તેલ, ચોખા સિવાય આપણા રોજીંદા ખોરાકની આટલી વસ્તુઓ હોય શકે છે નકલી, આ રીતે કરો તેની ઓળખ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

સામાન્ય રીતે મીઠાઈ માવો દૂધ આ બધામાં મિલાવટની ખબરો તો સાંભળતા જ આવી રહ્યાં છો. પરંતુ હવે ખાવમાં સ્વાદ વધારનાર જીરું પણ એમાં શામેલ થઈ ચૂક્યા છે. સાંભળીને હેરાની થશે કે જીરામાં મિલાવટ કેવી રીતે થાય છે ફક્ત જીરું જ નહીં પણ નકલી ચોખા દૂધ દાળ પનીરમાં પણ મિલાવટ થાય છે જેની ઓળખ આવી રીતે કરી શકાય છે
ખરેખર નકલી જીરાનો કારોબાર ઉત્તરપ્રદેશથી લઈને દિલ્હી ગુજરાત રાજસ્થાન સુધી ફેલાયેલું છે નકલી જીરાને ઓળખવું થોડું મુશ્કેલ છે કારણ કે તેને જંગલી ઘાસથી તૈયાર કરવામાં આવે છે જે જીરા જેવી હોય છે તે શરીર માટે ઘણું નુકશાનકારક માનવામાં આવે છે તેના સેવનથી શરીરીમાં પથરી જેવી ગંભીર બીમારી થઈ શકે છે એટલું જ નહીં ડોક્ટરનું માનીએ તો નકલી જીરું ઇમ્યુન સિસ્ટમ પર પણ પ્રભાવિત થાય છે.

કેવી રીતે કરો જીરાની ઓળખ

નકલી જીરાની ઓળખ કરવા માટે એક વાળકીમાં પાણી અને જીરું નાખી દો જો જીરું રંગ છોડે અને નરમ થઈને તૂટવા લાગે તો સમજી લેજો કે આ જીરું નકલી છે નકલી જીરામાં અસલી જીરાની જેમ કોઈ પ્રકારની સુગંધ નથી આવતી, જ્યારે નકલી જીરું ઉપર સપાટી પર જ તરતું હોઈ છે.

તેલની ઓળખ

સામાન્ય રીતે તેલ એવી વસ્તુ છે જે ખાવાથી લઈને અથાણાંમાં પણ ઉપયોગ થાય છે સરસવના તેલમાં ખાવાનું બનાવું ખુબ ફાયદામંદ હોઈ છે પરંતુ તેલ અસલી છે કે નકલી તેની ઓળખાણ કરવી ખૂબ જરૂરી છે અસલી સરસવ તેલમાં સુગંધ ઘણી સ્ટ્રોંગ આવે છે અને આંખોમાં બળતરા થવા લાગે છે તેલનાં ટીપાંને હાથો પર ઘસવાથી રંગ છોડી દે તો સમજી લેજો કે તેલ નકલી છે શરદીઓમાં તેલ ક્યારેય ગંઠાતું નથી જો તેલ નકલી છે તો તે ગંઠાઇ જશે મિલાવટ વાળા તેલને ગરમ કરવા પર ચક્કર અને છીંકો આવવા લાગે છે.

ઘી ની ઓળખ

માર્કેટમાં ઘણી પ્રકારના ઘી આવે છે બધા દાવા કરે છે કે તેમનું ઘી શુદ્ધ હોઈ છે તેમાં કોઈ પ્રકારની મિલાવટ નથી હોતી પરંતુ બટે સાચું નથી તેમાં મિલાવટ હોઈ છે ઘી માં એક મોટી ચમચી હાઇડ્રોક્લોરિક એસિડ નાખીને જુઓ જો ઘી લાલ થાય છે તો તે નકલી છે. થોડું ઘી લઈને હાથ માં ઘસો થોડીવાર પછી તેની સુગંધ ઉડી જાય છે તો ઘી નકલી છે ઘી ને સૂંઘીને જોવો જો તેમાં બટાકાની સુગંધ આવે છે તો ઘી નકલી છે મોટાભાગના ઘી માં બટાકાની મિલાવટ હોઈ છે.

દૂધની ઓળખ

જો કે માર્કેટમાં ફક્ત જીરૂ જ લિસ્ટમાં શામેલ નથી પરંતુ દુધ પણ શામેલ છે જે મિલાવટ માટે હંમેશાથી જ બદનામ રહ્યું છે દૂધમાં મિલાવટની 90 ટકા સંભાવના હોઈ છે અસલી દૂધનો સ્વાદ મીઠો હોઈ છે જ્યારે નકલી દૂધમાં પાવડરને કારણે થોડું કડવું લાગે છે દૂધમાં પાણીની ભેળસેળ માટે કોઈ ચીકણી જગ્યા અથવા પથ્થર પર દૂધના 2 કે 3 ટીપાં નાખી ને જોવો જો દૂધ ની ધાર નીચે તરફ આવે અને તેનું નિશાન બની જાય તો દૂધ શુદ્ધ છે દૂધને વાસણમાં રેડીને ચમચાથી બરાબર હલાવો જો દૂધ નકલી હશે તો તેમાંથી ફીણ થશે.

માવાની ઓળખ

ત્યોહાર માં માવો પણ મિલાવટી આવે છે અસલી માવાની ઓળખ માટે માવન નખથી ઘસો અસલી માવો હશે તો તેમાં ઘી ની સુગંધ આવશે માવામાં ખાંડ નાખીને ગરમ કરો જો તે પાણી છોડે તો તે નકલી છે અસલી માવો ખાવા માટેના કાચા દૂધ જેવો લાગે છે.

ચોખાની ઓળખ

ચોખા બિહાર બંગાળ જેવાનો પ્રખ્યાત ખોરાક છે ખાવામાં રોટલી ભલે ના હોઈ પણ ચોખા અનિવાર્ય છે આજકાલ માર્કેટમાં ચોખા પણ મિલાવટી આવવા લાગ્યા છે જે પ્લાસ્ટિકથી બનેલા હોઈ છે પ્લાસ્ટિકના ચોખામાંથી સુગંધ નથી આવતી અસલી ચોખા પાક્યા પછી નરમ થઈ જાય છે પરંતુ નકલી ચોખ પાક્યા પછી પણ કડક રહે છે અસલી ચોખા પાણીમાં તરતા નથી અને નકલી ચોખા પાણીમાં તરવા લાગે છે એક મુઠ્ઠી ચોખાને કડાઈમાં ગરમ કરીને જોઈ લો, પ્લાસ્ટિકના ચોખા ઓગળવા લાગશે, અને અસલી ચોખા પાકીને કડક થઇ જશે.

પનીરની ઓળખ

લગ્ન અને અન્ય ઉત્સવમાં પનીર બનવું તો સામાન્ય છે તેના વગર તો જમવાનું અધૂરું છે પરંતુ માર્કેટમાં લોકો નકલી પનીરને અસલી બનાવીને વેચવા લાગ્યા છે અસલી પનીરની ઓળખ કરવા માટે જાણીએ પનીરના એક નાના ટુકડાને હાથમાં લઇને મચેડો જો તે તૂટીને વેરાઈ જાય છે તો તે નકલી છે.નકલી પનીર વધારે કડક હોઈ છે. તે રબરની જેમ હોઈ છે. પનીરને પાણીમાં ઉકાળીને થોડી વાર ઠંડા થયા પછી તેમાં આયોડીનના ટીન્ચર નાખો જો, પનીરનો રંગ ભૂરો પડી જાય તો પનીર નકલી છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top