લોહી બનાવવાનું કારખાનું છે આ વસ્તુ, ઈંડા કરતા છે 100 ગણી શક્તિશાળી, કબજિયાત અને ડાયાબિટીસને તો નજીક આવવા પણ નહિ દે

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

અડદની દાળ ખાવામાં સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે સ્વાસ્થ્યને પણ ઘણા ફાયદા આપે છે. કારણ કે અડદની દાળ પોષક તત્વોથી ભરપૂર હોય છે. અડદની દાળનું સેવન કરવાથી અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓથી રાહત મળે છે. અડદની દાળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે, સાથે જ તેમાં ફાઈબર, વિટામિન બી, થાઈમીન, રિબોફ્લેવિન, નિયાસિન, વિટામિન સી, આયર્ન, કેલ્શિયમ અને કાર્બોહાઈડ્રેટ્સ જેવા તત્વો મળી આવે છે. જે શરીરને સ્વસ્થ રાખે છે.

અડદની દાળના ફાયદા:

જે લોકોને કાયમી કબજિયાતની સમસ્યા રહેતી હોય તેમને માટે તો અડદની દાળનું સેવન ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે અડદની દાળમાં ભરપૂર પ્રમાણમાં ફાઈબર હોય છે, જે મળને નરમ બનાવે છે, જેનાથી મળ સરળતાથી પસાર થાય છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

અડદની દાળનું સેવન ડાયાબિટીસના દર્દીઓ માટે પણ ફાયદાકારક છે. કારણ કે અડદની દાળમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે, જે બ્લડ શુગર લેવલને નિયંત્રિત કરે છે.

માથાનો દુખાવો એ સામાન્ય સમસ્યા છે, પરંતુ જો કાયમી માથાનો દુખાવો રહેતો હોય તો અડદની દાળનું સેવન કરો તમારા માટે બેસ્ટ છે. કારણ કે અડદની દાળમાં મેગ્નેશિયમ, કેલ્શિયમ અને પોટેશિયમ જેવા પોષક તત્વો મળી આવે છે. અડદની દાળનું સેવન પાચનક્રિયા સુધારવા માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે અડદની દાળમાં ફાઈબર હોય છે. જે પાચનતંત્રને મજબૂત બનાવે છે અને પાચન સંબંધી સમસ્યાઓને દૂર કરે છે.

અડદની દાળનું સેવન મહિલાઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે મહિલાઓમાં આયર્નની ઉણપ વધુ જોવા મળે છે અને અડદની દાળમાં ભરપૂર માત્રામાં આયર્ન હોય છે, જે શરીરમાં એનર્જી જાળવી રાખવામાં મદદ કરે છે.

ફાયદાકારક અડદની દાળનું સેવન હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે .કારણ કે અડદની દાળમાં કેલ્શિયમ જોવા મળે છે, જે હાડકાંને મજબૂત બનાવે છે. જેના કારણે હાડકાને લગતી બીમારીઓનો ખતરો ઓછો થઈ જાય છે. અડદની દાળનું સેવન હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે અડદની દાળમાં ફાઈબર, પોટેશિયમ અને મેગ્નેશિયમ મળી આવે છે, જે હ્રદય રોગના જોખમને ઘટાડે છે.

પ્રસૂતા સ્ત્રીઓને ધાવણ ઓછું આવતું હોય એવી સ્ત્રીઓએ અડદની દાળનો નિયમિત ઉપયોગ કરવો જોઈએ. આ ઉપરાંત ખાસ કરીને જુવાન સ્ત્રીઓને માસિક ઓછું અને અનિયમિત આવતું હોય તેમણે અડદનો અને તેની દાળનો ઉપયોગ કરવો જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top