વગર દવાએ માત્ર 5 દિવસમાં આંખના મોતિયા, જામર, બળતરા, આંજણી જેવી દરેક આંખની સમસ્યા માંથી છુટકારો અપાવશે આ આયુર્વેદિક ઉપચાર

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

વધતાં જતાં પ્રદૂષણ અને ફાસ્ટ-ફૂડ વળી કહાની-પીણી ને કારણે આંખ આવવી, આંખમાં આંજણી થવી આંખના નંબર જેવી અને ક આંખની સમસ્યામાં વધારો થઈ રાખ્યો છે. આજે અમે તમને જણાવીશું આંખની બળતરા, નંબર, આંજણી જેવા દરેક પ્રકારના રોગ માંથી છુટકારો મેળવવાના આયુર્વેદિક ઉપચાર. આ પોસ્ટને છેલ્લે સુધી વાંચી જરૂર મેળવો આંખની દરેક સમસ્યાના આયુર્વેદિક ઉપચાર.

ત્રિફળા ચૂર્ણ ૧૦૦ ગ્રામ તથા વરિયાળી ૧૦૦ ગ્રામ મેળવી સવાર-સાંજ ૧ ચમચી પાણી અથવા ઘી સાથે લેવાથી આંખોની દૃષ્ટિ વધે છે. ક્યારેક આંખમાં કચરો, ચૂનો કે આકડાનું દૂધ પડે તેથી બળતરામાં આંખમાં દીવેલ આંજવાથી આરામ થાય છે. આંખમાં ચૂનો કે એસિડ પડ્યો હોય તો આંખની અંદર અને બહાર ઘી ઘસવાથી રાહત થાય છે.

આંખ લાલ રહેતી હોય તો આંખમાં ઘી આંજવાથી રતાશ દૂર થાય છે. હળદરના બે ચાર ગાંઠીયા તુવેરની દાળ સાથે બાફી તે હળદર છાંયડે સૂકવી દિવસમાં બે વાર સૂર્યાસ્ત પહેલા પાણી સાથે ઘસીને આંખમાં આંજવાથી આંખનું , ધોળા રંગનું ફુલુ આંખની રતાશ, આંખના દર્દો વગેરે રોગો મટે છે.

રોજ તાજું માખણ ખાવાથી આંખની ક્ષમતા વધે છે રતાશ દૂર થાય છે અને આંખનું તેજ વધે છે. આંખોની બળતરામાં આંખની અંદર અને આંખની બહાર માખણ લગાડવાથી બળતરા દૂર થાય છે. ધાણા વરિયાળી અને સાકર સરખેભાગે લઈ તેનું ચૂર્ણ બનાવી રોજ જમ્યા પછી પાણી સાથે લેવાથી આંખની બળતરા આંખમાંથી પાણી પડવું લાલ આંખ રહેવી આંખે અંધારા આવવા જેવા દર્દો મટે છે.

હિંગને મધમાં મેળવી રૂ ની દિવેટ બનાવી તેને સળગાવી કાજળ પાડી એ કાજળ આંખમાં આંજવાથી નેત્ર સ્ત્રાવ બંધ થઈ આંખોનું તેજ વધે છે. ધોળા મરીને દહીંમાં અથવા મધમાં ઘસીને સવાર સાંજ આંજવાથી રતાંધળાપણું મટે છે. મરીને પાણીમાં ઘસીને આંજણી ઉપર લેપ કરવાથી આંજણી જલદી પાકીને ફૂટી જાય છે.

બકરીના દૂધમાં લવિંગ ઘસીને આંખોમાં નાખવાથી રતાંધણાપણું મટે છે. પાકાં ટામેટાંનો રસ સવાર-સાંજ પીવાથી આંધળાપણામાં ખૂબ ફાયદો થાય છે. સાકર અને ઘી સાથે જીરાનું ચૂર્ણ ચાટવાથી રતાંધણાપણું મટે છે. કાંદાના રસમાં થોડું મીઠું મેળવી તેનાં ટીપાં આંખમાં નાંખવાથી રતાંધણાપણું મટે છે. આંખમાં ચીપડાં બાઝતાં હોય તો કાંદાના રસમાં ખડી સાકર ઘસીને રાત્રે બે ટીપાં આંખમાં નાંખવાથી આરામ થાય છે.

