ડાયાબિટીસને કંટ્રોલ કરી કાયમી છૂટકારો મેળવવા જરૂર કરો આનું સેવન, ડાયાબિટીસ ના દરેક દર્દી આવશ્ય વાંચે અને અન્ય ને શેર કરી જણાવે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મધુપ્રમેહ અથવા ડાયાબિટીસનો રોગ પ્રાચીન સમયથી જાણીતો છે. આયુર્વેદમાં મધુપ્રમેહ એટલે કે મીઠી પેશાબનો રોગ વર્ણવેલ છે. આયુર્વેદમાં મધુપ્રમેહના લક્ષણોમાં મીઠીપેશાબ, અશક્તિ, ગુમડા, ગેંગ્રીન (શરીરનો કોઇ ભાગ સડી જો અને મૃત થઇ જવો) અને ઘેન ગણાવવામાં આવ્યા છે. લોહીમાં ગ્લુકોઝ (સુગર અથવા સાકર) નું પ્રમાણ વધી જવું અને પેશાબમાં ગ્લુકોઝ વહી જવો એ ડાયાબિટીસનું મુખ્ય લક્ષણ છે.

ડાયાબિટીસનાં દર્દીઓમાં ગ્લુકોઝનું પ્રમાણ વધુ રહેતું હોઈ કીડની હમેશાં પ્રયત્ન કરશે કે વધુ ને વધુ ગ્લુકોઝ ને શરીર બહાર કાઢવામાં આવે અને આ કારણથી વધુ પ્રમાણ માં પેસાબ બને છે. આ પ્રક્રિયામાં વધુ પ્રમાણ માં પાણીનો પણ નિકાલ થતો હોઈ  ડિહાઇડ્રેસનની સ્થિતિનો નિર્માણ થવાની શક્યતાઓ વધી જાય છે. ડાયાબિટીસ નાં દર્દીએ હમેશા હાઇડ્રેટેડ રહેવું જોઈએ અને તરસ પણ વધુ લાગતી હોય છે એટલે વધુ પ્રમાણ માં પાણીનો ઉપયોગ કરવો જોઈએ.

પાણીનો પીવાથી શરીર માં સ્ફૂર્તિનો અનુભવ થાય છે. અને શરીરમાં રહેલ ગ્લુકોઝ ને શરીર ની બહાર કરવામાં કિડનીને મદદ કરે છે. પાણીનું કેલોરીક મૂલ્ય શૂન્ય હોઈ વધુ પ્રમાણ મા પાણી પીવાથી બ્લડ સુગર વધારો થતો નથી. જ્યારે અન્ય પીણાંઓ વધુ પીવાથી બ્લડ સુગર વધી જવાની શક્યતા રહેલી હોય છે. એક પીણાં તરીકે પાણી ડાયાબિટીસ ના દર્દી માટે આદર્શ છે.

ડાયાબિટીસનાં દર્દીએ રેસાવાળો ખોરાક વધારે લેવો. જેનાથી ભૂખ ઓછી લાગે,સંતોષ મળે,બંદકોષ દુર કરે,સીરમ કોલેસ્ટ્રોલ ઘટાડે.જેમકે સલાડ, લીલા શાકભાજી, આખા અનાજ, મેથી દાણા, જવનો લોટ, ઓટ્સનો લોટ વગેરે. શક્ય હોય ત્યાં સુધી મેંદા વાળો ખોરાક, બેકરી પ્રોડક્ટ, ફાસ્ટ ફૂડ નો ઉપયોગ કરવો નહી .તેની જગ્યાએ ઘરે બનાવેલા ભાખરી પિત્ઝા(મલ્ટીગ્રેન ભાખરી, સલાડ, પનીર) લઇ શકાય.

એન્ટીઓક્સીડંટ તે એવો પદાર્થ છે જે હાનીકારક તત્વ સામે લડે છે. ડાયાબિટીસ ધરાવતી વ્યક્તિ એ લેવા જોઈએ.તેમાં વીટામીન સી0, વીટામીન ઇ  અને મીનરલ્સ જેમકે ઝીંક, મેગ્નેશીયમ, વીટામીન બીB6 અને બી12 વગેરે.જેવાકે ખાટ્ટા ફાળો, કેપ્સીકમ, લીલા શાકભાજી, બ્રોકોલી, લસણ,ટામેટા,બદામ.

