આરોગ્યનો ખજાનો આ ઔષધમાં છુપાયેલો છે, જરૂર જાણો આ 100થી વધુ રોગોનો સફાયો કરનાર આ ઔષધના ચમત્કારી ફાયદાઓ

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

અંકોળ એ ઉત્તમ અને બહુગુણી ઔષધ છે. એના બે પ્રકાર છે. કેટલાંક ઝાડમાં કાંટા હોય છે, કેટલાંકમાં નથી હોતા. તેના પાન કરેણ જેવા લાંબો છે અને તેના પર રેસા છે. ખરેખર અંકોળ બધા રોગ માટે ખૂબ જ ગુણકારી ઔષધ છે. ચામડીના રોગ ઉપર કાંચકાના અને આકડાના પાનનો ઉપયોગ થાય છે પણ એના કરતાં અંકોળ વધુ ગુણકારી છે.

આનાથી તાવ પણ ઓછો થાય છે તેમજ હડકાયાં કૂતરાં અને શિયાળ વગેરે કરડે તેના ઉપર પણ ઉપયોગ થાય છે.  અંકોળની છાલ એકદમ કડવી હોય છે. પ0 મીલી ગ્રામના પ્રમાણમાં પાણીમાં ઉકાળી કોઈ પણ પ્રકારના તાવમાં અપાય છે. આનાથી તાવ ઊતરે છે અને રુચિ ઉત્પન થાય છે.

જલોદરમાં આના મૂળનો રસ આપવાથી પેશાબ સાફ આવી જલોદરમાં ફાયદો થાય છે. અંકોળનાં ઝાડ ત્રીશ, ચાલીસ ફૂટ કે ક્યારેક તેનાથી પણ ઊંચાં થાય છે. તેની છાલ જાડી હોય છે અને તેનાં પાન બીલીપત્ર જેવાં ત્રિદળ હોય છે. તેનાં ફળ કાળાશ પડતાં હોય છે.

હવે અમે તમને જણાવીશું કે અંકોળથી આપણને કયા કયા લાભો થાય છે.  અંકોળાની જાડી છાલ અંદાજે એક ગ્રામ લઈને પાણીમાં ઉકાળવી. છ માસ સુધી નિયમિત રીતે દરરોજ સવાર-સાંજ એકે એક ચમચી આ ઉકાળો પીવાથી બધા જ રોગ મટે છે. કોઈ પણ જગ્યાએ સોજો આવ્યો હોય તો તેના પાનની પેસ્ટ કરી, તેને ગરમ કરી બાંધવાથી સોજો ઉતરે છે.

અંકોળની છાલ એકદમ કડવી હોય છે. પ0 મીલી ગ્રામના પ્રમાણમાં પાણીમાં ઉકાળી કોઈ પણ પ્રકારના તાવમાં અપાય છે. આનાથી તાવ ઊતરે છે અને રુચિ ઉત્પન થાય છે. કૂતરાના કરડવા પર પણ તેની છાલ ઘસવાથી સારું થાય છે.

પેટમાં કારમિયા થયા હોય ત્યારે અંકોળના મૂળનો રસ આપવાથી પેટના કારમિયા દૂર થાય છે અને ફરીવાર થતાં નથી. જલોદરમાં આના મૂળનો રસ અનુકૂળતા પ્રમાણે લેવાથી પેશાબ વધારે આવી જલોદરનું પાણી નીકળી જાય છે.  તાવમાં અંકોળના મૂળનું ચૂર્ણ શરીર પર ચોળવાથી તાવ ઓછો થાય છે. નાના બાળકોના તાવમાં અંકોળના મૂળને ઘસીને લેપ જેવું બનાવી બાળકોના શરીર પર લગાડવાથી તાવ જડપથી ઉતરી જાય છે.

અડધા ગ્રામ અંકોળની કળીનું ચૂર્ણ એક ગ્રામ હળદર અને એક ચમચો સૂકાં આંબળાનું ચૂર્ણ સાથે લેવાથી પેશાબના રોગ સારા થાય છે. આ જ ચૂર્ણથી પાચન પણ સુધરે છે, અંકોળના મૂળને સૂકવી તેનું પ00 મીલી ગ્રામ જેટલું ચૂર્ણ એક થી બે ચમચી ચોખાના પાણી સાથે લેવાથી ઝાડા તથા સંગ્રહણી મટે છે.

અંકોળને યકૃતના તમામ રોગોને મટાડવા માટે અસરકારક માનવામાં આવે છે. આટલું જ નહીં, તે કમળાને નિયંત્રણમાં રાખવા અને મટાડવામાં પણ ઉપયોગી દવા બની શકે છે. જે લોકોને કમળાની સમસ્યા હોય છે તેઓને અંકોળના મૂળ અને છાલમાંથી બનાવેલ પાવડર લેવાની સલાહ આપવામાં આવે છે. તે લીવરની બળતરાને નિયંત્રણમાં રાખવામાં પણ મદદ કરે છે.

અંકોળનું તેલ આયુર્વેદમાં વિશેષ ઉપયોગી છે. માથાના  દુખાવો જેવી સમસ્યાઓનો ઇલાજ કરવામાં તે ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. જેમને માથાનો દુખાવો છે, તેમને અંકોળના તેલથી માલિશ કરવાથી રાહત થાય છે.  અંકોળના મૂળના પાવડરના 375  મિલિગ્રામ સુધી ફાકી લેવાથી કબજિયાત મટે છે. જો ગળામાં બંધ ગાંઠ અથવા પ્લેગની ગાંઠ હોય તો, અંકોળના મૂળને પાણીમાં ઘસીને ગાંઠ પર લગાવવાથી ઝડપી રાહત મળે છે.

બવાસીરથી પીડિત વ્યક્તિએ અંકોળના છોડની છાલનો એક ચમચી પાવડર અને અડધી ચમચી  કાળા મરીને રાત્રે સુતા પહેલા 1 ગ્લાસ નવશેકા પાણી સાથે લેવું જોઈએ. આ ઉપયોગ કબજિયાતની સમસ્યાને ખૂબ જ ઝડપથી દૂર કરે છે અને વ્યક્તિને હરસ જેવા ગંભીર રોગોથી સુરક્ષિત રાખે છે.

જો કોઈ વ્યક્તિ અસ્થમાથી પીડાય છે તો અંકોળનો ઉપયોગ તેના માટે ફાયદાકારક છે. તેના ઉપયોગ માટે, એક ચમચી લીંબુનો રસ એક ચમચી અંકોળના છોડની છાલમાં ભેળવીને રોજ સવારે ખાલી પેટ લેવું જોઈએ. આ પ્રયોગ શરીરની અંદરની કફ દૂર કરીને અસ્થમાની બિમારીને ખૂબ જ ઝડપથી મટાડવામાં ફાયદાકારક સાબિત થાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of Ayurvedam. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.
Scroll to Top