Site icon Ayurvedam

શરીર ની કોઈ પણ નળી બ્લૉકેજ છે? તો તેને ખોલવા માટે અપનાવો આ ઉપાય

શરીરનું સ્વાસ્થ્ય ખૂબ જ અગત્યની વસ્તુ છે. વાતાવરણમાં વધુ પ્રદુષણ અને ખાનપાનમાં આવેલા ફેરફારને કારણે અવારનવાર લોકો બિમાર પડતા રહે છે. એમાંથી જ એક સમસ્યા છે શરીરની નસો બ્લોક થઈ જવી.જો જીવનની અંદર કોઈપણ વ્યક્તિ સ્વસ્થ ન રહી શકતો હોય તો તેના માટે જીવન જીવવું નકામું બની જતું હોય છે.જો ખાવા-પીવાની અંદર થોડું પણ ધ્યાન ન રાખવામાં આવે તો શરીરની અંદર જાત જાતની બીમારીઓ થાય છે.એક એવી સ્થિતિ છે. જેમા શરીરની નસોમાં લોહી ગંઠાઇ જાય છે. દરેક લોકો  જાણે છે કે શરીરની નસોથી લોહી દરેક અંગ સુધી પહોંચે છે અને તે બાદ આ લોહી હૃદય સુધી પહોંચે છે. પરંતુ જો આ કામમાં વિઘન આવે તો નસ બ્લોક થવાની શરૂ થઇ જાય છે. આજના સમયમાં મોટાભાગના લોકોને હાર્ટ એટેકની સમસ્યામાંથી ગુજર ઊપડતું હોય છે. જો શરીરના કોઈપણ ભાગની અંદર કોઈપણ પ્રકારની નળી બ્લોકેજ હોય તો તેના કારણે વ્યક્તિને હાર્ટ અટેક આવવાની સંભાવના વધી જાય છે,અને જો કોઈ પણ વ્યક્તિને હાર્ટ એટેક આવી જાય તો તેનું હાર્ટ ફેલ થઈ જાય છે, અને તેના કારણે તેને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

જ્યારે વ્યકિતના શરીરની નસો બ્લોક થઈ જાય છે તો તેના સબંધિત સ્થાન પર ખૂબ તકલીફનો સામનો કરવો પડે છે. સાથે, તે સ્થાન પર બળતરા, ગાંઠ જેવી સમસ્યા જન્મવા લાગે છે. આ સમસ્યાથી છૂટકારો મેળવવા માટે ઘણા લોકો મોંઘી ટ્રીટમેન્ટ પણ કરાવે છે. પરંતુ ટ્રીટમેન્ટ બાદ પણ આ વાતની ગેરેંટી નથી મળતી કે આ સમસ્યાથી છૂટકારો મળશે કે નહિ. આ શરીરના અન્ય ભાગમાં પણ થઇ શકે છે. જેને બરાબર થવામા થોડોક સમય લાગે છે. ઓપરેશન એક માત્ર તેનો ઇલાજ નથી. લાઇફસ્ટાઇલમાં અનેક ફેરફારને કારણે નળી બ્લૉકેજ નો ખતરો થાય છે.

બ્લૉકેજ નળી ખોલવાના ઉપાયો :

અળસીમાં અલ્ફા લિમોલેનિક એસિડ ભરપૂર માત્રામાં રહેલુ હોઈ છે જે બંધ ધમનિઓને ખોલવામાં સહાયતા કરે છે. તેના સિવાય આ તત્વ ધમનિઓમાં રહેલા એલડીએલ કોલેસ્ટ્રોલને આસાનીથી બહાર કાઢી નાખે છે, જેના કારણે બ્લોક ધમનિઓ આસાનીથી કામ કરવા લાગે છે. તેને ઉપયોગ કરવા માટે રાત્રે અળસીના બી પાણીમાં પલાળી તેને પીસી, પાણીમાં ઉકાળીને ઉકાળો બનાવી ,આ ઉકાળાને ૩ થી ૪ મહિના પીવાથી બ્લોક ધમનિઓ ખુલ્લી જાય છે.બ્લોક ધમનિઓને ખોલવામાં દાડમ ખૂબ ફાયદાકારક છે. તેના માટે રોજ સવારે ૩ થી ૪ દાડમનુ સેવન કરવું. આને ખાવાથી શરીરમાં લોહીની કમી પણ નહિ થાય.

લસણ ખાવાથી શરીરમાં રહેલ રક્તવાહિકાઓની પહોળાઇ ફેલાવામાં સક્ષમ થાય છે. ધમનિઓનુ બ્લોકેજ ખોલવા માટે લસણનું સેવન ખૂબ જરૂરી છે. આ સમસ્યા ખતમ કરવા માટે લસણની કળીઓને શેકીને કે પીસીની દૂધમાં નાખીને પીવી. હળદરમાં ઘણા બધા ઔષધિય ગુણ મળી આવે છે. શરીરને સ્વસ્થ રાખવા માટે હળદર એક ઔષધિની જેમ કામ કરે છે. હળદરમાં કરક્યૂમિન એંટિ-ઈંફ્લેમેટરી ગુણ હોઈ છે જે લોહીના થક્કાને જામવાથી રોકે છે. તેના સેવનથી બ્લોક ધમનિઓ સરળતાથી ખુલ્લી જાય છે. તેના માટે એક ગ્લાસ હુંફાળા દૂધમાં ૧ ચમચી હળદર પાઉડર અને થોડુ મધ મેળવીને પીવું.

તજ, કળામરી, તમાલપત્ર, મગજતરી, અખરોટ અને અળસી આ બધી સામગ્રીને મિક્સ કરીને મિક્સરમાં પીસી લેવી. તેનો બરાબર પાઉડર બનાવી ચૂર્ણ બનાવવું. રોજ એક એક ચમચી ભૂખ્યા પેટે પાણી સાથે આ ચૂર્ણ લેવું. ચૂર્ણ લીધા બાદ એક કલાક સુધી કઇપણ ન ખાવું. આ ચૂર્ણ ખાવાથી શરીરની બધી નસ ખુલી જે છે. આ ચૂર્ણ હૃદય રોગના દર્દીઓ પણ લઇ શકે છે. જેનાથી  ઘણો આરામ મળે છે.તેમજ હાર્ટ એટેક કે લકવા જેવી બિમારીઓથી રાહત મળી શકે છે. તેમજ ઘણો ફાયદો થઇ શકે છે.

 

 

 

Exit mobile version