આયુર્વેદની આ મહાઔષધિથી 100થી પણ વધુ રોગો જીવનભર દૂર, નહિ ખર્ચવા પડે લાખો રૂપિયા

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આજે અમે અશ્વગંધા નામની ઔષધિ વિષે જણાવવા જય રહ્યા છીએ જે ઋષિમુનિઓ – પૂર્વજો ના સમય થી લગભગ 3000 થી 4000 વર્ષો થી ઉપયોગ માં લેવાતી આવી છે. અશ્વગંધા એ દિવ્ય ઔષધિ છે જેને ઘોડાસણ અથવા આસંધ પણ કહેવામાં આવે છે. અશ્વગંધા છોડના એક વર્ગનો ભાગ છે, જે ચા અને પાવડરના સ્વરૂપમાં પીવામાં આવે છે.  અશ્વગંધા એ એક છોડ છે જેના મૂળ અને તેનાં રસ ઝરતાં ફળો ઓષધીય ગુણધર્મોને કારણે વપરાય છે. એવું માનવા માં આવે છે કે તેના સેવન થી ઘોડા જેવી તાકાત આવતી હોય છે.

અશ્વગંધાના ફાયદા:

અશ્વગંધા તેના તણાવમુક્ત ગુણધર્મો માટે જાણીતું છે. અશ્વગંધાનો મુખ્યત્વે માનસિક તનાવ દૂર કરવા અને અનિંદ્રામાં ઉપયોગ થાય છે. જે અનિંદ્રાથી પરેશાન હોય તેમને સાંજે સૂતી વખતે એક ચમચી અશ્વગંધા પાવડર ગરમપાણી સાથે લેવો જોઈએ જેનાથી માનસિક થાકથી છુટકારો મેળવી ઊંઘ સારી આવે છે.

અશ્વગંધા લોહીમાં શર્કરાના સ્તર અને લોહીમાં સૌથી સામાન્ય પ્રકારની ચરબી ઘટાડવામાં મદદરૂપ થાય છે. તેથી ડાયાબિટીસના દર્દી માટે તો અશ્વગંધા પાવડર સંજીવની સમાન છે. જો તમે ડાયાબિટીસની દવા લીધા વગર ડાયાબિટીસ માંથી છુટકારો મેળવવવા માંગતા હોય તો નિયમિત અશ્વગંધા પાવડરનું સેવન કરો.

જે લોકોને વધુ પડતા સાંધાના અને ગોઠણના દુઃખાવા છે તેઓએ અશ્વગંધા નું ચૂર્ણ સવારે દૂધ સાથે લેવાથી દુખાવામાં રાહત થાય છે. જો તમને શરીરમાં કોઈપણ જગ્યાએ દુખાવા રહેતા હોય તો અશ્વગંધાના તેલ નું માલિશ કરવાથી આરામ મળે છે.

બાળકોની યાદશક્તિ વધારવા માટે પણ અશ્વગંધા એક અસરકારક જડીબુટ્ટી છે, જો તમે તમારા બાળકને ચપળ, કાર્યશીલ અને હોશિયાર બનાવવા ઈચ્છો છો તો અશ્વગંધા પાવડરનો જરૂર ઉપયોગ કરો. વાળ ખરતા હોય તેવા લોકોએ અથવા જેમના નાની ઉમર માં વાળ સફેદ થઇ ગયા હોય તેના માટે અશ્વગંધા બેસ્ટ છે. ઓછી અનિંદ્રા ના કારણે થી પણ વાળ ખરતા હોય છે અશ્વગંધા ના તેલ ની માલિશ કરવા થી ઊંઘ સારી આવવાની સાથે સાથે ખરતા વાળથી પણ છુટકારો મળે છે.

શક્તિ વધારવા માટે, માંસપેશીઓ મજબૂત કરવા માટે, સ્પર્મ માં વધારો કરવા માટે પણ અશ્વગંધા ના તેલ નું માલિશ ઉપયોગી બને છે. માનસિક થાક, આળસ, યાદશક્તિ તેજ કરવા અનિંદ્રા, ચક્કર આવતા હોય, એકાગ્રતા માટે, હતાશા દૂર કરવા માટે અશ્વગંધાની દવા ( કેપ્સુલ ), ચૂર્ણ (અશ્વગંધા પાવડર) અને તેલ નું માલિશ કરી શકાય છે.

ચામડીને લગતા દરેક રોગ માટે અશ્વગંધા બેસ્ટ ઔષધિ છે જેમ કે કોઢ, શરીર પર થતા સફેદ ડાઘ શરીર પર થતી ચરબીની ગાંઠો ને દૂર કરવા માટે અશ્વગંધા ના મૂળ ને પીસી ને તેનો લેપ બનાવી તેના તેલ ની માલિશ કરવા થી તેમાં ઝડપથી અસર જોવા મળે છે. 80 થી પણ વધુ વાયુ ના રોગો માટે પણ અશ્વગંધા ચૂર્ણ અકસીર ઉપાય છે. કમર ના દુખાવામાં સાકર અને દૂધ સાથે અશ્વગંધા પાવડર લેવાથી દુખાવા માં રાહત મળે છે.

અશ્વગંધાનું સેવન કરવાની રીત:

અશ્વગંધા ખાવાની ઘણી રીતો હોઈ શકે છે. અશ્વગંધા પાવડરને પાણી સાથે પી શકાય છે અથવા મધ સાથે ભેળવી શકાય છે. અશ્વગંધા કેપ્સ્યુલ્સ, અશ્વગંધા ચા અને અશ્વગંધાનો રસ પણ બજારમાં ઉપલબ્ધ છે.

અશ્વગંધા પાવડરનો ઉપયોગ ચા, મધ અને તુલસી સાથે લઇ શકાય છે.

ખાસ નોંધ:

ગર્ભવતી મહિલાઓ કે જેમને દવા ચાલુ હોય અથવા જે બાળકો ને સ્તનપાન કરાવતી હોય તેવી મહિલાઓ એ અશ્વગંધા નું સેવન કરવું જોઈએ નહિ.

અશ્વગંધા નું સેવન ગરમ હોવા થી તેના થી શરીર નું તાપમાન વધે છે જેથી કરીને તાવ આવવા ની સંભાવના રહેલી છે જો તાપમાન વધી જતું હોય તો તેનું સેવન તુરંત બંધ કરી દેવું જોઈએ.

જો કોઈ અન્ય બીમારી ની દવા ચાલુ હોય તો તેવા સમયે ડોક્ટર ની સલાહ લેવી આવશ્યક બને છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top