ગરમીની ઋતુ આવતા જ આપણા સોંના મનમાં ઉનાળુ ફળને ખાવાની ઈચ્છાઓ થઈ જાય છે. ગલેલી એક એવું ફળ જે જોવામાં તો ઉપરના ભાગથી નાળિયેર જેવુ દેખાય છે,પણ જ્યારે તેમાંથી ફળને કાઢો તો અંદરથી એક નાળિયેર પાણીની મલાઈ જેવો મુલાયમ ભાગ જોવા મળે તે ફળ એટલે ગલેલી.આથી તેને તાડફળી પણ કહે છે.
આ ફળ વિષે બહુ ઓછા લોકો જાણે છે,અને ભાગ્યેજ ખાવાનું પણ પસંદ કરે છે. પણ જેઓ આ ફળ ખાય છે તે કહે છે કે જો ગરમીની ઋતુમાં ગલેલી ન ખાધી તો શું ગરમીની મજા માણી.આ ફળ સ્વાસ્થ્ય માટે ઘણું મહત્વ ધરાવે છે તો ચાલો આપણે એના ફાયદા વિષે જાણકારી મેળવીએ.
ગરમીના સમયમાં એવા ઘણા ફળ હોય છે જે આપણા શરીર માટે ઘણા જરૂરી હોય છે કેમ કે આ ફળ ગરમીના વધતા તાપમાનમાં રાહત પહોચાડે છે સાથે જ શરીરમાં પાણીની ઉણપને દુર કરવાનું કામ પણ કરે છે એવા જ ફળમાનું એક છે ગલેલીનું ફળ જેની તાસીર અને આકાર લીચીના ફળ જેવું જ હોય છે તેથી તે આઈસ એપ્પલ કે નામથી પણ ઓળખવામાં આવે છે, ગલેલીના ફળ બીજા ફળ જેમ જ શરીરને તાજુ માજુ રાખે છે અને તેને ઘણી બીમારીઓથી રાહત પહોચાડવાનું કામ કરે છે.
આ ફળમાં વિટામીન બિ, આયર્ન, પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ ના ગુણ મળી આવે છે જે શરીર માટે ફાયદાકારક હોય છે. તેનું જ્યુસ શરીરમાં પાણીની ઉણપ પૂરી પાડે છે. જેથી શરીરને એનર્જી મળે છે. આ ફળનો સ્વાદ નારીયેલના ફળ જેવો હોય છે.
ગલેલી માં ઘણા મહત્વના પોષક તત્વો મળી આવે છે જે આપણા શરીર માટે ફાયદાકારક હોય છે તે શરીરમાં પાણીની ઉણપ દુર કરીને ઝેરીલા પદાર્થો બહાર કાઢે છે. જેથી પાચન ક્રિયા સારી રીતે કામ કરે છે. પેટના દુખાવો, એસીડીટી જેવી તકલીફોથી છુટકારો મળે છે. ગરમીના સમયમાં તેના રસનું રોજ સેવન કરો.
ગરમીની ઋતુમાં તાપમાન વધવાથી શરીરમાં પાણીની ઉણપ થવા લાગે છે જેથી ત્વચામાં બળતરા અને ડીહાઈડ્રેશન ની તકલીફ ઉભી થવા લાગે છે આ તકલીફથી છુટકારો મેળવવા માટે ગલેલી મહત્વની ભુમિકા નિભાવે છે. તે શરીરને ઠંડક આપીને તાઝગી પૂરી પાડે છે. ગલેલીમાં હાઈ કેલેરી સાથે પુષ્કળ પ્રમાણમાં મિનરલ્સ મળી આવે છે જે શરીરમાં ઉર્જા પૂરી પાડવાનું કામ કરે છે. તેનાથી શરીરમાં થાક કે નબળાઈનો અનુભવ થતો નથી અને શરીર તાજું માજુ બની રહે છે.
હમેશા કિશોરાવસ્થા ની ઉંમરને પાર કરીને છોકરીઓમાં માસિક ધર્મ દરમિયાન સફેદ પદાર્થ નીકળવાની તકલીફ વધી જાય છે. જેથી પેટનો દુખાવો, કમરનો દુખાવો, ખંજવાળ થવા લાગે છે આ તકલીફને દુર કરવામાં ગલેલીનું ફળ મહત્વની ભૂમિકા ભજવે છે. આ ફળમાં રહેલ કેલ્શિયમ અને ફોસ્ફરસ હોવાને કારણે આ સમસ્યામાંથી મુક્તિ મળે છે.
ગર્ભવતી મહિલાઓ હમેશા કબજિયાત કે પેટના દુખાવાની ફરિયાદ રહેતી હોય છે. આ તકલીફથી છુટકારો મેળવવા માટે તમે ગલેલીને પોતાના આહારમાં ઉમેરો કરવાથી તમને ઘણી રાહત મળશે.આ ફળનો સમાવેશ ખોરાકમાં કરવો જ જોઈએ.સગર્ભા સ્ત્રીઓને થતી,તકલીફો જેમ કે.કમરમાં દુખાવો,પેટનો દુખાવો કે અન્ય કોઈ તકલીફ થતી હોય,તો આ ફળના સેવનથી તે બધી તકલીફો દૂર થાય છે.
આ ફળ ઠંડુ હોવાના કારણે, તેનું સેવન ગરમીની ઋતુમાં વધુ કરવામાં આવે છે. આ ફળ ગરમીની ઋતુમાં ખાવાથી તે શરીરને ઠંડુ રાખે છે. જે લોકોને વધુ પ્રમાણમાં ગરમી થતી હોય અને વારંવાર મોમાં અથવા ચેહરા પર ફોલ્લીઓ થતી હોય,તેઓએ તેમનું શરીર ઠંડુ રાખવામાં મદદ કરે છે.
આકરા તાપ અને વધતા તાપમાનની ગરમીથી ત્વચા ઉપર બળતરા થવા લાગે છે જેથી ચહેરા ઉપર લાલ ચકતા ઉભરવા લાગે છે. આ તકલીફથી છુટકારો મેળવવા માટે તમે ગલેલીનો રસ કાઢીને તેમાં ચંદન પાવડર ભેળવીને ચહેરા ઉપર લગાવો. સુકાઈ ગયા પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો તેનાથી તમારી ત્વચાને રાહત મળશે સાથે જ ચહેરા ઉપર નિખાર આવશે.
ગલેલીમાં મોટા પ્રમાણમાં પોટેશિયમ ના ગુણ મળી આવે છે જે શરીરની અંદરના કચરાને સાફ કરીને લીવર ને સુરક્ષિત રાખે છે. તે શરીરની અંદરના ઝેરોલા પદાર્થોને બહાર કાઢે છે જેથી શરીરના રોગ દુર થાય છે. કોઈપણ ફળનો વધુ પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે,આથી કોઈપણ ફળ આહારમાં લેતા પહેલા ડૉક્ટર પાસેથી માહિતી જરૂર મેળવી લેવી.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.