પ્રોટીન તે દરેક કોષોનો પાયાનો એકમ છે. તેથી તે લેવું જરૂરી છે પ્રોટીન ની માત્રા  બોડી વેઇટ જેટલી લેવી જરૂરી છે. ઉત્તમ પ્રકારનું પ્રોટીન ઈંડા,દૂધ અને દુધની બનાવટો(દહીં,પનીર,વગેરે) અનાજ અને કઠોળ નું મિશ્રણમાંથી મળે છે.

ડાયાબિટીસ હોય તેવી વ્યક્તિએ  ઓછું તેલ લેવું જોઈએ. જરૂરી કેલેરી ના ૧૫ થી ૨૦ ટકા જેટલી કેલરી ઘી તેલ માંથી મળી રહે તેવું આયોજન કરવું જોઈએ. દિવસ દરમિયાન ૧૦ થી ૧૨ ગ્લાસ પાણી લેવું જોઈએ.  બંને ટાઇમ જમવા સાથે કચુંબર/સૂપ લેવું.

ડાયાબિટીસનાં દર્દી એ પેટ ભરીને જમવું નહી. દિવસ દરમ્યાન નાના નાના હિસ્સામાં ચાર થી પાંચ વાર ખોરાક લેવો. કંદમૂળ જેવા કે બટાકા,શક્કરીયા,રતાળુ,સૂરણ લેવાય પરંતુ શાકમાં મેળવણી તરીકે લેવા અને એકલા વાપરવા  નહી.

વધારે મીઠા ફળ જેવા કે કેળા, કેરી, ચીકુ, સીતાફળ ઓછી માત્રામાં અને તેની કેલેરી પ્રમાણે લેવા.બાકીના ફળ જેવા કે સફરજન, દાડમ,પપૈયું, નારંગી, મોસંબી લઇ શકાય. ફળોના જ્યુસ, ઠંડા પીણા, આઈસ્ક્રીમ લેવા નહી.

ઉપવાસ, એકટાણા કરવા નહી. જો કરવા પડે તો ડોક્ટર ક ડાયટીશનની સલાહ પ્રમાણે કરવા. તણાવ બ્લડ સ્યુગર વધારી શકે છે. તેથી તણાવ ઓછો કરવા યોગ અને ધ્યાન કરવું.  ધુમ્રપાન, તમાકુ,દારૂ, જેવા વ્યાસનોનો  સંપૂર્ણપણે ત્યાગ કરવો.

આમલીના કિચૂકા શેકીને ખાવાથી ડાયાબિટીસ મટે છે. લીમડાના પાનનો રસ નિયમિત પીવાથી ડાયાબિટીસ મટે છે. કૂમળાં કારેલાંના નાના કડકા કરી છાંયડામાં સૂકવી, બારીક ભૂકી કરી, એક તોલા જેટલી ભૂકી સવાર સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે.

સારાં, પાકાં જાંબુને સૂકવી, બારીક ખાંડી ચૂર્ણ બનાવી પાણી સાથે દિવસમાં બે વાર લેવાથી ડાયાબિટીસ મટે છે. લસણને પીસીને તેનું પાણી પીવાથી ડાયાબિટીસ મટે છે. રોજ રાત્રે દોઢથી બે તોલા મેથી પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળી, ગાળીને પીવાથી ડાયાબિટીસ મટે છે.આમળાંનું ચૂર્ણ ફાકવાથી ડાયાબિટીસમાં રાહત થાય છે. હળદરના ગાંઠિયાને પીસી, ઘીમાં શેકી, સાકર મેળવી, રોજ ખાવાથી ડાયાબિટીસમાં ખૂબ ફાયદો થાય છે.

હરડે, બહેડાં, કડવા લીમડાની આંતરછાલ, મમેજવો અને જાંબુના ઠળિયા સરખે ભાગે લઈ બારીક ચૂર્ણ કરી સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસ મટે છે. હળદર એક ચમચી અને આમળાનું ચૂર્ણ એક ચમચી ભેગાં કરી રોજ સવાર-સાંજ લેવાથી ડાયાબિટીસમાં ખૂબ રાહત થાય છે.

૫૦ ગ્રામ લીલી હળદર, કાળી તુલસીના પાન ૧૦, બીલીપત્રનાં પાન ૩૦ વાટી, ૧ ગ્‍લાસ પાણીમાં રાત્રે ભીંજવી, સવારે ખૂબ મસળી કપડાથી ગાળી, સવારે નરણે કોઠે પીવું. આ પાણી પીધા પછી એક કલાક સુધી કંઈ પણ ખાવું-પીવું નહિ. ૨૧ દિવસ સુધી આ પ્રમાણે લેવાથી ચોક્કસ ડાયાબિટીસ મટે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top