પોષકતત્વોથી ભરપૂર આ પાણી પીવાથી થાય છે અનેક ભયંકર બીમારીઓથી છૂટકારો, આ ઉપયોગી માહિતી જરૂર વાંચો અને શેર કરો

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

લીલી શાકભાજીમાં ભીંડી એ એક એવી શાકભાજી છે, જેનો ઉપયોગ ખોરાકમાં બધા દ્વારા કરવામાં આવે છે. ભીંડાને ઓકરાના નામથી પણ ઓળખવામાં આવે છે. અને તેના કેટલાય સ્વાસ્થ્યવર્ધક લાભ થાય છે, ભીંડામાંથી માત્ર 30 ટકા કેલોરી મળી છે. ત્યારે ભીંડા વિટામિન સી અને મેગ્નેશિયમનો પણ સારો સોર્સ છે.

લોકો સામાન્ય રીતે ભીડી વિવિધ પ્રકારની દિશાઓમાં ખાય છે. દુનિયાના ઘણા દેશોમાં ભીંડાને પ્રોટીન, વસા, ફાયબર, કાર્બોહાઇડ્રેટ, કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ, પોટેશિયમ, સોડિયમ અને તાંબું મળી આવે છે.

5-6 મીડિયમ આકરના ભીંડા લઇને તેના કિનારા કાપી લો. ભીંડાને વચ્ચેથી કાપી લો અને ત્યારબાદ એકથી બે વાટકી પાણીમાં પલાળી દો.રાતભર અથવા 4-5 કલાક તેને આમ પાણીમાં જ રહેવા દો. ત્યારબાદ ભીંડાના ટુકડાને નિચોવીને કાઢી લો. ત્યારબાદ તેમાં થોડું સાદું પાણી ઉમેરો જેથી પાણીની માત્રા લગભગ એક ગ્લાસ જેટલું થઇ જાય. એક ગ્લાસ ભીંડાના રસમાં 6 ગ્રામ કાર્બોહાઇડ્રેટ, 80 માઇક્રોગ્રામ ફોલેટ, 3 ગ્રામ ફાઇબર અને 2 ગ્રામ પ્રોટીન મળે છે.

ભીંડામાં પુષ્કળ ફાઇબર હોય છે, જે પાચક શક્તિને સ્વસ્થ રાખવામાં સૌથી અસરકારક છે. અપચો દૂર કરવા માટે ભીંડાનું પાણી પીવાની સલાહ આપવામાં આવે છે. ભીંડા નું પાણી પીવાથી પેટ ને લગતી સમસ્યા પણ દૂર થાય છે.

તેમાં મહત્તમ માત્રામાં ફાઈબર હોય છે, સાથે જ જો દરરોજ એક ગ્લાસમાં માત્ર બે ભીંડા કાપીને ગ્લાસમાં રાખો છો અને સવારે તે પાણીનો સેવન કરો છો, તો જો ડાયાબિટીઝની સમસ્યા છે તો ચોક્કસ તમે ટૂંક સમયમાં તમને આરામ મળશે અને ખાંડ નિયંત્રિત થઈ જશે. રાતભર પાણીમાં ભીંડા પલાળીને, તે પાણી પીવાથી થોડા દિવસોમાં ડાયાબિટીસ નિયંત્રણ થાય છે.  અને તમે તેનાથી કાયમ છૂટકારો મેળવી શકો છો.

જો સગર્ભા સ્ત્રીઓ ભીંડાનું સેવન કરે છે.  અથવા ભીંડાને પાણીમાં પલાળી રાખે છે અને તે પીવે છે, તો જાણવા મળ્યું છે કે બાળકને અંદરથી કોઈ સમસ્યા થતી નથી. ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓને ભીંડા ખાવાની સલાહ પણ આપે છે.

