Site icon Ayurvedam

પેટમાં ગેસ, આંખ, સંતાનપ્રાપ્તિ માટે આશીર્વાદરૂપ છે આ ઔષધિ, જરૂર જાણો તેને ઉપયોગ કરવાની રીત

આપણા ઘરની આસપાસ ઘણા ફૂલો હોય છે અથવા ફૂલનો બગીચો પણ હોય છે. તો એમાંથી અમુક ફૂલ એવા હોય છે જે ઔષધી માટે ખુબ જ ઉપયોગી હોય છે. જેના વિશે આપણે જાણતા હોતા નથી. ઘણા ફૂલો એવા હોય છે જેની ઔષધી ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે..

આ છોડનું નામ છે સત્યાનાશી છોડ. આ છોડને સ્વર્ણક્ષીરી, કટુપર્ણ, પીળો ધતુરો, સ્યાકાંટા, દારૂડી ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ છોડ ઘણી બીમારીઓને સારી કરવામાં મદદ કરે છે. આ છોડ મોટા ભાગે નિર્જળ જગ્યા પર ઉગે છે.

જે વ્યક્તિને કમળાની અસર હોય તેમણે દરૂડીના છોડ નું અડધી ચમચી તેલ કાઢીને શેરડીના રસ સાથે ભેળવીને પીવાથી કમળાના રોગમાં ખૂબ રાહત મળે છે. સત્યાનાશી છોડ કમળાના દર્દી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.

પેટને લગતી કોઈ પણ સમસ્યાઓમાં આ છોડ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આના માટે એક ચમચી સત્યાનાશી છોડનું તેલ અને થોડું સિંધવ મીઠું દરરોજ સવારમાં હુંફાળા પાણી સાથે પીવામાં આવે તો પેટની દરેક સમસ્યામાંથી રાહત મળે છે. અંગોમાં પાણી ભરાઇ જવાની તકલીફમાં આ છોડ ખૂબ જ અસરકારક સાબિત થાય છે.

ઘણી વખત આપણને ખબર હોતી નથી અન ભૂલ થી શરીર પર વાગવાનું નિશાન પડી જાય છે, આ ઘાવ ને જલ્દી દુર કરવા માટે સત્યાનાશી છોડ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ માટે તમારે તેના ફૂલ ને વાટીને એણે ઘાવ પર લગાવવું, જેનાથી ઘણો રાહત મળે છે.

આ છોડના પાન ને સૌપ્રથમ કાંટાથી અલગ કરીને પછી એના ફુલ તથા કાંટા વગરના પાનને પીસીને તેની એક પેસ્ટ તૈયાર કરવી. આ પેસ્ટને ગરમ પાણીમાં ઉમેરી દેવી અને તેનુ સેવન કરવું. આમ કરવાથી થોડા સમયમાં અસ્થમાની બીમારી માંથી છૂટકારો મળશે.

ઘણા લોકોને મોટાભાગે આંખની સમસ્યા થતી હોય છે. આ માટે તમારે સત્યાનાશીના દૂધને કાચા દૂધ સાથે મિક્ષ કરીને આંખમાં નાખવું. સત્યાનાશી દૂધને માખણ અથવા ગાયના શુદ્ધ ઘી સાથે મિક્ષ કરીને આંખમાં કાજળની જેમ લગાવવું.

લગભગ ઘણા પુરુષ કે પછી સ્ત્રીઓમાં આ એક ભયંકર સમસ્યા હોય છે. આ સમસ્યાનો ખુલાસો ડોક્ટર પાસે પણ કરી શકાતો નથી. જેની અંદર શુક્રાણુઓની કમી ના કારણે સંતાન પ્રાપ્તિ કરી શકતા નથી. મહિલાઓ અને સ્ત્રીઓના ગુપ્ત રોગમાં સત્યાનાશી ફૂલનો રસ, પાનનો રસ અડધી અડધી ચમચી સવાર સાંજ દૂધ સાથે લેવાથી અનેક ગણો ફાયદોજોવા મળે છે.

નાની ઉમર વાળા લોકોને થોડા દિવસ અને મોટી ઉમરની વ્યક્તિને વધારે દિવસ તેનું સેવન કરવું પડે છે. જો આપને તેના મૂળિયાને ધોઈને તેનો પાવડર બનાવી લઈએ અને આનો પ્રયોગ સવારે સાકર સાથે લઈએ તો પણ નિસંતાનતા દૂર થાય છે અને સંતાનની પ્રાપ્તિ થાય છે. એના માટે આ રામબાણ ઔષધિ છે.

બાળકોને નાની ઉંમરમાં ચોકલેટ ખાવાના લીધે દાત ની અંદર સડો પડે છે, આ સડા ને દૂર કરવા માટે નિયમિત રીતે સત્યનાશી છોડની ડાળીઓ થી દાતણ કરવું જોઈએ. આમ કરવાથી દુખાવામાં પણ રાહત મળશે તેમજ દાંત પણ મજબૂત બને છે.

જે લોકોને પેશાબ સંબંધિત સમસ્યા રહેતી હોય, તેઓએ આ છોડને ઉકાળીને કાડો બનાવી લેવો અને પછી આ કાડો સવાર સાંજ પીવાથી પેશાબ સબંધિત દરેક સમસ્યામાંથી રાહત મળશે.

ઘણા લોકોને ગેસ અને કબજિયાતની સમસ્યા રહેતી હોય છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે સત્યાનાશી છોડના મૂળ અને અજમાને ઉકાળીને તેનું સેવન કરવું જોઈએ, જેના સેવનથી ગેસ અને કબજીયાતની સમસ્યા દુર થઇ જાય છે.

Exit mobile version