આયુર્વેદિય ઔષધીય મામંજ્જકને આપણે ‘મામેજવો’ કહીએ છીએ. ચોમાસામાં તે પુષ્કળ પ્રમાણમાં થાય છે. ચોમાસામાં તેના ઘણાં બધાં છોડ આપમેળે ઊગી નીકળે છે. મામેજવો કડવો હોવાથી તેનો તાવમાં પણ ઉપયોગ કરવામાં આવે છે. આપણે ત્યાં મધુપ્રમેહ-ડાયબિટીસના ઔષધ તરીકે આ મામેજવો ખૂબ જ પ્રસિદ્ધ છે.
મામેજવો સ્વાદમાં કડવો, પચવામાં હળવો, શીતળ, ભૂખ લગાડનાર, આહાર પચાવનાર, કફ અને પિત્તનાશક, રક્તશુદ્ધિકર, યકૃતને ઉત્તેજિત કરનાર, મળને સરકાવનાર, ડાયાબીટીસને કાબૂમાં રાખનાર, ફલ્યુ, મેલેરીયા અને જીર્ણ જવર ને મટાડનાર તેમજ ત્વચાના રોગો, ઝાડા, ઉદર વાયુ, મેદ, ખાંસી, પેટનાં કૃમિ, સોજા, ઝેર વગેરેનો પણ નાશ કરે છે. હવે આપણે જાણીશું કે મામેજવાથી સ્વાસ્થ્યને થતા ફાયદા વિશે.
દાળ-શાકમાં મામેજવાના પાન વાપરવા કે તેના મૂળનું અથાણું બનાવી ખાવાથી તાવની અરુચિ દુર થાય છે. મામેજવો, સિંધવ, કાળા મરી અને શેકેલું જીરાનું ચૂર્ણ બનાવી દહીંના મઠ્ઠા કે છાશમાં મેળવી રોજ ૨-૩ વાર લેવા થી પેટ ભારે લાગવાની સમસ્યા દૂર થાય છે અને કફ વાત અને પિત્ત માં રાહત થાય છે. મામેજવા પંચાંગના ઉકાળામાં થોડી સાકર કે મધ નાખી સવાર-સાંજ પીવું, કપાળે મામેજવા ના તાજા પાન વાટીને લેપ કરવો. તેનાથી માથાનો દુખાવો ઓછો થાય છે.
માસિક સાફ લાવવા સ્ત્રીઓએ મામેજવાના પાન 100 ગ્રામ, જીરું 25 ગ્રામ અને મરી 5 ગ્રામનું ચૂર્ણ કરી સવાર સાંજ પીવું. મામેજવો કડવું ઔષધ હોવાથી બાળકોને થતા પેટના કૃમિ-કરમિયા માં તે ઉત્તમ પરિણામ આપે છે. અડધા કપ જેટલા મામેજવા ના રસમાં પા ચમચી વાવડિંગનું ચૂર્ણ મેળવી રાત્રે સૂતી વખતે નાના બાળકને પીવડાવવું. બે-ત્રણ દિવસ આ પ્રમાણે ઉપચાર કરવાથી પેટના બધા જ કૃમિ દૂર થાય છે.
મામેજવો પંચાંગનો અર્ક કે ઉકાળો કરી, તેમાં શિલાજીત ઉમેરી રોજ પીવું. તેથી પેશાબની સાકરનું પ્રમાણ ઘટે છે. દાહ-પરુ મટે છે. મામેજવાના તાજા પાન 10-20 ગ્રામમાં થોડું મીઠું અને થોડી હળદર મેળવી, વાટી, ગરમ કરી ગાંઠ પર પોટીસ લગાવવી. ગાંઠ પાક્યેથી સોયથી કાણું પાડી, પરુ-બગડેલું લોહી દબાવીને બહાર કાઢી નાંખવું. આ પ્રયોગથી કંઠમાળ પણ મટે છે.
મામેજવો, મેથી, આમળાં, કાચકા અને હળદરનું સરખા ભાગે બનાવેલ ચુર્ણ રોજ અડધી ચમચી જેટલું સવાર-સાંજ લેવાથી અને દરરોજ એકથી બે કીલોમીટર ચાલવાથી ડાયાબીટીસ કાબુમાં રહે છે. શરદી, ઉધરસ, ફ્લ્યૂ, તાવ વગેરેનું મામેજવો ફાયદાકારક ઔષધ છે. આ રોગોમાં બે ચમચી જેટલા મામેજવોના પાનના રસમાં બે થી ત્રણ કાળા મરીનું ચૂર્ણ મેળવીને આપવાથી ઉત્તમ ફાયદો થાય છે.
મામેજવો, સિંધવ, કાળા મરી અને શેકેલું જીરાનું ચૂર્ણ બનાવી દહીંના મઠ્ઠા કે છાશમાં મેળવી નિયમિત લેવાથી પેટ ભારે લાગવાની સમસ્યા દૂર થાય છે અને કફ વાત અને પિત્તમાં પણ રાહત થાય છે. પેટમાં કરમિયાના રોગમાં મામેજવા ના પાન, વાવડિંગ અને હરડેનું ચૂર્ણ બનાવી તેમાં ગોળ નાખી વટાણા જેવડી ગોળીઓ બનાવવી, 2-2 ગોળી રોજ બે વાર લેવી.
મામેજવા નો છોડ ભૂખ લગાડનાર, મળ સાફ લાવનાર, રક્ત શુદ્ધિ કરનાર, આમ ને પચાવનાર, યકૃતને ઉત્તેજિત કરનાર, રક્ત પિત્ત, કફ અને પિત્ત નો નાશ કરનાર છે. મામેજવો મેલેરિયાને મટાડનાર ઉત્તમ ઔષધ છે. મામેજવાનું ચૂર્ણ 3 થી 5 ગ્રામ, કાળા મરી ચૂર્ણ 4 રતી, પાણીમાં બે વાર દેવું. તેની ઉપર ગોદંતી ભસ્મ કે ઘાપાણ 1 ગ્રામ જેટલું ઘીમાં ચાટવું.
મામેજવો એ ડાયાબિટીસ રોગીઓ માટે અમૃત સમાન ઔષધ છે. તે મૂત્રમાં વધારે પ્રમાણમાં આવતી શર્કરા-ગ્લુકોઝનું પ્રમાણ ઘટાડી ને સામાન્ય-નોર્મલ કરી દે છે. મામેજવો, હળદર, આમળા, કાંચકા અને મેથી આ દરેક ઔષધ સરખા વજને લાવી ચૂર્ણ કરી લેવું. મધુપ્રમેહને કાબૂમાં રાખવા માટે અડધીથી એક ચમચી જેટલું આ ચૂર્ણ બપોરે અને રાત્રે જમ્યા પછી લેવું અથવા સવારે અને સાંજે જમ્યા પછી બે-બે ચમચી મામેજવા ના પંચાંગમાં થોડું શુદ્ધ શિલાજીત મેળવીને પીવાથી પણ મૂત્રમાં વધેલી શર્કરાનું પ્રમાણ ઘટવા લાગે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.