દરેક દૂધમાં સર્વશ્રેષ્ઠ છે આનું દૂધ, અલ્સર, હાડકાંના દુખાવા અને ડાયાબિટીસ માટે તો છે 100% અસરકારક..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

બાળકોના સ્વાસ્થ્ય માટે દૂધનું મહત્વ વધારે હોવાથી બાળકો પર દૂધ પીવા માટે વધુ દબાણ કરવામાં આવે છે. આથી મોટાભાગે તેમને ગાયનું દૂધ આપવાનો આગ્રહ રાખતા હોય છે. ગાયના દૂધમાં એ જ ગુણ હોય છે જે નવજાત શિશુઓને માંના દૂધમાં મળે  છે. આથી બાળકોને ગાયનું દૂધ આપવામાં આવે છે.

પરંતુ રોયલ મેલબર્ન ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી ના એક અભ્યાસમાં બકરીના દૂધ પર અભ્યાસ બાદ એક ચોંકાવનારું પરિણામ જોવા મળ્યું. બધા દૂધમાં પાણી, લેક્ટોઝ, ચરબી, પ્રોટીન, અને સુક્ષ્મ પોષકતત્ત્વો જોવા છે. ગાયના દૂધની સરખામણીમાં બકરીના દૂધમાં વધારે ગુણધર્મો હોય છે એવું કહેવામાં આવે છે.

બકરીનું દૂધ પીવાથી બ્લડ પ્રેશર નિયંત્રિત રહે છે. બકરીના દૂધમાં પોટેશિયમનું સ્તર વધારે હોય છે જે બ્લડ પ્રેશરને ઘટાડે છે અને વધવાથી અટકાવે છે. બકરીના દૂધમાં સેલેનિયમ નામનું મિનરલ હોય છે. બકરીનું દૂધ પીવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. ડોક્ટર બાળકોને બકરીનું દૂધ પીવડાવવાની સલાહ વધારે આપે છે. બકરીના દૂધમાં કેલ્શિયમનું પ્રમાણ પણ વધારે હોય છે તેથી હાડકા પણ મજબૂત થાય છે.

રિસર્ચ અનુસાર બકરીનું દૂધ પ્રોબાયોટિક અને એન્ટી ઇન્ફેક્શન ગુણ ધરાવે છે. તે બાળકોને થતા ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ ઇન્ફેકશનથી બચાવે છે. બકરીના દૂધમાં પ્રોબાયોટિક હોય છે, જે આંતરડામાં સારા બેક્ટેરિયાને વધારે છે અને જોખમી બેક્ટેરિયા થી રક્ષણ કરે છે. શોધ અનુસાર આ દૂધમાં કુદરતી રીતે જ 14 પ્રોબાયોટિક હોય છે જેમાંથી 5 એવા હોય છે જે બાળકના જન્મ બાદ માતાના દૂધમાં જોવા મળે છે.

બકરીના દૂધમાં એગ્લૂટિનિન નામનું કંપાઉંડ નથી હોતું. તેના કારણે દૂધમાં ચરબી ઉત્પન્ન થી  થતી. ગાયના દૂધમાં આ તત્વ જોવા મળે છે. બકરીના દૂધમાં ફેટ પાર્ટિકલ હોય છે જેમાં ઉપલબ્ધ પ્રોટીન નાના બાળકોમાં થતી દૂધની ઉલટી કરવાની સમસ્યા દૂર કરે છે. બકરીના દૂધમાં લેક્ટોસ નું પ્રમાણ ખૂબ ઓછું હોય છે.

બકરીના દૂધમાં હાજર પ્રોટીન ગાય, ભેંસ ના દૂધ જેવા ભારે નથી હોતા. તેથી તે સરળતાથી પચી જાય છે. આ ઉપરાંત, તે રક્તકણોની સંખ્યા વધારવાનું પણ કામ કરે છે. બકરીના દૂધ પર કરવામાં આવેલા સંશોધન થી બહાર આવ્યું છે કે આ દૂધમાં એક ખાસ પ્રકારનું પ્રોટીન હોય છે. આ પ્રોટીન ડેન્ગ્યુના દર્દીમાં પ્લેટલેટની સંખ્યામાં વધારો કરે છે. ચિકનગુનિયા માં પણ આ પ્રોટીન કામ કરે છે.

બકરીનું દૂધ પીવાથી કબજિયાતની સમસ્યાથી પણ રાહત મળતી હોય છે અને ત્યારબાદ તે પાચનમાં ખૂબ જ ફાયદાકારક છે તેવું કહેવાય છે અને જેને કબજિયાતની સમસ્યા હોય છે તેઓ દવા તરીકે ગરમ બકરીના દૂધનો ઉપયોગ કરે તો તેમના માટે ખૂબ જ સારી વાત છે અને બાળકોને ખાસ કરીને દરરોજ આ દૂધ આપવું જોઈએ.

બકરીના દૂધનું સેવન કરવાથી શરીરમાં હાજર એસિડ સરળતાથી પચે છે, જે હાઈ બ્લડ પ્રેશર, કેન્સર અને ડાયાબિટીઝને સરળતાથી મટાડી શકે છે. બકરીના દૂધમાં ઘણા  ગુણધર્મો હોય છે, જે શરીરની આળસને દૂર કરે છે સાથે સાથે થાક, માંસપેશીઓ, માથાનો દુખાવો અને વજન વધારવા વગેરેની સમસ્યાઓ સરળતાથી દૂર કરે છે.

બકરીનું દૂધ લાંબા સમય સુધી એચ.આય.વી એઇડ્સથી પીડાતા દર્દીઓ નું રક્ષણ કરી શકે છે. બકરીનું દૂધ સીડી 4 કાઉન્ટીમાં વધારો કરે છે. જે એચ.આય.વી અસરગ્રસ્ત લોકોની પ્રતિરક્ષા વધારવાનું કામ કરે છે. તે એલડીએલ (ખરાબ) કોલેસ્ટરોલ ઘટાડવામાં મદદ કરે છે.

બકરીનું દૂધ હૃદયરોગ, જઠરાંત્રિય રોગો અને એલર્જીના નિવારણમાં મદદગાર છે. આ સિવાય પાચક વિકાર, અસ્થમા, અલ્સર, એલર્જી, ક્ષય રોગમાં પણ તે ફાયદાકારક છે. સંશોધન બતાવે છે કે બકરીનું દૂધ પીવાથી આંતરડામાં બળતરા ઓછી થાય છે. દરરોજ એક ગ્લાસ બકરીનું દૂધ પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top