અછબડાના અનિચ્છનીય ડાઘ માત્ર 2 દિવસમાં થઈ જશે કાયમી દૂર માત્ર આ અસરકારક આયુર્વેદિક ઉપચારથી..

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

અછબડા થવા પર ચહેરા સહિત આખા શરીરમાં તેના ડાઘ પડી જાય છે. આ ડાઘ દૂર કરવા માટે તમે રસોડામાં રહેલી વસ્તુના ઉપયોગથી દૂર કરી શકો છો. અછબડા શરીરની ગરમી અને વાયરસના કારણે થાય છે તેમ માનવામાં આવે છે. આ વ્યક્તિના જીવનમાં ફક્ત એકવાર જ થાય છે.

પરંતુ તે થાય બાદ તેના ડાઘ રહી જાય છે. તેને દૂર કરવાના કેટલાક દાવા તો કરવામાં આવે છે પરંતુ કોઈ ફરક પડતો નથી. અછબડામાં પહેલા ચહેરા અને શરીરના અન્ય ભાગ પર લાલ દાણા થાય છે અને તે બાદ તે નાની ફોલ્લીઓમાં બદલાઈ જાય છે. 4-5 દિવસમાં તે સુકાઈ ને લાલ થઇ જાય છે. પરંતુ આ દાણાથી શરીર  પર ખાડા જેવા નિશાન પડી જાય છે.

અછબડાના ડાઘ ત્વચાની અંદરથી જોડાયેલા હોય છે જેને દૂર કરવું ઘણીવાર સરળ નથી. આવી સ્થિતિમાં, કેટલાક લોકો આ ડાઘ અને ખાડાઓને ભૂંસી નાખવા માટે દવા લે છે જે ક્યારેક નુકસાનનું કારણ બની શકે છે . આ ડાઘ દૂર કરવા માટે ઘરેલુ ઉપાય અપનાવી શકો છો

મધનો ઉપયોગ અછબડાના ડાઘને દૂર કરી શકે છે. જો સમય સમય પર ડાઘવાળા વિસ્તારમાં શુદ્ધ મધ લગાવવામાં આવે છે, તો ધીમે ધીમે ડાઘ ઓછો થવા લાગે છે. એલોવેરાની મદદથી ડાઘ દૂર કરી શકાય છે. આ માટે એલોવેરાનું પાન તોડીને તેની જેલ કાઢીને અછબડાના ડાધ પર લગાવો. સુકાઈ જાય ત્યાં સુધી તેને આ રીતે છોડી દો. દરરોજ લગભગ 2 થી 3 વાર આમ કરવાથી ડાઘ દૂર થવા લાગે છે.

કોકો બટરની પેસ્ટથી અછબડાના અનિચ્છનીય ડાઘથી પણ છુટકારો મેળવી શકાય છે. તેનો ફાયદો મેળવવા માટે, તમારે દરરોજ 3 થી 4 વાર શરીરના ડાઘવાળા વિસ્તારોમાં લગાડવું. દિવસમાં 3 થી 4 વખતઆખા શરીર પર નાળિયેર તેલની  માલિશ કરો, ધીરે ધીરે ડાઘ નાશ થવા લાગે છે.

સ્વાદમાં તીખુ પરંતુ ગુણોમાં ખાસ લસણ અછબડાના ડાધ દૂર કરવા માટે યોગ્ય ઉપાય છે. લસણની 8-10 કળીને પીસીને તેનો રસ કાઢી લો હવે આ રસને દિવસમાં 2-3 વખત ડાઘ પર લગાવી રાખો અને થોડીક મિનિટમાં ધોઈ લો. આ ઉપાયથી થોડાક સમયમાં અછબડાના ડાઘ દૂર થઈ જશે.

બેકિંગ સોડાના ઉપયોગથી દર્દીને બર્નિંગ અને ખંજવાળથી મુક્તિ મળે છે. એક ગ્લાસ પાણીમાં એક ચમચી બેકિંગ સોડા નાખો અને તેને બરાબર મિક્સ કરો. આ પછી તેમાં એક નરમ કાપડ પલાળીને ડાઘ પર મુકો. ટામેટામાં વિટામિન ઈ ભરપૂર માત્રામાં હોય છે . આ અછબડાના અનિચ્છનીય ડાઘને નાબૂદ કરવા માટે ઉપયોગી છે.

ટામેટા એન્ટી એજિંગ પ્રોપર્ટીની સાથે ત્વચા માટે ઘણા પોષક તત્વોથી ભરેલા છે. તેનો ઉપયોગ બ્યુટિ પ્રોડક્ટના રૂપમાં દરરોજ કરવો જોઈએ. ટામેટાના પલ્પને અસરગ્રસ્ત ભાગ પર લગાવવાથી ડાઘ-ધબ્બાથી છૂટકારો મળે છે. ઉપરાંત તમે ટામેટાના રસમાં લીંબુનો રસ ઉમેરી શકો છો. તે અછબડાના ડાઘમાં પણ ખૂબ ફાયદાકારક છે.

અછબડાના નિશાન દૂર કરવા લીંબુને બે ટૂકડામાં કટ કરી તેને ધીમે ધીમે ડાઘ પર સ્ક્રબ કરો. રોજ આ ઉપાય કરવાથી 15-20 દિવસમાં ડાઘ ઓછા થઇ જશે. લીંબુમાં વિટામીન સી રહેલા છે. ત્વચા માટે તે એન્ટી એજિંગનું કામ કરે છે. અછબડાના ડાઘ દૂર કરવા માટે લીંબુ ઔષધીય ગુણોથી ભરપૂર છે. જેનાથી ડાઘ દૂર થવામાં ઘણો લાભ મળી શકે છે.

અછબડાના ડાઘ ને દૂર કરવા માટે પપૈયાનો ઉપયોગ પણ કરી શકાય છે. પપૈયાના કપમાં પાંચ ચમચી ખાંડ અને પાંચ ચમચી દૂધ ઉમેરીને પેસ્ટ બનાવો. આ પછી, પેસ્ટને ડાઘ પર લગાવો અને થોડીવાર માટે છોડી દો. પછી પાણીથી ધોઈ લો. આ કરવાથી અછબડાના ડાઘ મટે છે. ચંદનનું લાકડું ડાઘને નાબૂદ કરવામાં ખૂબ મદદગાર સાબિત થાય છે. અછબડાના ડાઘને નાબૂદ કરવા માટે, ચંદનના પાવડરમાં ઓલિવ તેલ ઉમેરવું અને ત્યારબાદ પેસ્ટને ડાઘવાળા ભાગ પર લગાવો. આ કરવાથી અછબડાના ડાઘ માટે છે.

અડધો કપ સરસવનું તેલ વાસણમાં નાંખો અને ધીમી આંચ પર ગરમ કરો. અને ત્યારબાદ તેમાં 7 થી 8 લીમડાના પાન ઉમેરો. જ્યાં સુધી આ પાંદડા કાળા ન થાય ત્યાં સુધી તેને ગરમ કરવું. જ્યારે આ લીમડાના પાન બરાબર કાળા થાય છે ત્યારબાદ તેને ઠંડુ થવા દો અને ત્યારબાદ તેને ગાળી લો. જ્યારે આ દવા તૈયાર થાય છે, ત્યારે તેને રાત્રે અછબડા ના ડાઘ પર લગાવો અને પછી તેને આખી રાત છોડી દો.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top