ભીંડામાં વિટામિન કે ભરપૂર માત્રાને કારણે, તે આપણા હાડકાંને પણ મજબૂત બનાવવામાં મદદ કરે છે. આ સિવાય જો દરરોજ ભીંડા પલાળેલું પાણી પીતા હોવ તો તે શાકભાજી તરીકે ખાવામાં તળેલી અને અથાણાંવાળા ભીંડા કરતાં વધારે પોષક તત્વો આપે છે.

અસ્થમાના દર્દીઓ એવા લોકો માટે પણ ભીંડા ખૂબ ફાયદાકારક છે. જો અસ્થમાના દર્દીઓ દરરોજ રાત્રે ફક્ત બે ભીંડા પાણીમાં ઉમેરીને સવારે તે પાણી પીવે છે, તો થોડા દિવસોમાં તેમને દમની ફરિયાદથી રાહત મળે છે.

ભીંડાનું સેવન કબજિયાતને દૂર કરવામાં પણ ખૂબ અસરકારક છે, કારણ કે લેડીફિંગર એક તંતુમય શાકભાજી છે. અને તેમાં ફાઈબર મળી આવે છે, તેથી તેનું સેવન કરવાથી પાચક શક્તિ અવરોધાય નહીં અને કબજિયાતની સમસ્યા છૂટકારો મેળવો. ભીંડાનું પાણી પીવાથી અથવા ભીંડા ખાવાથી પણ કોઈ પણ હ્રદય દર્દી માટે ખૂબ ફાયદાકારક છે. આનું કારણ છે કે ભીંડા તમારા શરીરમાંથી કોલેસ્ટરોલને દૂર કરે છે.

શરીરમાં જો હિમોગ્લોબિનની ઉણપ હોય તો રોજ એક ગ્લાસ ભીંડાનું પાણી પીવાથી રેડ બ્લડ સેલ વધે છે. આનાથી શરીરમાં લોહીનું પ્રમાણ જળવાઈ રહે છે. ભીંડાનું પાણી આંખો માટે પણ ફાયદાકારક છે, કારણકે તેમાં વિટામિન A ભરપૂર પ્રમાણમાં હોય છે. આ તત્વ પાણીના માધ્યમથી શરીરમાં જાય છે અને આંખોની રોશની વધે છે.

ભીંડામાં હાજર એન્ટીઓક્સીડેન્ટ ફ્રી રેડિકલ્સથી થતા નુકશાનથી આપણને બચાવે છે. અને શરીરની અંદરના ભાગોને સ્વસ્થ રાખે છે. આ એન્ટીઓક્સીડેન્ટ્સને કારણે કેન્સરના સેલની ગતિ પણ ધીમી પડી જાય છે એટલે કેન્સરના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે.

કીડનીની બીમારીઓમાં પણ ભીંડાનું પાણી ફાયદાકારક હોવાનું જણાવવામાં આવે છે.તેથી ભીંડા નું પાણી પીવું જોઈએ. ભીંડા ઇમ્યૂનિટી પાવરને વધારે છે.તેથી દરરોજ સવાર માં પેહલા ભીંડા નું પાણી પીવું જોઈએ.

જે વજન ઉતારવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેમના માટે ભીંડા ખૂબ જ લાભકારક છે. ભીંડામાં કેલેરી ઘણા ઓછા પ્રમાણમાં હોય છે, તેથી ભીંડા નું પાણી પીવાથી  જે વજન ઉતારવામાં મદદરૂપ થાય છે.

ભીંડા સુંદર અને ગ્લોઇંગ સ્કિન આપવામાં મદદરૂપ થાય છે. ભીંડામાં વિટામિન A, વિટામિન C, કેલ્શિયમ અને ફૉલેટ હોય છે, જે હેલ્ધી સ્કિન સેલ્સને પ્રમોટ કરવામાં માટે જાણીતા છે. એવામાં  ઇચ્છો છો ભીંડાની સાથે સાથે તેની પેસ્ટ પણ બનાવીને લગાવી શકો છો અને થોડા દિવસમાં ફરક દેખાવા લાગશે. અથવા ભીંડા નું પાણી પીવાથી પણ ફાયદો થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top