સરગવાનાં પાનના રસમાં મધ મેળવી આંખમાં આંજવાથી આંખના દરેક પ્રકારના રોગ મટે છે અને આંખનું તેજ વધે છે. આંખમાં ઠંડા પાણીની છાલક રોજ સવાર-સાંજ મારવાથી આંખની ગરમી દૂર થાય છે અને આંખોનું તેજ વધે છે. કોથમીરનો રસ કાઢી ચોખ્ખા કપડાથી ગાળી તેનાં બે ટીપાં આંખમાં નાંખવાથી આંખો સારી થાય છે ખીલ ફુલું છારી વગેરે મટે છે ચશ્માંના નંબર ઊતરે છે.

મધ અને સરગવાનાં પાનનો રસ આંખમાં નાખવાથી આંખના બધા રોગો મટે છે. નાગરવેલનાં પાનનો રસ આંખમાં નાખવાથી દુખતી આંખો સારી થાય છે. જીરાનું ચૂર્ણ રોજ ફાકવાથી આંખોની ગરમી ઓછી થાય છે. ધાણાને પાણીમાં પલાળી રાખી મસળી ગાળી તે પાણીથી આંખો ધોવાથી દુઃખતી આંખો સારી થાય છે.

શુદ્ધ મધ અને ખાખરાનો અર્ક સરખે ભાગે લઈ બરાબર એકરસ કરી બાટલીમાં ભરી રાખો રોજ રાત્રે સૂતી વખતે બે-ત્રણ ટીપાં આંખમાં નાખવાથી ચશ્માના નંબર ઘટે છે. અધકચરા ત્રિફળા રાત્રે પાણીમાં પલાળી રાખી સવારે ગાળી પાણી આંખમાં છાંટવાથી આંખોનું તેજ વધે છે. સાકર પાણીમાં ઘસી તેનો ઘસારો સવાર-સાંજ આંખમાં આંજવાથી આંખોનું ફૂલુ મટે છે આંખ સ્વચ્છ થાય છે અને આંખોનું તેજ વધે છે.

આંખ આવેલી હોય તો લીંબુનો રસ મધ ફટકડી લગાડવાથી ઘણી રાહત થાય છે. સફેદ કાંદાનો રસ મધમાં મેળવીને આંખમાં નાખવાથી દુઃખતી આંખ સારી થાય છે અને આંખનું તેજ વધે છે. હળદર ફટકડી અને આમલીના પાન સરખા પ્રમાણમાં લઈ તેને વાટી પોટલી કરી ગરમ કરીને આંખે શેક કરવાથી આંખોની રતાશ અને બળતરા મટે છે.

સાકર અને તેનાથી ત્રણ ગણા ધાણા લઈ બંને નું ચૂર્ણ કરી પાણીમાં ઉકાળી ઠંડુ થાય ત્યારે કપડાંથી ગાળી બાટલીમાં ભરી લેવું એ પાણીમાં બે ટીપા દરરોજ સવાર સાંજ આંખમાં નાખવાથી દુખતી આંખો સારી થાય છે. તેલ વગરની તુવેરની દાળ પાણી સાથે પથ્થર પર ઘસી આંખમાં આંજવાથી આંખનું ફૂલું અને જાળું મટે છે.

જાયફળ પાણીમાં ઘસીને તેનો ઘસારો પાપણ તથા આંખની આજુબાજુ ચોપડવાથી આંખની ચળ કે પાણી પડતું હોય તો મટે છે અને આંખનું તેજ વધે છે. આંખમાં દાડમનો રસ નાખવાથી નંબર ઊતરે છે. દરરોજ સવાર-સાંજ ગુલાબજળનાં ટીપાં આંખોમાં નાખવાથી આંખોની લાલાશ તરત દૂર થાય છે. તંદુરસ્ત ગાયના તાજા છાણને કપડાંથી ગાળી તે રસમાં લીંડી પીપર ઘસીને રોજ રાત્રે અંજન કરવાથી રતાંધણાપણું મટે છે. મોતીયો-ઝામર વેલ કે આંખના દુઃખાવામાં પેશાબનું અંજન કરવાથી મટી જાય છે.

મિત્રો, આવીજ સ્વસ્થયલક્ષી આયુર્વેદિક માહિતી મેળવવા જરૂર આયુર્વેદમ પેજ ને લાઇક કરો અને આ લેખને વધુમાં વધુ તમારા મિત્રો સાથે શેર કરો જેથી દરેક આયુર્વેદિક ઉપચાર અપનાવી સ્વસ્થ જીવન જીવી શકે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedamb. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top