડો લોહીમાં ખાંડના પ્રમાણને નિયંત્રીત રાખવામાં મદદરૂપ થાય છે. આથી ડાયાબીટીસના દર્દીઓને એના સેવનથી લાભ થાય છે. ઊંડા અને ખૂબ જ શ્રમ પહોંચાડે તેવા શ્ર્વાસોચ્છશ્ર્વાસ ડાયાબિટીસની અમોઘ ઔષધિ છે. ઊંડા શ્ર્વાસોચ્છવાસથઈ લોહીમાંની સાકર ફેફસાં દ્વારા બહાર નકળી જાય છે.

હળદરના ગાંઠિયાને પીસી ઘીમાં શેકી, સાકર મેળવી થોડા દિવસ સુધી દરરોજ ખાવાથી ડાયાબિટીસ અને બીજા પ્રમેહોમાં ફાયદો થાય છે. વડની છાલનું બારીક ચૂર્ણ 1 ચમચી રાત્રે પાણીમાં પલાળી રાખવું. સવારે તેને ગાળીને પી જવું. તેનાથી પેશાબ અને લોહીની ખાંડ ઓછી થાય છે. પેશાબમાં વીર્ય જતું હોય, પેશાબ કર્યા પછી ચીકણો પદાર્થ નીકળતો હોય તેને માટે વડની કૂણી કૂંપળો અને વડવાઇનો અગ્ર ભાગ સૂકવી ચૂર્ણ બનાવી સેવન કરવાથી જરૂર લાભ થાય છે.

આમલીના કચકા શેકી 50 ગ્રામ જેટલા રોજ ખાવાથી ડાયાબિટીસ મટે છે. વડની તાજી છાલનો ચતુર્થાશ ઉકાળો અથવા તાજી ન હોય તો સૂકી છાલ 24 કલાક ભીંજવી રાખી તે જ પાણીમાં બનાવેલો ચતુર્થાશ ઉકાળો પીવાથી તે કુદરતી ઇન્સ્યુલીન જેવું જ કામ આપે છે અને ડાયાબીટીસને કાબુમાં રાખે છે. આમળાં અને વરિયાળીનો સમભાગે પાઉડર દરરોજ સવાર-સાંજ 1-1 મોટો ચમચો પાણી સાથે ફાકવાથી ડાયાબીટીસ મટે છે.

ડાયાબિટીઝથી છૂટકારો મેળવવા માટે લીમડાના પાનને રોજ ચાવવાથી પણ લાભ થાય છે તમે ઇચ્છો તો તેના જ્યુસનો ઉપયોગ પણ કરી શકો છો. તે રક્ત ખાંડ ઘટાડવામાં અને રક્ત વાહિનીઓમાં અવરોધ દૂર કરવામાં મદદ કરે છે. બીલીપત્ર ડાયાબિટીઝથી રાહત મેળવવા માટે પણ ઉપયોગી સાબિત થાય છે. તેનું સેવન કરવા માટે, સરકો પીસીને તેનો રસ કાઢો. હવે એક ચપટી મીઠું અને મરી નાખીને 20 મિલીલીટર પીવો. રોજ આમ કરવાથી ફાયદો થશે.

આંબાનાં સૂકાં પાનનો એક એક ચમચી પાઉડર સવાર-સાંજ પાણી સાથે લેવાથી ડાયાબિટીસમાં સારો લાભ થાય છે. સ્વાદહીન સફેદ રંગનું ગળોસત્વ 1-1 ચમચી દિવસમાં ચારેક વખત પાણી સાથે લેવાથી ડાયાબિટીસ મટે છે. આંબાના કોમળ પાન સુકવી, ચૂર્ણ બનાવી ભોજન બાદ 1-1 ચમચી પાણી સાથે લેવાથી ડાયાબિટીસ કાબૂમાં રહે છે.

સીતાફળના પાનના ઉકાળાનું નિયમિત સેવન કરવાથી ડાયાબીટીસ મટે છે. ખોરાકમાં કેલ્શિયમનું પ્રમાણ 800 થી 1200 મિ.લિ. ગ્રામ રાખવાથી અને વહેલી સવારે કૂણા તડકામાં 20 થી 25 મિનિટ ફરવાનું રાખવાથી ડાયાબીટીસ ફક્ત બે માસમાં કાબૂમાં લાવી શકાય છે. શુદ્ધ કેસરના ચાંર-પાંચ તાંતણા એકાદ ચમચી ઘીમાં બરાબર મસળી સવાર-સાંજ સેવન કરવાથી મધુપ્રમેહ કાબૂમાં રહે છે. ડાયાબીટીસમાં બહુમૂત્ર મધુપ્રમેહમાં વારંવાર પેશાબ કરવાની તકલીફ હોય છે. એ દૂર કરવા દરરોજ સવાર-સાંજ 1-1 નાની ચમચી હળદરનો પાઉડર સાદા પાણી સાથે ફાકવો.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top