માત્ર 2 દિવસમાં આ શક્તિશાળી પાનથી ડાયાબિટીસ જડમૂળથી 100% ગેરેન્ટી સાથે ગાયબ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સંસ્કૃત માં બિલી ને બિલ્વ અથવા ચાલુરફળ કહેવાય છે અને અંગ્રેજી માં બેલ કહેવાય છે. ઉનાળામાં તેની છાયા હેઠળ આરામ કરી શકાય તેવા મોટાં ઝાડ બીલીના થાય છે. પુરાણકાળથી એ એક પવિત્ર વનસ્પતિ તરીકે માનવામાં આવે છે. એનાં પાન મહાદેવના પૂજન માં પણ વપરાય છે. એનાં પાન ત્રણ ત્રણ ત્રિદલ રૂપે હોય છે. દવામાં એનાં મૂળ, મૂળની છાલ, પાન અને ફળોનો ગર્ભ વપરાય છે.કાચા બીલી ફળનો ગર્ભ દવામાં વપરાય છે. એનો મુરબ્બો પણ બનાવવામાં છે.

દશશુંળમાં બીલીના મૂળ એક મુખ્ય ઔષધ છે. શિયાળામાં એનાં ફળ લાવી, ભાંગી, સૂકવી અંદરનો ગર્ભ દવા માટે બંધ વાસણમાં સંભાળીને રખાય છે .બિલી નું ફળ કાચું હોય ત્યારે તેની છાલ લીલી અને નરમ હોય છે, પણ પાછળથી થોડી કઠણ થાય છે. પાક્યા પછી પીળાશ પડતી જાય છે.તેનો ગર્ભ મીઠો, સહેજ તૂરો જાંબુ ને મળતો આવે છે. બીલી આમ તો ગુણમાં ગ્રાહી, દીપન, વાતનાશક છે. અને મગજ માટે સ્નિગ્ધ તથા આંતરડાને બળ આપનાર છે. એનાં પાન કટુ પૌષ્ટિક તથા સોજા ને હરનાર છે. વગેલા ઘ્યાને રુઝાવે છે.તથા નિદ્રા લાવનાર છે.

બીલીનાં ફળને બીલા કહેવામાં આવે છે. તે યકૃત તથા જઠરની બળતરા માં વપરાય છે. તેના ગર્ભમાં ગ્રાહી ગુણ રહેલો છે. ગમે તેવા જાડા ને બંધ કરે છે. આંતરડાંમાં છિદ્ર પડી ગયું હોય અને પરુ નીકળતું હોય તો મટાડવા પણ બીલી ઉત્તમ કામ કરે છે. કૉલેરાના રોગચાળા સમયે બીલાં અને સૂંઠનો ઉકાળો પીવડાવવાની ઝાડા- ઊલટી બંધ થાય છે. કેટલીકવાર તેમાં કાયફળ નાખવાથી તાત્કાલિક ઝાડા બંધ થાય છે. બીલી પિત્તનું શમન કરે છે. વળી દાંતમાંથી નીકળતું લોહી બંધ કરે છે. રક્તપિત્તમાં પણ તે ઉપયોગી છે.

સૂકવેલા કાચા બીલા, જાયફળ, મરડાશીંગ પાણીમાં ઘસી ખાવાથી ગર્ભિણી સ્ત્રીઓ ના અતિસાર મટે છે. તેના પાનનો રસ જીર્ણ તાવ, દમ, પિત્તજવર જેવા વ્યાધિ વખતે તથા કમળામાં તાવ ચડી આવ્યો હોય ત્યારે આપવાથી ઘણી રાહત થાય છે. બીલી ના મૂળનો કાઢો દૂધ સાથે પીવાથી જીર્ણજ્વર મટે છે. એનું મૂળ છાતી ના થડકાટ ને ફાયદો કરે છે. પૌષ્ટિક દવાઓમાં તે વપરાય છે. મનની સ્થિતિ શાંત કરવામાં તે વપરાય છે. એની છાલનો કાઢો મધ સાથે આપવાથી ત્રણે દોષ થી ઉત્પન્ન થયેલી ઉલટી મટે છે.

બીલીનો ગર્ભ ધાવડીના ફૂલ, દાડમની છાલ, લોધર તથા કાકડ સિંગ એ સરખે વજને લઈ તેનો ઉકાળો બનાવી શકાય. આ ઉકાળાના સેવનથી અર્શ તથા મરડાની તકલીફ મટે છે. બીલીની છાલ ૧૨ ગ્રામ તથા ગળો ૧૦ ગ્રામ લઈ તેનો ઉકાળો બનાવી શકાય. આ ઉકાળાના ઉપયોગથી ઉલટી બંધ થાય છે. બીલીનો ગર્ભ, કાથો તથા દાડમની છાલ એ દરેક ચીજ પાંચ-પાંચ ગ્રામ લઈ તેને ખાંડી ચૂર્ણ બનાવવું આ ચૂર્ણ ના ઉપયોગથી મરડો, રક્તાતિસાર, સંગ્રહણી વગેરે વ્યાધિ મટે છે.

બીલી ના બી , મોથ, ધાવડીના ફૂલ, ધાણા, લોધ્ર, અતિવિષ, કાળીપાટ અને મોચરસ એ તમામ ચીજો સરખે ભાગે લઈ તેમાં બારીક ચૂર્ણ બનાવી શકાય. આ ચૂર્ણ રક્તાતિસાર, અતિસાર સંગ્રહણી તથા આંતરડામાં છીદ્ર પડી પરુ નીકળતું હોય તો મટાડે છે.બીલીનો ગર્ભ ૧૦ ગ્રામ, મોથ, વાળો, સૂંઠ, મોચરસ તથા ઇન્દ્રજવ દરેક પાંચ-પાંચ ગ્રામ લઈ તે બધાનું બારીક ચૂર્ણ બનાવવું. આ ચૂર્ણ નો ઉપયોગ રક્તાતિસાર અને મરડો તથા ઘણા હઠીલા દર્દને મટાડવા માટે કરવામાં આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedamb. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top